માત્ર ૧૦ મિનિટમાં આ જબરજસ્ત ઇલાજથી સાઈટીકા, સંધિવા- ઘૂંટણનો દુખાવો જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મુદ્રાશાસ્ત્ર દ્વારા આપણા શરીરના રોગો દુર કરી શકાય છે. આપણુ શરીર પાંચ તત્વોનું બનેલું છે વાયુ, આકાશ, પૃથ્વી, આગ, અને જળ, અને જ્યાં સુધી આ પાંચેય તત્વો સમતોલ રહે ત્યાં સુધી આપણે તંદુરસ્ત રહીએ છીએ. પરંતુ આ બધા તત્વો માંથી કોઈ પણ તત્વમાં ખામી ઉભી થાય ત્યારે રોગો થતા હોય છે.

પાચનત્વોમાં ખામી સર્જાવાને લીધે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ બગડી જાય છેઅને તેના કારણે વ્યક્તિને રોગ થાય છે. અને મુદ્રાશાસ્ત્રની મદદથી હાથની કેટલીક ખાસ મુદ્રાઓના આધારે જ પ્રેશર આપીને કોઈ પણ રોગોને મૂળ માંથી દુર કરી શકાય છે.

મુદ્રા એક એવું સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાસ કરે છે. જેના વિશે દરેક લોકો એ જાણવું જોઈએ, અને તેનો પૂરો અભ્યાસ કરી લેવો જોઈએ. જે આપણા આત્મા નું પરમાત્મા સાથે મિલન કરાવે છે.

મુદ્રા વિજ્ઞાન એટલે આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન. આપણા હાથની દરેક આંગળી અલગ અલગ મુદ્રા દર્શાવે છે. આપણું શરીર આગ, વાયુ, આકાશ, પૃથ્વિ અને જળનું બનેલું હોય છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું, અંગુઠાની પાસેની પહેલી આંગળી વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી) આકાશનું અને રીંગ આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વીનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક જીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મૂળ એકત્રિત થયેલા હોય છે. જે ઉર્જાનું વિસર્જન કરે છે.

હાથની ૧૦ આંગળીઓમાંથી વિશેષ પ્રકારની આકૃતિઓ બનાવવી તેને હસ્તમુદ્રા કહેવામાં આવે છે. હાથની બધી આંગળીઓમાં પાંચ તત્વ રહેલા હોય છે, જેમકે અંગુઠામાં અગ્નિ તત્વ, તર્જની આંગળીમાં વાયુતત્ત્વ, મધ્યમા આંગળીમાં આકાશ તત્વ, અનામિકા આંગળીમાં પૃથ્વી તત્વ અને કનિષ્ઠિકા આંગળીમાં જળ તત્વ.

દરેક મુદ્રાના અલગ અલગ પ્રકાર હોય છે હસ્તમુદ્રા, મનમુદ્રા અને કાયામુદ્રા અને બંધમુદ્રા અને આધારમુદ્રા. હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા, પૃથ્વી મુદ્રા, વરુણ મુદ્રા, શક્તિ મુદ્રા, વાયુ મુદ્રા, શૂન્ય મુદ્રા, અપાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, ચિન મુદ્રા, યોની મુદ્રા, ભૈરવ મુદ્રા વગેરે.

જ્ઞાન મુદ્રા :

જ્ઞાન મુદ્રા માં અંગૂઠાને તર્જની આંગળીનાં ટોચ પર લગાવી દો. બાકીની ત્રણેય આંગળીઓને ચિત્ર અનુસાર સુધી રહેવા દો.સ્મરણ શક્તિનો વિકાસ થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અભ્યાસમાં મન લાગે છે અને અનિદ્રાનો નાશ થાય છે. સ્વભાવમાં પરિવર્તન, આધ્યાત્મિક શક્તિનો વિકાસ અને ક્રોધનો નાશ થાય છે. ખાનપાન સાત્વિક રાખવા જોઈએ. પાન, મસાલા, સોપારી, તમાકુ વગેરેનું સેવન ન કરવું. વધારે ગરમ અને વધારે ઠંડું પીણું પીવું નહીં.

