મોંઘી દવા અને ખર્ચા વગર શરદી, ખાંસી, કફ, ન્યુમોનિયા અને પાચનના 100 થી વધુ રોગોનો એકમાત્ર અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા ઘરના રસોડામાં કેટલીય એવી ગુણકારી વસ્તુઓ હોય છે જેના ફાયદાઓ વિશે આપણે અજાણ હોઈએ છીએ. તેમાંથી એક છે લસણ. સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ જેવી રીતે લસણ વાનગીના સ્વાદમાં વધારો કરે છે તેવી જ રીતે તેના કેટલાય અન્ય ફાયદાઓ પણ છે, જે તમને આશ્ચર્યમાં મુકી દેશે.

લસણ ઔષધિય ગુણોથી ભરપૂર છે, જે તમને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કેટલાય લોકો લસણના આ ચમત્કારી ગુણોથી અજાણ હોય છે. સવારે ખાલી પેટ લસણનું સેવન આપણા શરીરને કેટલાય લાભ અપાવે છે. ત્યારે લસણને પાણીની સાથે લેવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. તો ચાલો જાણીએ જાણો લસણના સેવનથી કયા-કયા ફાયદાઓ થાય છે.

લસણની એક કળી તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. એના એન્ટીબેક્ટેરીયલ અને દર્દ નિવારણ ગુણ દાંતના દુ:ખાવા માંથી રાહત અપાવે છે. તે માટે તેની લસણની એક કળી વાટીને દાંતના દુ:ખાવા વાળી જગ્યા ઉપર લગાવી દો. લસણનું સેવન કરવાથી ન માત્ર બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે, પણ તે હ્રદય સાથે જોડાયેલ તકલીફોને પણ દૂર કરે છે.

નાની ઉંમરમાં સફેદ થતા વાળને રોકવા માટે સવારે લસણની ૪ થી ૫ કળીમાં મધ મેળવીને ખાવાથી આ સમસ્યા દૂર થશે. જ્યાં સુધી આ સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો. ખાલી પેટે લસણની કળીઓ ચાવી જવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. અને તમને ભૂખ પણ લાગે છે. સવારે લસણ ખાવાથી શરદી, ખાંસી, કફ , ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને અસ્થમામાંથી છૂટકારો મળે છે.

જો તમે કબજિયાત અથવા ગેસ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો લસણની એક કળીથી આ બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. લસણ પાચનતંત્રને સંપૂર્ણ સારૂ રાખે છે, જેથી તમને પેટની કોઈ સમસ્યા ન થાય. એસિડિટીથી પીડિત લોકોએ શેકેલું લસણ ખાવું જોઈએ, તેનાથી રાહત રહે છે.

રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઇલ અથવા સોયાબીન ઓઈલમાં લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.

સવાર સવારમાં લસણ ખાવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. હાઈ બ્લડ પ્રેશર પર કાબુ મેળવી શકાય છે. શરદી અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસની બીજી તકલીફો સામે પણ રક્ષણ મળે છે. જે લોકોનુ ખાવાનુ સારી રીતે નથી પચતુ, તે લોકો લસણનું ભોજન શરૂ કરો. લસણ ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે અને ભુખ ન લાગવાની સમસ્યા માથી પણ આરામ મળે છે.

ઑસ્ટિયોપોરોસિસ અને ગાંઠોના દર્દીઓ જો લસણનુ સેવન કરે તો તેમને હાડકાથી જોડાયેલ બિમારીઓથી રાહત મળે છે. સાથે જ લસણ ખાવાથી વધતી ઉંમરમાં હાડકા બગડી જવાને પણ તે અટકાવે છે. લસણનુ નિયમિત સેવન કરવાથી કેન્સર પેદા કરનારા સેલ્સ ખતમ થઈ જાય છે. જેનાથી કેન્સર થવાનો ખતરો ઓછો રહે છે.

લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ચેહરા પર દાગ ધબ્બા દૂર થઈ જાય છે. તાવ આવવા પર તમે બે-ત્રણ લસણની કળીઓ ખાઓ. લસણ ખાવાથી તાવ એકદમ ગાયબ થઇ જશે. ત્યાં જ ઠંડી લાગવા પર તમે લસણને સરસવના તેલમાં ગરમ કરો. પછી આ તેલથી માલિશ કરો. આમ કરવાથી તમને રાહત મળશે.ત્યાં જ શરીરના ભાગોમાં જ્યા પીડા થાય ત્યા પણ આ તેલથી માલિશ કરો.

લસણને દૂધમાં ઉકાળીને બાળકોને આપવાથી બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. લસણની કળીને આગમાં સાંતળી બાળકને આપવાથી શ્વાસની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. જે બાળકોને શરદી વધારે થાય છે તેમણે લસણની કળીની માળા બનાવીને પહેરવી જોઈએ. લસણ ખાવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે.

ઘણા લોકોને સૂતી વખતે નસકોરાની સમસ્યા હોય છે, તેનાથી સૂઈ રહેલી વ્યક્તિને કોઈ તકલીફ થતી નથી. પરંતુ તેની આસપાસ સૂતા લોકો આખી રાત તેમની ઊંઘ બગડે છે. આવી સ્થિતિમાં જો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવો હોય તો લસણનો ઉપયોગ કરો. લસણ અને એક કે બે લવિંગ ખાઓ અને રાત્રે સૂતા પહેલા પાણી પીવો. જો તમે આ નિયમિત રીતે કરો છો તો તમે જલ્દીથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top