ઘરમાં વધી ગયેલ ગરોળીના ત્રાસથી કાયમી છુટકારો અપાવતો જબરજસ્ત ઘરેલુ નુસકો, ઘરની આજુ બાજુ પણ નહીં આવે ગરોળી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરોળી જીવ છે જે તમારાજ ઘરમાં રહીને તમને ડરાવે છે. જ્યારે ઘરની દીવાલ પર ગરોળી હોય ત્યારે આપણે તેને નજર અંદાજ કરતા હોઈએ છીએ કારણકે આપણે આવા નાના જીવથી કોઈ મુશ્કેલી સર્જાતી નથી.પરંતુ શું તમને ખબર છે આ ગરોળી પૃથ્વી ઉપર આજથી બે લાખ વર્ષ પહેલા એટલે કે ડાયનાસોરના સમયથી છે? આપણા ઘરની અંદર રહેલી ગરોળી પાંચ હજાર ગરોળીની પ્રજાતિ માંથી એક માત્ર એવી પ્રજાતિ છે કે જે પોતાના ગળામાંથી અવાજ કરી શકે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ ગરોળીથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.

બજારમાં ગરોળીને ઘરની બહાર કાઢવા માટે ઘણા ઉત્પાદનો મળી આવે છે, પરંતુ તે ઉત્પાદનો ખૂબ ઝેરી હોય છે. જેના કારણે ગરોળી મરી જાય છે, જેના કારણે ગરોળીને આપણે ફેંકી દેવી પડે છે. આ સિવાય આ ઝેરી ઉત્પાદનો આપણા બાળકો માટે પણ હાનિકારક હોઈ શકે છે. તેથી, આપણે એવી પદ્ધતિઓ અપનાવી જોઈએ કે જે ગરોળી ભાગી જાય છે અને આપણે તેને મારવાની જરૂર પડે નહીં.

સામાન્ય રીતે ઘરમાં રહેલી ગરોળી ઘરની દીવાલો ના ખૂણામાં વારંવાર મળ કરતી હોય છે. જયારે આ મળ આપણા ભોજનમાં અથવા તો આપણા શરીરના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેના કારણે આપણા સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે.

સામાન્ય રીતે ઘરમાં રહેલી ગરોળી ઘરની દીવાલો ના ખૂણામાં વારંવાર મળ કરતી હોય છે. જયારે આ મળ આપણા ભોજનમાં અથવા તો આપણા શરીરના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેના કારણે આપણા સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે.

તીખાની ભૂકી પણ ગરોળીને દૂર ભગાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. પાણીની અંદર કાળા મરીનો પાવડર અને લાલ મરચું પાઉડર ઉમેરી અને તેને ઉકાળી લેવું અને આ પાણીને ઘરની દીવાલો તથા ખૂણાઓમાં સ્પ્રે કરવાના કારણે ગરોળિયો ઘરમાંથી દૂર ભાગે છે.

ઘરની અંદર રખડતા અનેક પ્રકારના જીવ જંતુઓ જેવા કે કીડી-મકોડાઓને લસણની ગંધ દ્વારા આસાનીથીભગાડી શકાય છે. ગરોળિયો પણ આ લસણની સુગંધ સહન કરી શકતી નથી અને ઘરના બારી તથા દરવાજા પાછળ લસણની કળીઓ રાખી દેવામાં આવે તો તેની સુગંધના કારણે ગરોળિયો ઘરમાં પ્રવેશ કરતી નથી. આ ઉપરાંત લસણને પાણીની અંદર ઉકાળી અને તેનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ ગરોળિ દૂર ભગાડી શકાય છે.

ગરોળિયો મોર પંખ ના કલર થી ડરતી હોય છે.ઘરની અંદર મોર પંખ રાખવામાં આવે તો તેના કારણે ગરોળિયો ને દૂર ભગાડી શકાય છે. સાથે સાથે ઇંડાની સાલ ની સુગંધને કારણે પણ ગરોળિયો ઘરથી દૂર જતી રહે છે. ગરોળી ને ડુંગળીની સુગંધ પસંદ નથી હોતી. આ માટે જ્યાં ગરોળી આવવાની સંભાવના લાગે ત્યાં ડુંગળી ની છાલ રાખી દો. આવું કરવાથી ત્યાં ગરોળી નહિ આવે.

આપણે બધા આપણા કપડા વચ્ચે જે ફીનાઈલ ની ગોળી રાખીએ છીએ જેથી જીવાત ન આવે અને કપડા ના બગાડે. આ ફિનાઈલ ની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં ૨ થી ૩ ગોળી મૂકી દો. ગરોળી આવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.

કોફી પાવડરને તમ્બાકુ પાવડરની સાથે મિક્સ કરી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી ત્યાં રાખી દો જ્યાં ગરોળીઓ આવી છે. તેને ખાઈને ત્યાં તો ભાગી જશે કે મરી જશે.કોફી પાવડરને કત્થામાં મિક્સ કરી ગોળીઓ બનાવી તે જગ્યાઓ પર રાખો, જ્યાં ગરોળી આવવાની આશંકા વધારે હોય છે. તેને ખાઈને ગરોળી ભાગી જાય છે.

લેબેલીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ જ પ્રભાવશાળી છે. જે ઘરના જે ભાગમાં વધારે પ્રમાણમાં ગરોળી રહેતી હોય ત્યાં લેબેલીન બોલને લગાવવાથી ગરોળી આપણા ઘરથી દૂર ભાગશે.મોટાભાગે દરેક ઘરમાં એક થી બે ગરોળી તો જોવા મળે જ છે. ગરોળી મોટાભાગે બધી ઋતુમાં જોવા મળે છે. પરંતુ ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top