શરીરની નબળાઈ દૂર કરી, દાંત અને ચામડી ના રોગો માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય છોડ નો ઉપયોગ, ઉપયોગ કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાતમાં નર્મદાનાં મૂખ પાસે ‘કબીરવડ નામનું ખૂબ મોટું એક વડનું વૃક્ષ છે. આ કબીરવડને સાડા ત્રણસોથી પણ અધિક વડવાઈઓ છે અને હજું પણ નવી ફૂટતી જાય છે. દૂરથી તેને જોઈએ તો એક મોટું અરણ્ય હોય તેવો ભાસ થાય છે. હિંદુ ધર્મમાં પીપળાની જેમ વડનાં વૃક્ષને પણ બહુ પૂજનિય અને પવિત્ર માનવામાં આવે છે.

પુરાણો તથા શાસ્ત્રોમા વડ ના વૃક્ષ ને આયુર્વેદિક ઔષધ તરીકે માન્યતા આપવામા આવે છે. આ વૃક્ષ ના મૂળ થી લઈ ને પર્ણ સુધી ના બધા જ તત્વો ઔષધ તરીકે ઉપયોગમા લેવામાં આવે છે. આ વૃક્ષ ને શાસ્ત્રોમા પરમ પુજનીય તથા પવિત્ર ગણવામા આવે છે.

વડ ના વૃક્ષ ના દુધ ની અંદર મિસરી મિક્સ કરી ગ્રહણ કરવામા આવે તો પાઈલ્સ નો રોગ જડમુળથી દુર થાય છે. આ સિવાય શરીર ના કોઈપણ ભાગ પર વાગ્યું હોય તથા સોજા ચડેલા હોય તો તેમા પણ રાહત મળે છે.

વડ ના વૃક્ષ નુ દુધ રૂ દ્વારા દાંતો પર લગાવવા મા આવે તો દાંતો મા થતો સડો દુર થાય છે. આ ઉપરાંત આ વૃક્ષ ની છાલ, કાથો અને મરી ને પીસી ને દાંતો પર ઘસવામા આવે તો દાંતને લગતા રોગો જેવા કે દાંતમા દુઃખાવો થવો, દાંતમાથી લોહી નિકળવુ, દાંતમા જીવાત પડવી વગેરે નો નાશ થાય છે.

દિવસમાં એક વખત વડના  ટેટાનું પાણી પીવામાં આવે તો શરીરની તંદુરસ્તી જાળવવામાં પણ મદદરૂપ થાય છે. તેના ફળને પાણીમાં ઉકાળી પાણી બનાવી પીવું અથવા મનપસંદ ફળો સાથે જોડાયેલા વડના ટેટાના પાનનો ઉપયોગ કરીને પાણી પી શકાય છે. સામાન્ય રીતે અનુભવવામાં આવતા શ્વસન સિન્ડ્રોમ્સમાંથી એક અસ્થમા છે.

અસ્થમા સામાન્ય રીતે માનવ શ્વસનતંત્ર પરના ચેપને કારણે થાય છે, ખાસ કરીને એલ્વિઓલસ પર નિયમિત રીતે વડના ટેટાનો વપરાશ કરવાથી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક છે જે ચેપને અસરકારક રીતે ઘટાડે છે.

વડના પર્ણોને વાટી ને તેનો લેપ સ્કિન પર લગાડવામા આવે તો ફોડલા, ખીલ, ડાર્ક સર્કલ તથા કરચલીઓ દુર થાય છે. વડ ના દુધમાથી લેપ તૈયાર કરી કમર ના ભાગ પર માલીશ કરવા મા આવે તો જુના મા જુના કમર ના દર્દ માથી છુટકારો મળે છે.

આયુર્વેદ અનુસાર વડની કોમળ વડવાઈની શુંગ એ એવી ઔષધિ છે જેઓ સંતાન ઇચ્છુક હોય તેમને માટે આ દવા સમાન છે. શુંગ એટલે કે વડના વૃક્ષની ડાળીમાં ઉગેલા કૂણાં પાનના મૂળની શુંગા આમાં દવા તરીકે વપરાય છે. આને ગાયના દૂધ સાથે લેવાથી ગર્ભ રહી જવાની શક્યતા વધી જાય છે.

ખીલના કાળા ડાઘ વડના દુધને મસુરની દાળમાં પીસી લઈ તેનો લેપ કરવાથી ખીલના કળા ડાઘ મટે છે. પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો જોઈએ.

હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

પીઠનો દુઃખાવો ઓછો કરવા માટે પણ વડના દૂધની માલિશ કરવાથી થોડા દિવસોમાં રાહત મળે છે. આ સિવાય વડના દૂધને અળસીના તેલમાં ભેળવીને માલિશ કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે.

દિવસમાં બેથી ત્રણ વખત શરીર પર થયેલી કોઈપણ ઈજા, મચકોડ અને સોજા પર વડનું દૂધ લગાવીને માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. જો કોઈ ઈજાનો ઘા ખુલ્લો રહી ગયેલો હોય છે, તો વડના ઝાડના દૂધમાં હળદર મિક્સ કરીને ઈજાની જગ્યાએ લગાવીને પાટો બાંધી લેવો જોઈએ. તેનાથી ઘા જલ્દી મટી જાય છે.

હાથની હથેળીની ચામડી ફાટી જાય અથવા પગની પીંડીમાં વાઢિયા પડે તો તેની સારવારમાં વડના ઝાડનું દૂધ ખૂબ અસરકારક છે. એડીની તિરાડો પર તાજા દૂધની માલિશ કરવાથી તે થોડા જ દિવસોમાં મટી જાય છે. આની સારવાર માટે સૌથી પહેલા બંને પગની એડીઓને ગરમ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ એક વાસણમાં વડનું દૂધ ભરો અને એમાં પગ રાખીને તેની માલીશ કરવાથી પગ મુલાયમ અને સ્વચ્છ થઈ જશે.

સૂકા વડના મૂળને બારીક પીસી લો. હવે આ પાવડરની અડધી ચમચી લસણ સાથે પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે. નાકમાં વડનાં દૂધનાં બે ટીપાં નાંખીને રાખવાથી નસ્કોરી ફૂટવાની તકલીફ પણ મટે છે.

વડના સખત અને સુકા થઈ ગયેલા પાંદડાઓનો પાવડર બનાવીને ૧૦ ગ્રામ એક લિટર પાણીમાં ઉકાળો. હવે તેમાં એક ચપટી મીઠું નાખી સવાર-સાંજ પીવાથી આળસ અને નિંદ્રા દૂર થાય છે અને શરીરમાં સ્ફુર્તિ જણાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top