માત્ર આના સેવનથી અઠવાડિયામાં મગજને કરી દેશે કમ્પ્યુટર જેવુ તેજ, બાળકોને ખાસ કરાવો આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મગજ અને મનની તાકાતથી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઇ સાંભળીએ કે જોઇએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રકિયાથી આપણી ઇન્દ્દિયો સુધી પહોંચે છે. ટેકનિકલ ભાષામાં એને એન્કોડ કહેવાય છે. એન્કોડ થયેલી અને ઇન્દ્ધિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે.

વાર-વાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે મગજને સક્રિય રાખવું જરૂરી છે. મગજના કોષોની શક્તિ અને ચેતા સંગમોનો પાવર વધારવા વિટામિન ‘બી કોમ્પલેક્ષ’ જરૂરી છે. યાદશક્તિ માટે વિટામિન ‘બી ૬’ અને હોશિયારી માટે વિટામિન ‘બી ૧૨’ અને ‘ફોલેટ્સ’ અગત્યના છે. આ તમામ દૂધ, લીલા શાકભાજી, કઠોળ વગેરેમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મગજને શુદ્ધ લોહી અને ઓક્સિજન મળતા રહે તે જરૂરી છે. તેના થી યાદશક્તિ માં સુધારો થશે.

યાદ શક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ એક વાતનું ધ્યાન રહે કે દૂધ ગાયનું કે બકરીનું હોવું જોઈએ, ભેંસનું દૂધ નહિ. ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ હોય છે.

બદામના નવ દાણાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે બારીક પીસી લો. અને એની સાથે અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ, એક ચમચી મધ લઈને એને એક ચમચી દેશી ઘી માં મિક્ષ કરીને પી જાવ. યાદ શક્તિ સારી થઇ જશે.
મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો તેનાથી તો જે વાંચ્યું હસે તે યાદ રહશે.

બ્રાહ્મી, શંખપુષ્પી, આંબળા, ગળો અને જટામાંસી આ બધાનું સમાન માત્રામાં ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને 2 ગ્રામની માત્રામાં સવાર સાંજ શુદ્ધ પાણીની સાથે લેવાથી નબળી યાદ શક્તિમાં લાભ થાય છે. બ્રહ્મી મગજની શક્તિ વધારવાની મશહૂર જડી-બૂટી છે. એનું એક ચમચી રસ રોજ પીવો હિતકર છે. એના 7 પાન ચાવવાથી પણ લાભ મળે છે. આ મગજની શક્તિ ઘટાડવા પર રોક લગાડે છે.

શંખપુષ્પીને ફૂટી-પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણની 8 ગ્રામ માત્રાને અઢીસો ગ્રામ દૂધમાં વ્યવસ્થિત પીસીને મિક્ષ કરી એક ચમચી મધ મિક્ષ કરીને તેને સવારે નાસ્તા પહેલા અને સાંજે પીવો યાદશક્તિની કમીમાં લાભ મળે છે.
જે એક સારી આયુર્વેદિક દવા પણ છે. અને એ છે તજ. રાત્રે ઊંઘતા પહેલા તજ પાઉડર 1 ચપટી લઇ અને મધ સાથે મિક્ષ કરી લો. આ ઉપાયથી મગજ ઝડપી થાય છે અને માનસિક તણાવ પણ ઓછું થાય છે.

તુલસીમાં એન્ટિબાયોટિક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જેનાથી મગજ અને દિલમાં લોહીનો પ્રવાહ સારો થાય છે. અખરોટ સ્મરણ શક્તિ વધારવામાં સહાયક છે. 20 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ કિશમિશ દરરોજ લેવી જોઈએ. તેનાથી યાદશક્તિ માં વધારો થાય છે.

તુલસીના પાન 5 કાળા મરી 5 બદામ અને થોડું મધ મિક્ષ કરીને પીવાથી યાદશક્તિ વધે છે. તે મેમરીને વધારવા માટેની એક સરળ રીત છે તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. અળસીનો તેલ તમારી એકાગ્રતા વધારે છે ,તમારી સ્મરણશક્તિ તેજ કરે છે અને વિચારવાની શક્તિને પણ વધારે છે. નિયમિત રૂપથી અળસીના તેલના સેવનથી તમારી મસ્તિષ્ક સંબંધી કોઈ વિકાર નહી રહેશે. જો યાદશક્તિ નબળી છે તો તમારી દિનચર્યામાંથી થોડું સમય કાઢી દરરોજ ભદ્રાસન કરો. મગજ આખી ઉમ્ર તેજ રહેશે.

મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જોઇએ. ડાર્ક ચોકલેટ.તેને ખાવાથી મગજની કાર્ય શક્તિ વધે છે અને યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. મેહંદીના પાંદડાઓમાં કરનોસિક તત્વ જોવા મળે છે. જેના કારણે માનવ મગજના સ્નાયુઓ સક્રિય થઈ જાય છે. અને એટલું જ નહીં કે તેની પાસે એટલી મોટી શક્તિ છે કે તે તમારી ખોવાયેલી સ્મૃતિ પાછી લાવી શકે છે. તેથી લોકો તેમના મગજમાં આરામ માટે અને તેને ઠંડુ રાખવા માટે માથા પર મહેંદીના પાંદડા લગાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top