પગમાં થતી બળતરા અને દુખાવા માંથી મિનિટોમાં છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કિડની ના રોગ ને કારણે પગ માં જલન થઈ શકે શકે છે. વિટામિન ની ઉણપ ,અતિશય આલ્કોહોલનું સેવન કરવાથી પણ જલન થઈ શકે છે. થાઇરોઇડ ના હોર્મોનસ ના સ્તર માં ઘટાડો થવા થી કે પછી લીમ રોગ જે બેક્ટેરિયાથી થાય છે. આવા કારણો થી પગ માં જલન થી શકે છે.

રક્ત વાહિની ઓમાં સોજો થવાથી, સરકોઇડોસિસ જેવો રોગ કે જે કોષોમાં બળતરાને કારણે થાય છે, ગુલિયન બેરી સિડ્રોનમ જેમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમના કરને હુમલો કરે છે , આવી સમસ્યા ને કારણે પગ માં જલન થઈ શકે છે.

એચ.આય.વી કે એડ્સ જેવા રોગો ને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. કીમોથેરાપી દવાઓ, વિટામિન બી સિક્સ ના ઓવરડોઝ, એચ.આય.વી ની દવાઓ વગેરે જેવી કેટલીક દવાઓની આડઅસરને કારણે પગ માં જલન થાઈ છે.

પગમાં ચેપ કે સોજો આવવાથી પણ પગ માં જલન થઈ શકે છે. એથ્લેટ્સ માં ચામડીના ફૂગને કારણે અથવા તો ચેપ લાગવાને કારણે આ સ્થિતિ વધુ સામાન્ય બને છે. બાયપાસ સર્જરીના થોડા સમય પછી, કેટલાક લોકોને પગ માં બળતરા થવા લાગે છે. બાયપાસ પછી વિટામિન બીનું ઓછું શોષણ પગમાં ન્યુરોપેથીનું કારણ બની શકે છે.

પેરિફેરલ ધમની ની બિમારી ને કારણે જલન થાય છે. આને કારણે પગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે. અને જેના કારણે પગ માં દુખાવો થાઈ છે અથવા તેમાં સોજો આવે છે અને જલન થાય છે.

પગમાં થતી જલન ની સારવાર ના ઉપાયો :

ન્યુરોપથીને કારણે પગમાં થતી જલન ને ચેતાને થતું નુકસાન અટકાવવા થી બંધ થઈ જાય છે. કેટલાક સંજોગોમાં, આ રોગનું કારણ શોધી કાઢી તેની સારવાર કરવામાં આવે છે, અથવા તો તેના લક્ષણોના આધારે તેની સારવાર કરવામાં આવે છે.

થાઇરોઇડના સેવનથી ન્યુરોપથી ઓછી થાય છે અને પગમાં બળતરા પણ ઘટે છે. જીબીએસ અને સીઆઈડીપીની સારવાર માટે, પ્લાઝ્મા અથવા રોગપ્રતિકારક ગ્લોબ્યુલિન થેરેપી કરવાથી પગની  જલન થી રાહત મળે છે.

આલ્કોહોલનું વધુ પડતું સેવન બંધ કરીને નુકસાનથી બચી શકાય છે. ક્રોનિક કિડની રોગના કિસ્સામાં ડાયાલિસિસ ન્યુરોપથી દ્વારા ઝેરને દૂર કરવામાં અને પગમાં બળતરા દૂર કરવામાં મદદ કરે છે.

દવાઓ ખાવાથી પણ પગ માં જલન થવાની સમસ્યાથી પણ રાહત મેકળવી શકાય છે. એન્ટિફંગલ દવાઓ ફૂગના ચેપનો ઉપચાર કરે છે અને પગમાં બળતરા થાય છે ત્યારે બળતરા દૂર કરવામાં મદદ કરે છે.

ગરમ પાણીથી ભરેલા ગ્લાસમાં એક થી બે ચમચી, કાચા સફરજનનો વિનેગર મિક્સ કરો. શ્રેષ્ઠ પરિણામો માટે દિવસમાં એકવાર તેને પીવો જોઈએ. અને ગરમ પાણીથી ભરેલા ટબમાં સફરજનના વિનેગર ની બે ચમચી, દરિયાઈ મીઠું ઉમેરો. આ મિશ્રણમાં પગને લગભગ વીસ મિનિટ સુધી પલાળો. થોડા દિવસોમાં સારા પરિણામ નો અનુભવો થશે.

એક ટબમાં અડધો કપ સિંધવ મીઠું નાખો. હવે ટબમાં ગરમ ​​પાણી રેડવું અને બરાબર મિક્ષ કરી લો. તેમાં પગને દસ  થી પંદર મિનિટ સુધી પલાળો. થોડા દિવસો માટે દરરોજ એકવાર આ ઉપાયને અનુસરવાથી પગ માં થતી જલન થી આરામ મળે છે.

પાણી સાથે મુઠ્ઠીભર કારેલા ના પાંદડા પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો, તમને જલ્દી પગ ની બળતરાથી રાહત મળશે. જરૂરિયાત મુજબ આ પ્રક્રિયા નું  પુનરાવર્તન કરવાથી જલ્દી થી લાભ મળે છે.

એક ટબમાં ઠંડુ પાણી ભરી ને તેમાં પગને થોડીવાર માટે પલાળી રાખવા. થોડા સમય માટે તેને બહાર કાઢવા અને પછી ફરીથી દુબદવા. આ પ્રક્રિયા નું દિવસમાં ઘણી વખત પુનરાવર્તન કરવું. પગને લાંબા સમય સુધી પણી માં અથવા બરફ ના ઠંડા પાણીમાં ન રાખો કારણ કે તે  વધારે સમસ્યાઓ પેદા કરી શકે છે.

એક ગ્લાસ માં ગરમ પાણીમાં એક થી બે ચમચી હળદરનો પાવડર નાખી ને પીવો જોઈએ. આમ કરવાથી વધુ સારા પરિણામો મળે છે આ પાણી ને દિવસ માં બે વાર પીવું જોઈએ.. પાણીમાં બે ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ પણ બનાવી શકાય છે. અને થોડા દિવસો માટે દિવસમાં એક કે બે વાર અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવવાથી આરામ મળે છે.

એક ચમચી આદુનો રસ નારિયેળ તેલ અથવા ઓલિવ તેલ સાથે ગરમ કરો. આ મિશ્રણથી દરરોજ દસ  થી પંદર મિનિટ પગની માલિશ કરો. દરરોજ બેથી ત્રણ કપ ગરમ આદુ વળી ચા પણ પી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top