કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે આ વેલ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કુકડવેલના ફળનો આકાર કંકોડા જેવો હોય છે અને દેખાવમાં ફણસ જેવું દેખાય છે, તેના ઉપર કાંટા હોય છે અને તેમાં બી કળથી જેવાં ચપટાં હોય છે. એને મુંબઈની બજારમાં પિત્તકલના નામે ઓળખે છે. ગુજરાતમાં કૂકડવેલો કહેવાય છે. મહારાષ્ટ્રમાં તેને બંદાલ કહે છે.

આ કૂકડવેલનાં ફલ બજારમાં ઘણી બધી જગ્યાએ મળે છે. ફૂકડવેલ એક ઘરગથ્થુ ઔષધ છે. કમળો કે જેમાં આંખો પીળી થઈ જાય છે, આખું અંગ પીળું થઈ જાય છે. પેશાબ પીળો થઈ જાય અને ઝાડો સફેદ આવે. હવે અમે તમને જણાવીશું કુકડવેલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી થતાં અનેક લાભો. કમળાના રોગમા ૫ કૂકડવેલના ફલનું ચૂર્ણ સુંઘવાથી, નાકમાંથી એસરખા પીળા પાણી વહેવા માંડે છે અને કમળો મટે છે.

કૂકડવેલને મોઢેથી લેવાથી ઊલટી, ઓકારી થાય છે તેથી બધા પ્રકારનાં જેર બહાર નીકળી જાય છે. સાપ કરડ્યો હોય કે બીજા કોઈ પણ જેર પેટમાં ગયાં હોય તો તેને કૂકડવેલ મોઢેથી અપાય છે. મોઢેથી લેવાથી ઊલટી થાય અને પેટમાં ગયેલું જેર પેટમાંથી અને ઝાડા વાટે નીકળી જાય.આમ કુકકડવેલનો ઉપયોગ કોઈપણ પ્રકારના જેરને દૂર કરવા માટે થાય છે.

કૂકડવેલનાં ફૂલ  ત્રણ ગ્રામ લઈ તે 100 ગ્રામ પાણીમાં સારી રીતે ભીંજવવા. બરાબર ભીંજાય પછી તેને સરખી રીતે મસળી તેનું પાણી ગાળી લેવું અને ટીપું ટીપું તે પાણી પાંચ પાંચ મિનિટે પીવું જોઈએ. થોડી જ વારમાં જેર ઓછું થાય છે અને માણસ સારો થાય છે, સોમલના જેર  સિવાય દરેક જેરમાં આ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.

ઉંદરના જેર ઉપર આ ખૂબ જ ઉપયોગી થાય છે. એક લિટર પાણીમાં પાંચ ફળ નાખી પાણીને ઉકાળવું અને જે જગ્યાએ ઉંદર કરડ્યો હોય તે જગ્યા આ પાણીથી ધોવી. ઉંદરનું જેર ચડ્યું હોય એટલે આખા શરીરે નાની નાની ગાંઠો થઇ જાય છે તાવ આવે છે, ચક્કર શરૂ થાય છે.

તે વખતે કૂકડવેલના ફલનું ચૂર્ણ બે ગ્રામ લઈ ૧૦ ગ્રામ પાણીમાં આખી રાત રાખી સવારે પીવું જોઈએ, એટલે તાવ ઓછો થશે, ગાંઠો ઓગળવા માંડશે અને ઉંદરનું જેર ઓછું થાય છે. એવી જ રીતે કૂકડવેલનું ચૂર્ણ ન ૧૦ ગ્રામ પાણીમાં રાત્રે ભીંજવી નિયમિત સવારે લેતા રહેવાથી એક મહિનામાં શરીર ઉપરથી પાંડુરોગ ઓછો થઈ રક્ત ભરાવા લાગે છે.

સોજા પર પણ કૂકડવેલ ખૂબ વપરાય છે. કૂકડવેલનાં ફૂલ લઈ તેનો ઉકાળો કરવો. કૂકડવેલનાં ફૂલ ૪૦ ગ્રામ લઈ તેમાં ૧ લિટર પાણી નાખી 1 લિટર પર્યત ઉકાળી તેને ગળી લઈને સોજેલો ભાગ તેનાથી ધોવો. તેનાથી સોજો તાત્કાલિક ઊતરે છે.

હરસ કુકડવેલ લાગવાથી બેસે છે. કુકડવેલનાં ફળ ખૂબ જીણા વાટી તેનો હરસ ઉપર લેપ કરવાથી દર્દીને રાહત મળે છે. ગંડમાળા કે કંઠમાળામાં કૂકડવેલનાં ફળો અને અરીઠાના ફળને ભેગા કરી પાણીમાં જીણા વાટી ગાંઠો ઉપર ચોપડવાથી ગાંઠો બેસી જાય છે. કૂકડવેલનાં ફળનું ચૂર્ણ માથું દુઃખે ત્યારે સૂંઘવાથી માથું હલકું પડે છે.

આધાશીશી ઉપર પણ ચૂર્ણ સુંઘવાથી માથું દુખતું બંધ થાય છે. બેશુદ્ધિ આવી હોય તો આ ચૂર્ણ નાક પાસે રાખવાતી બેશુદ્ધિ ઓછી થાય છે. કૂકડવેલ તીવ્ર ઔષધ છે. નબળા માણસને પીવરાવવાથી કે સુંઘાડવાથી ઘણી વાર તે બેહોશ થઈ જાય છે તેથી સંભાળીને તેનો ઉપયોગ કરવો.

આમ તો આ કુકડવેલ સંજીવની ગણી શકાય કારણ કે આ કુકડવેલ અનેક રોગોમાં ચમત્કારીક પરીણામ મળે છે, જેમે કે વધારે તાવ, હરસ-મસા, દાદર-ખરજવામાં, કરમીયા, દમ-અસ્થમામાં, ટી.બી.માં, લીવર અને બરોળના રોગોમાં કામ આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top