શાહી મસાલો ગણાતો આ તેજાનો છે મગજ અને પેટના ઘણા રોગો માટે નો અકસીર ઈલાજ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તમાલપત્ર એટલે કે તેજપત્તાનો ઉપયોગ માત્ર ભારતીય રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ આના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.તમે ભાગ્યે જ જાણતા હશો કે તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતું છે, તેનો ધુમાડો તણાવને દૂર કરે છે. તમાલપત્રનું ભારતીય મસાલામાં એક ખાસ મહત્વ છે.તથા તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે.

તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ છે. પ્રાચીન કાળથી એનો ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે. ઘણી વખત એનો ઉપયોગ મધમાખી કરડે તો એ જગ્યા પર કરવામાં આવે છે. હાલ ઘણા લોકો ઓનો ઉપયોગ નાના મોટા રોગો માટે કરી રહ્યા છે. શું તમે જાણો છો તમાલપત્રના બીજા ઘણા ફાયદા છે. તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે.જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે.આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.

તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે.તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.

મગજને તેજ કરવા માટે :

તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે. જી હાં જણાવી દઇએ કે એનાથી યાદશક્તિ વધે છે. કંઇ પણ યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. એને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઇએ. એને ખાનાર શખ્સને અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યના નહિવત થાય છે. ઘડપણમાં યાદશક્તિને લઇને સમસ્યા આવતી નથી. આ ઉપરાંત તમાલપત્ર મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.

મચકોડ આવવા પર :

તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો. તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.

નસોમાં આવતા સોજામાં આરામ :

નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે. નસોમાં સોજો વધારે પડતું ખેંચાણ, ઇજા અને નસો પર દબાણ પડવાથી થાય છે. આ સ્થિતિમાં તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો પીવાથી સોજો ઓછો થાય છે. તે સિવાય તમાલપત્ર, તજ અને લવિંગને પીસીને તેનો લેપ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

પેટ ને લગતી સમસ્યા :

તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.

ટાઈપ-૨ ડાયાબીટીસ દર્દીઓ માટે ફાયદાકારક છે તમાલપત્ર :

તમાલપત્રનો ઉપયોગ ટાઈપ-૨ ડાયાબીટીસ દર્દીઓ માટે ઘણો ફાયદાકારક હોય છે. એ બ્લડ શુગરના લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એનાથી હૃદયને પણ ફાયદો મળે છે. એટલે મધુમેહથી પીડિત દર્દીઓએ એનું સેવન જરૂરથી કરવું જોઈએ.

આંખોની સમસ્યાને કરી શકે છે દૂર :

માલાબાર પત્તાના નામે પણ જાણીતા તમાલપત્ર વિટામીન એ અને વિટામીન સી મળી આવે છે અને એ તો તમે જાણતા હશો કે વિટામીન એ આપણી આંખો સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે જયારે વિટામીન સી શરીરમાં વાઈટ બ્લડ સેલ્સની સંખ્યા જાળવી રાખવામાં મદદ કરે છે. વાઈટ બ્લડ સેલ્સ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબુત બનાવે છે.

પાચનતંત્રને મજબુત બનાવે છે તમાલપત્ર :

પાચન સંબંધી સમસ્યાઓ માટે તમાલપત્રનો ઉપયોગ ઘણો લાભદાયી છે. એ પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. એના ઉપયોગથી કબજિયાત, એસીડીટી અને મરોડ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. સવારે ચા ની સાથે પણ એનું સેવન કરી શકાય છે.

સારી ઊંઘ માટે લાભદાયી તમાલપત્ર :

જો તમે સારી ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન છો તો સુતા પહેલા તમાલપત્રના તેલના કેટલાક ટીપા પાણીમાં ઉમેરીને પીવો. એનાથી તમને સારી ઊંઘ આવશે.

કીડની સાથે જોડાયેલી સમસ્યામાં મળે છે રાહત :

જો તમે કીડની સાથે જોડાયેલી સમસ્યાઓથી હેરાન છો તો તમાલપત્રને ઉકાળીને એ પાણીને ઠંડુ કરીને પીવો. એનાથી કીડની સ્ટોન (પથરી) અને એની સાથે જોડાયેલી સમસ્યામાં ઘણી રાહત મળે છે.

દુઃખાવામાં રાહત અપાવે છે તમાલપત્ર :

જો તમે માથાના દુઃખાવામાં કે પીઠમાં દુખાવાથી પીડાઈ રહ્યા હોવ તો તમાલપત્રનું તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, એના તેલથી મસાજ ઘણી હદ સુધી રાહત અપાવી શકે છે.

સ્કિન પ્રાબ્લેમ્સ અને ખીલ માટે તમાલપત્રના પ્રયોગ :

થોડા પાણીમા તમાલપત્ર નાખી ઉકાળી લો. આ પાણીને ઠંડા કરી તેનાથી ચેહરા ધોવાથી ચેહરામાં શાઈન આવે છે અને ચેહરાના ખીલ અને બીજી બેકટીરિયલ ઈંફેકટેડ ડિજીજેજ દૂર હોય છે. આનાથી સ્કિન પણ સૉફ્ટ અને આકર્ષક બને છે.

દાંતોની સમસ્યામાં તમાલપત્રના પ્રયોગ :

તમાલપત્રનો પ્રયોગ દાંતની મજબૂતી અને ચમક વધારવા અને કીડા હટાડવા માટે પણ કરાય છે. તેના માટે અઠવાડિયામાં 3-4 દિવસ તમાલપત્રના ચૂર્ણથી દાતણ કરો તરત જ દાંત સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય તમે તમાલપત્રના એક પાનને તમારા દાંત પર ઘસી લો. દાંતના પીળાપન દૂર થઈ જશે.

કબજિયાત અને એસિડિટી માટે :

કબજિયાત અને એસિડિટીના કિસ્સામાં તમાલપત્ર ખાવું જોઈએ તમને રાહત થશે. તમે કહી શકો છો કે મસાલા તરીકે તમાલપત્ર તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન છે. પાટમાં મરોડા થવાથી લઈને લાંબા સમયના કબજિયાત સુધી તમાલપત્ર કોઈ દવાથી ઓછું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top