માથાથી લઈને પગ સુધીના દરેક રોગનો ઈલાજ રહેલો છે આ તેલમાં, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સરસવનો ઉપયોગ તેલ કાઢવા માટે પણ થાય છે. આ સિવાય ભારતીય રસોડામાં સરસવના દાણા પણ રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે પણ તેના ઘણા ફાયદા છે. સરસવના તેલનો ઉપયોગ મુખ્યત્વે લગભગ તમામ ઘરોમાં શાકભાજી બનાવવા માટે થાય છે.

આ લેખમાં અમે તમને આરોગ્ય માટે સરસવના ફાયદા વિશે જણાવી રહ્યાં છીએ.  સરસવમાં કેટલાક ગુણધર્મો છે જે કેન્સરને વધતા રોકે છે. સરસવમાં એન્ટિક કાર્સિનોજેનિક ગુણધર્મો છે. સરસવમાં રહેલો આ ગુણધર્મ કેન્સરને વધતા રોકે છે. સરસવ મૂત્રાશયના કેન્સર, આંતરડાનું કેન્સર અને સર્વાઇકલ કેન્સર જેવા વિવિધ કેન્સર સામે રક્ષણ આપી શકે છે.

જો સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરાય તો આ માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવામાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે. કહેવાય છે કે આ પાચક રસની પણ પૂર્તિ કરે છે. જે આપણા યોગ્ય પાચનમાં સહાયક હોય છે.

જો તમને સ્વસ્થ ત્વચા જોઈએ છે તો સરસવ વાપરો. સરસવમાં કેરોટિન અને લ્યુરટિન ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં વિટામિન એ, સી અને કે શામેલ હોય છે. આ બધા પોષક તત્વો મળીને તેને વધુ સારું એન્ટીઑકિસડન્ટ બનાવે છે. જે ચહેરા પર વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.

સરસવના દાણામાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચાના ચેપને દૂર કરવામાં તેમજ ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ત્વચા મુલાયમ અને ચમકતી બનાવે છે. વજન ઘટાડવા માટે સરસવ ખૂબ ફાયદાકારક છે. જ્યારે પણ કાનમાં પીડા થતી હોય તો ત્યારે સરસવના તેલનો ઉપયોગ કરવો સરસવના તેલમાં લસણની કળી ઉમેરી ગરમ કરવું. ત્યારબાદ તેલ ઠંડુ થઈ જાય પછી કાનમાં નાખવાથી તરતજ રાહત થાય છે.

સરસવનો ઉપયોગ પાવડર તરીકે કરો અથવા ફક્ત ખોરાકમાં સરસવનું તેલનો ઉપયોગ કરો. સરસવ વજન ઘટાડવામાં ઘણી રીતે મદદ કરે છે. ખરેખર, સરસવના દાણામાં અનેક વિટામિન જેવા કે ફોલેટ, નિયાસિન, થાયમિન અને રિબોફ્લેવિન હોય છે, જે શરીરના ચયાપચયને જાળવી રાખે છે.

સરસવના તેલમાં વિટામિન એ, વિટામિન ઈ, પ્રોટીન્સ અને એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. આ તત્વો વાળ માટે લાભદાયક છે. વાળના વિકાસ માટે સરસવનું તેલ સારો ભાગ ભજવે છે. આનાથી વાળનો વિકાસ થાય છે અને વાળ ખરવાનું પણ બંધ થાય છે. વાળ માટે તે સારું કન્ડિશનર છે.

જો હોઠના વારંવાર ફાટવાથી પરેશાન છો તો સરસવનું તેલ આ માટે સારો અને સસ્તો ઈલાજ છે. તે માટે રાત્રે હોઠ પર સરસવનું તેલ અને તેના પર લીપ બામ લગાવીને સુઈ જાવ. આમ કરવાથી ૨-૩ દિવસની અદર જ તમારા ફાટેલા હોઠની સમસ્યા દુર થઇ જશે.

સરસવ માં ગ્લુકો જેલ ઓલેટ ના ગુણધર્મો છે, જે કેન્સરગ્રસ્ત ગાંઠ અને કેન્સરગ્રસ્ત કોષો બનતા અટકાવે છે. સરસવમાં ફાયટોનટ્રિએન્ટ્સ પણ હોય છે જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સરને રોકવામાં ખાસ મદદ કરે છે. રોજ સરસવ ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.

સેલેનિયમ અને મેગ્નેશિયમ સરસવના દાણામાં સારી માત્રામાં જોવા મળે છે અને બંને એન્ટીઇન્ફ્લેમેટરી છે. દરરોજ સરસવ ખાવાથી શ્વાસની બીમારીથી દર્દીને રાહત મળે છે. સરસવ શરદી મટાડવા માં અને છાતીનો કફ બહાર કાઢવામાં મદદ કરે છે.

નાભીને આપણા શરીરનું કેન્દ્ર માનવામાં આવે છે. કેમ કે, નાભિ સાથે અંદાજે સાત હજારથી પણ વધુ નળીઓ જોડાયેલી હોય છે. આથી જ રાત્રે સૂતી વખતે તમારી નાભિ ની અંદર બે-ત્રણ ટીપાં સરસવનું તેલ નાખીને સૂવામાં આવે તો આ સરસવનું તેલ શરીરના દરેક અંગો સુધી પોષણ પહોંચાડે છે. અને શરીરની કુદરતી ચમક પાછી આવે છે.

આધાશીશી નો દુખાવો ખૂબ તીવ્ર છે. આ પીડા માથાના અડધા ભાગમાં થાય છે, તો ક્યારેક તે આખા માથામાં પણ થાય છે. આવી સ્થિતિમાં, સરસવ રામબાણ ઈલાજ નું કામ કરે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ આધાશીશી ની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે.

પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી આવતું હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસવનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધો કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top