શિયાળાના ફળોના રાજા “જામફળ” ના સેવનથી કબજિયાત, માનસિક તણાવ અને આધાશીશીથી મળી જશે છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે.લીલા શાકભાજી અને ફળ બંને સ્વસ્થ શરીર માટે જરૂરી હોય છે. ઠંડીમાં જે સૌથી વધુ ફળ બજારમાં જોવા મળે છે તે જામફળ છે. જામફળના ફાયદા પણ ગજબના છે.

જામફળમાં કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન બી1, બી2, બી3, બી5, બી6, બી9, વિટામિન સી, કે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે.
જામફળ શૂગર પેશન્ટ માટે લાભદાયક છે. જામફળમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે ડાયાબિટીશ પેશન્ટ માટે લાભદાયક હોય છે. ફાઇબર શૂગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

જામફળમાં પ્રચૂર માત્રામાં આયોડીન હોય છે. જે થાઇરોડની સમસ્યાથી બચવામાં મદદ કરે છે. આસાથે હોર્મોનલ સંતુલન પણ બની રહે છે. જામફળમાં વિટામીન સી હોય છે અને લાઇફોપીન નામનુ ફાઇટો ન્યૂટ્રિએન્ટસ જોવા મળે છે. જે કેન્સરથી ખતરાને ઓછું કરવાનું કામ કરે છે.

જામફળમાં વિટામિન બી9 મળી આવે છે જે શરીરના ડીએનએ અને કોશિકાઓને સુધારવાનું કામ કરે છે. આ એક એવું ફળ છે જે પેટની સાથે જ તમારા દિલને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. જામફળનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જો તમને વારંવાર શરદી-ખાંસીની સમસ્યા થાય છે તો જામફળ ખાવાથી એ દૂર થઇ જાય છે. જામફળમાં વિટામીન એ અને ઇ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે જ તમારી સ્કીન માટે લાભકારી છે. એનાથી આંખો, સ્કીન અને વાળને પોષણ મળે છે.

સવાર-સાંજ એક જામફળ ભોજન પછી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સાથે જ ચિડચિડાપણું અને માનસિક તણાવ દૂર થાય છે.જામફળનો પલ્પ 10 ગ્રામ, મધ 5 ગ્રામ લઈને બરાબર મિક્ષ કરી લેવું. સવાર સાંજ તેને ખાલી પેટ ખાવાથી સૂકી ખાંસી મૂળથી સમાપ્ત થઈ જાય છે.

જામફળના 20-25 પાનને પાણીમાં ઉકાળીને પાન કાઢી લો. તે પાણીને ઠંડુ કરીને તેમાં ફટકડી મિક્સ કરો. આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો ઓછો થાય છે. જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે. એક જામફળમાં 112 કેલરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી. અને ધીરે ધીરે વજન ઘટવાનું શરૂ થઈ જાય છે.

કાચા જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસીને સવારે કપાળ પર જ્યાં દુખાવો થતો હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટે છે. એક દિવસમાં જો પૂરેપૂરો ફાયદો ન થાય તો બીજા દિવસે સવારે ફરીથી લેપ કરવો અને સવારે એક કે બે પાકાં જામફળ ખાવાં.

વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. તેને ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે. મોઢામાંથી દુર્ગંધ આવે છે તો જામફળના કોમળ પાનને ચાવો. જામફળના પાંદડાઓનું સેવન કરવાથી મોઢાના છાલાઓને દૂર કરી શકાય છે. જામફળમાં બીટા કેરોટીન હોઈ છે જે શરીરને ચામડીને લગતી બિમારીઓથી બચાવે છે. જામફળ ખાવાથી દિમાગ તેજ થાય છે. આ સાથે જ રકત પરિભ્રમણ સારું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top