લાખો રૂપિયાની દવા કામ ના કરતી હોય ત્યાં 5 દિવસ કરી લ્યો આનો ઉપયોગ, વર્ષો જૂના સાંધાના દુખાવા 100% મટી જશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પારિજાત “ઓલ ઇન વન” ફૂલ છે “પારિજાત”, દરેક બીમારી માં ફાયદાકારક હોય છે. વાત સુંદરતાની હોય કે સ્વાસ્થ્યની, પારિજાતના ફૂલ ને પહેલા નંબરે માનવા માં આવે છે. પારિજાતના ફૂલ આમતો નાના અને સફેદ રંગના હોય છે, પરંતુ તેના ફાયદા બહુ જ મોટા-મોટા હોય છે. પુરાણો માં પણ પારિજાત ને ખુબજ ગુણકારી માનવામાં આવ્યું છે.

પારિજાત ની ડાંડલી નારંગી રંગની હોય છે અને આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે જમીન પર વેરાયેલા જોવા મળે છે. પારિજાતના માત્ર ફૂલ જ નહી તેનો છોડ પણ દવા અને સૌંદર્ય ની સામગ્રી બનાવવ માટે પણ ખૂબ જ ઉપયોગ માં લેવામાં આવે છે.

સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ગરમ પાણીમાં ઉમેરી પીવાથી તાવમા રાહત મળે છે. મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજની ગરમી ઓછી કરવા પારીજાત ઉપયોગી થાય છે.

પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવાથી 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ મટી જાય છે.
પારિજાતના બીજા પણ ઘણા ફાયદાઓ છે, જેમકે પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. અને એ પણ એના મૂળમાંથી.

સાંધાના દુખાવામા પારીજાતના ૬-૭ પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. ધાધર દુર કરવા પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.

પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોડો અને વાળની સફેદી દુર કરી શકાય છે. સાથે સાથે નવા વાળ પણ આવે છે. પારીજાતના તેલની માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખાર આવે છે. પારીજાતના એક બીજનુ રોજ સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર કરી શકાય છે.

પારિજાત નાં પાન એક ખુબજ સારી ઔષધિ છે. જેમને ઘૂંટણ નાં દર્દ છે, કમર નો દુઃખાવો છે, સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છે તેની તકલીફ ખુબ વધારે હોય તો એમનાં માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ સાબિત થાઈ છે.

ચિકનગુનિયા જેવી અનેક પ્રકારની બીમારીઓ છે કે જેની અંદર લોકોના સાંધામાં દુખાવો થતો હોય છે. આવી સમસ્યામાં પારિજાતના પાન રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો માત્ર ત્રણ દિવસ સુધી પારીજાત ના પાન નો રસ પીવામાં આવે તો ગમે તેવા સાંધાના દુખાવામાં તરત જ રાહત મળે છે.

પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર સાબિત થયું છે. તે પચવામાં તીખી છે. મતલબ કટુ વિપાકી છે. તે સ્વાદે કડવું છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તેને જંતુઘ્ન અને કેશ્ય પણ માનવામાં છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને તે સારામાં સારું પરિણામ આપે છે.

પારિજાતના વૃક્ષની ઊંચાઈ 10થી 25 ફૂટ જેટલી હોય છે. આ વૃક્ષની એક ખાસ વાત એ છે કે આમાં ઘણી મોટી માત્રામાં ફૂલો આવે છે. એક દિવસમાં આના કેટલા પણ ફૂલો તોડવામાં આવે, બીજા દિવસે ફરીથી મોટા પ્રમાણમાં ફૂલો ખીલી જશે.

દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતનાં ફૂલો ઘણા જ પ્રિય છે. પૂજા-પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top