વાયુ મુદ્રા :

વાયુ મુદ્રા તર્જની આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવીને હળવેથી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.વાયુ શાંત થાય છે. લકવા, સાઈટીકા, આર્થરાઈટિસ, સંધિવા, ઘૂંટણનો દુખાવો ઠીક થઈ જાય છે. ગરદનનો દુખાવો, પેટનો દુખાવો વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.સાવધાની : લાભ થઈ જવા સુધી જ આ મુદ્રાનો ઉપયોગ કરવો.

આકાશ મુદ્રા :

આકાશ મુદ્રા મધ્યમાં આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.લાભ : કાનના બધા પ્રકારના રોગો જેમ કે બહેરાપણું વગેરે, હાડકા ની કમજોરી તથા હૃદય રોગ ઠીક થઈ જાય છે.સાવધાની : ભોજન કરતાં સમયે તથા હરતાં ફરતાં આ મુદ્રા ન કરવી. હાથને સીધા રાખો. લાભ થઈ જવા સુધી જ કરવી.

શૂન્ય મુદ્રા :

શૂન્ય મુદ્રા મધ્યમાં આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવો અને અંગુઠાથી દબાવો.લાભ : કાનના બધા પ્રકારના રોગો જેમકે બહેરાપણું દૂર થાય છે અને સ્પષ્ટ સંભળાય છે. પેઢાની પકડ મજબુત બને છે તથા ગળાના રોગો અને થાઈરોઈડ જેવા રોગોમાં ફાયદો થાય છે.

પૃથ્વી મુદ્રા :

પૃથ્વી મુદ્રા અનામિકા આંગળી અને અંગૂઠાથી લગાવીને રાખો.લાભ : શરીરમાં સ્ફૂર્તિ, ક્રાંતિ તથા તેજસ્વિતા આવે છે. દુર્બળ વ્યક્તિનું વજન વધે છે તથા જીવની શક્તિનો વિકાસ થાય છે. આ મુદ્રા પાચન ક્રિયાને સુવ્યવસ્થિત બનાવે છે, સાત્વિક ગુણોનો વિકાસ કરે છે, મગજમાં શાંતિ લાવે છે અને વિટામિનની ઉણપને દુર કરે

સૂર્ય મુદ્રા :

સૂર્ય મુદ્રા અનામિકા આંગળીને અંગુઠાના મૂળ ઉપર લગાવીને અંગુઠાથી દબાવો.લાભ : શરીરને સંતુલિત થાય છે, વજન ઘટે છે, શરીરમાં ચરબી ઓછી થાય છે, શરીરમાં ઉષ્ણતાની વૃદ્ધિ, તણાવમાં કમી, શક્તિનો વિકાસ, લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ મુદ્રા ડાયાબિટીસ અને યકૃતના દોષોને દૂર કરે છે.સાવધાની : દુર્બળ વ્યક્તિએ આ મુદ્રા ન કરવી. ગરમીમાં વધારે સમય સુધી ન કરવી.

વરુણ મુદ્રા :

વરુણ મુદ્રા કનિષ્કા આંગળીને અંગૂઠાથી લગાવીને મિલાવો.લાભ : આ મુદ્રા શરીરમાં શુષ્કતાને નષ્ટ કરે છે અને ચીકાશ વધારે છે. ચામડી ચમકદાર અને મુલાયમ બને છે. ચામડીના રોગો, રક્તવિકાર તથા જલ તત્વની ઉણપ દૂર કરે છે. ખીલને દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે.સાવધાની : કફ પ્રકૃતિવાળા આ મુદ્રાનો વધારે પ્રયોગ ન કરે.

