શું તમે પણ થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છો?તો આ લેખ તમારા માટે જ છે, જરૂર વાંચી અને જાણી લ્યો આર્યુવેદિક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

થાઇરોઇડ આજકાલ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય બની ગયું છે. આ રોગ મોટાભાગની સ્ત્રીઓને સમાવી લે છે. સર્વે અનુસાર મહિલાઓમાં પુરુષો કરતા થાઇરોઇડ થવાની સંભાવના ત્રણ ગણી વધારે છે. થાઇરોઇડને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

થાઇરોઇડની આડઅસરોને કારણે,સ્ત્રીઓનું વજન ઝડપથી વધવાનું શરૂ થાય છે. આ ઉપરાંત,તેમને પીરિયડ્સ અને ગર્ભાવસ્થાને લગતી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. થાઇરોઇડને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તે અન્ય ઘણી બીમારીઓનું મૂળ પણ બને છે.

જે લોકો વધુ ચિંતિત હોય છે,હતાશ હોય છે અથવા શરીરમાં આયોડિનનો અભાવ હોય છે તેમાં થાઇરોઇડ થવાનું જોખમ સૌથી વધુ હોય છે. કેટલીકવાર દવાઓની આડઅસર કારણે પણ આ રોગ થવાનું જોખમ વધે છે. જાણો આયુર્વેદિક ઘરેલું ઉપચાર,જે થાઇરોઇડથી રાહત આપી શકે છે.

થાઇરોઇડમાં ધાણાના પાણીનો વપરાશ એ રામબાણ ઉપચાર માનવામાં આવે છે. કોથમીરને સાંજે તાંબાનાં વાસણમાં પાણીમાં પલાળી રાખો. સવારે ધાણાને સારી રીતે મિક્સ કરી તેને ગાળી લો અને પીવો. થાઈરોઈડના રોગનો ઉપચાર કરવા માટે રોગીને થોડા દિવસો સુધી ફળોનો રસ (નારીયેલ પાણી, કોબી, અનાનસ, સંતરા, સફરજન, ગાજર, બીટ અને દ્રાક્ષનો રસ) પીવો જોઈએ.

ત્યાર પછી ૩ દિવસ સુધી ફળ ખાવા જોઈએ. ભોજનમાં તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી રોગીને સામાન્ય ભોજન કરવું જોઈએ જેમાં લીલા શાકભાજી, ફળ અને સલાડ અને અંકુરિત દાળ વગેરે હોય,  આ પ્રકારે થોડા દિવસો સુધી ઉપચાર કરવાથી રોગ ઠીક થઇ જાય છે.

થાઇરોઇડના દર્દીઓએ સવારે ખાલી પેટે એક ચમચી મધમાં 10  ગ્રામ આમળાનો પાવડર મેળવીને તેનું સેવન કરવું જોઈએ. રાત્રે બે કલાક ખાધા પછી પણ, એક ચમચી મધમાં 10 ગ્રામ આમળા પાવડર નાખીને ખાવો.  દરરોજ આ કરવાથી, 15-20 દિવસમાં લાભ જોવા મળે છે.

ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરો. આવી રીતે દરરોજ આ ઉપચાર કરવાથી થાઈરોઈડ દૂર થઇ જાય છે. થાઈરોઈડ રોગોથી પીડિત રોગીને તળેલી-શેકેલી વસ્તુ, મેંદો, ખાંડ, ચા, કોફી, દારૂ, કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ.  થાઇરોઇડના દર્દીએ દરરોજ દૂધ અને દહીં લેવું જોઈએ. એમા વિટામિન, કેલ્શિયમ અને ખનિજો હોય છે, જે થાઇરોઇડને નિયંત્રણમાં રાખે છે.

થાઈરોઈડના દર્દીઓને થાક ખુબ જલ્દી લાગી જાય છે અને તે જલ્દી જ થાકી જાય છે. તેવા સમયે મુલેઠી(જેઠીમધ)નું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. મુલેઠી(જેઠીમધ)માં રહેલા તત્વ થાઈરોઈડ ગ્રંથીને સંતુલિત રાખે છે અને થાકને ઉર્જામાં બદલી દે છે.

અળસીમાં ૨૩ ટકા ઓમેગા-૩ ફેટી એસીડ હોય છે, તેમજ ૨૦ ટકા પ્રોટીનની માત્રા હોય  છે. ઓમેગા ૩ ફેટી એસીડ થાઇરોઇડને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. માટે થાઇરોઇડના દર્દીઓએ અળસીનું સેવન ચોક્કસપણે કરવું જોઇએ. એક કપ પાલકના રસમાં એક મોટી ચમચી મધ ભેળવીને પછી ચપટી જેટલું જીરાનું ચૂર્ણ ભેળવીને દરરોજ રાતના સમયે સુતા પહેલા સેવન કરવાથી થાઈરોઈડ ઠીક થઇ જાય છે. થાઇરોઇડના દર્દીઓએ આદુ, લસણ, સફેદ ડુંગળી, આલ્કોહોલ અને તજનો વધુ ઉપયોગ કરવો જોઇએ.

અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે જે થાઈરોઈડની તકલીફના ઉપચારમાં ફાયદાકારક છે. અખરોટમાં પાચ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડને કારણે ગળામાં થતા સોજાને પણ ઘણે અંશે ઓછો  કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top