અપાન મુદ્રા :

અપાન મુદ્રા મધ્યમાં તથા અનામિકા આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવી દો.લાભ : શરીર અને નાડીની શુધ્ધિ તથા કબજિયાત દૂર થાય છે. મળ દોષ નષ્ટ થાય છે. વાયુ વિકાર, ડાયાબિટીસ, મૂત્રાવરોધ, કિડનીની બીમારી તથા દાંતની બીમારી દૂર થાય છે. પેટ માટે ઉપયોગી છે, હૃદય રોગમાં ફાયદો થાય છે તથા પરસેવો લાવે છે.સાવધાની : આ મુદ્રાથી વધારે પેશાબ થશે.

હૃદય મુદ્રા :

હૃદય મુદ્રા તર્જની આંગળીને અંગુઠાના મૂળમાં લગાવો તથા મધ્યમાં અને અનામિકા આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવો.લાભ : જે લોકોનું હૃદય કમજોર છે તેમણે આ દરરોજ કરવી જોઈએ. હદયનો હુમલો થવા પર આ મુદ્રા કરવાથી આરામ થાય છે. પેટમાં ગેસ થવા પર તેને બહાર કાઢી નાખે છે. માથાનો દુખાવો થવા પર તથા દમ ની ફરિયાદ થવા પર લાભ થાય છે. સીડી ચડતા પહેલાં પાંચ-દસ મિનિટ પહેલા આ મુદ્રા કરીને ચડવી. તેનાથી ઉચ્ચ રક્તચાપ માં ફાયદો થાય છે.સાવધાની : હૃદયનો હુમલો આવા પર આ મુદ્રિકાને આકસ્મિકરૂપે પર ઉપયોગ કરો.

પ્રાણ મુદ્રા :

પ્રાણ મુદ્રા કનિષ્કા તથા અનામિકા આંગળીના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવો.લાભ : આ મુદ્રા શરીરની દુર્બળતા દૂર કરે છે. મનને શાંત રાખે છે. આંખોના રોગને દૂર કરે છે અને આંખની રોશની વધારે છે. શરીરની રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. વિટામિન ની ઉણપ દૂર કરે છે તથા થાકને દુર કરીને નવો શક્તિનો સંચાર કરે છે. લાંબા ઉપવાસ દરમિયાન ભૂખ અને તરસ લાગતી નથી તથા ચહેરા અને આંખોની સાથે સાથે શરીરની ચમક વધારે છે.

લીડગ મુદ્રા :

લીડગ મુદ્રા મુઠ્ઠી બાંધો તથા ડાબા હાથના અંગુઠાને ઉભો રાખો અન્ય આંગળીઓને બાંધેલી રાખો.લાભ : શરીરમાં ગરમી વધારે છે. શરદી, ખાંસી, દમ, સાઇનસ, લકવા તથા નિમ્ન રક્તચાપ માં ફાયદાકારક છે.સાવધાની : આ મુદ્રાનો પ્રયોગ કરવા પર જળ, ફળ, ફળોનો રસ, ઘી અને દૂધનું સેવન વધારે માત્રામાં કરો. આ મુદ્રાને વધારે લાંબા સમય સુધી ન કરવી.

વિતરાગ મુદ્રા :

વિતરાગ મુદ્રા પદ્માશન માં બેસો. દાબા હાથની હથેળી નાભી પાસે રાખો.જમણાં હાથની હથેળી તેની ઉપર ગોઠવો. બન્ને હાથના અંગુઠા એક્બીજાની ઉપર રહેશે. પદ્માશનમાં બેસી ન શકાય તો સુખાશન અથવા વજ્રાશનમાં બેશીને આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય.સમય:- પરોઢીએ આ મુદ્રાનો અભ્યાશ કરવાથી ફાયદો થાય છે.વિતરાગ ધ્યાનની મુદ્રા છે અને ૪૫ મિનિટ સુધી અભ્યાશ કરી શકાયફાયદા:- ઉર્જાનું સંતુલન થાયા છે ,શક્તિનું ઉર્ધ્વારોહણ થાય છે ,સ્થિરતાનો વિકાશ થાય છે , તટસ્થાનો ગુણ વિકાશ થાય છે.

અદિત્તિ મુદ્રા :

સતત છીકો આવતી હોય તો અદિત્તિ મુદ્રાનો પ્રયોગ કરવોવિધિ:- પદ્માશન અથવા વ્રજ્રાશન માં બેસો અંગુઠાના અગ્રભાગ્ને અનામિકાના મુળ પાસે લગાવી અને બાકીની આંગળીઓ સીધી રાખવીથી અદિતિ મુદ્રા બને છે.સમય:- અદિતિ મુદ્રાનો અભ્યાશ ૮ થી ૪૮ મિનિટ સુધિ લંબાવી શકાય છે મુદ્રા સાથે ધ્યાન, અનુષ્ઠાન સત્સંગ કરવાથી વધુ લાભ થાય છે.લાભ:- છીંક ,બગાસા રોકી શકાય છે ,શરદીથી આવતી અચાનક છીંકોમાં રાહત થાય છે. માનસિક શાંતિ મળે છે.

મૃગિમુદ્રા :

ચિતની સ્થિરતા જાળવવા માટે મૃગિમુદ્રાનો પ્રયોગ થાય છે.વિધિ:- અનામિકા અને મધ્યમાં આંગળીની વચ્ચે અંગાઠાના અગ્રભાગ દ્રારા દબણા આપવામાં આવે છે.તર્જની અને કનિષ્ઠા સીધી રહે છે. આ મુદ્રા માટે સુખાશન અથવા ઉત્કટાશનમાં બેસવાથી વધારે અસરકર્તા સાબિત થાય છે.સમય:- પરોઢિયે વધુમાં વધુ ૪૮ મિનિટ આ મુદ્રાનો પ્રયોગ કરી શકાય. ૧૬-૧૬ મિનિટના ત્રણ તબ્બકે પણ કરી શકાય.લાભ:- ચિતની સ્થિરતા જળવાય ,ઋજુતાનો વિકાશ થાય ,ભાવધારા નિર્મળ બને ,વાયુના રોગોમાં લાભદાયી , શરદી-ઉધરસમાં રાહત થાય ,માથાનો દુઃખાવો અને તનાવ ઘટે છે.

સુરભી મુદ્રા :

સુરભી મુદ્રાને ધેનુ મુદ્રા પણ કહે છે. આ મુદ્રાના અભ્યાશથી મુત્રા રોગો અને પાચન તંત્રના રોગો દુર થાય છેવિધિ:- ગૌદુહાશન અથવા ઉત્ક્ટાશનમાં બેસો. બન્ને હાથને “નમસ્કાર”ની સ્થિતિમાં રાખીને ડાબા હાથની તર્જનીને જમણા હાથની મધ્યામા સાથે સ્પર્શ કરાવો અને જમણા હાથની તર્જનીને ડાબા હાથની મધ્યમા સાથે સ્પર્શા કરાવો. એજ રીતે ડાબા હાથની અનામિકાને જમણા હાથની કનિષ્ઠા સાથે જોડો અને ડાબા હાથની કનિષ્ઠાને જમણા હાથની અનામિકા સાથે જોડો. બન્ને અંગુઠા અલગ રહેશે. સમય:- પરોઠીયે ૮ મિનિટ્થી શરૂઆત કરી સપ્તાહ પછી ૧૬ મિનિટ કરો. વાયુ પિત્તના કફના દર્દીને નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવીલાભ:- નાભિ કેંદ્ર સ્વસ્થ થાય (૨) મુત્ર રોગોનું સમન થાય (૩) પાચન તંત્ર સુધરે (૪) પેટના રોગો શાંત કરે (૫) ચિત્તની નિર્બળતા વધારે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top