માત્ર આની એક ચમચીથી પેટ સાફ થઈ, ગેસ અને એસિડિટીથી મળી જશે જીવનભર છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિમેજ અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. અને વાળ ના વિકાસમાં વધારે પ્રોત્સાહન આપે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. ગેસની સમસ્યા લુખી, અળવી અને ઠંડી, ચંચળ હોય છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા ઔષધિ કામમાં આવે છે. આજે અમે તમને જણાવીશું હીમેજના ફાયદાઓ વિશે.

કબજિયાતની સમસ્યાથી હેરાન થતા માણસો માટે હીમેજ વરદાનરૂપ સાબિત થાય છે. કબજિયાત દૂર કરવા માટે હીમેજના લેપને થોડાક મીઠા સાથે ખાવું અને અડધું ગ્રામ લવિંગ તથા તજ સાથે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાતા હોય છે. હીમેજનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણમાં ચપટી મીઠું મિક્ષ કરીને ખાવું જોઈએ

હીમેજની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેના સેવનથી આંખોમાં તેજ પણ વધે છે અને બળતરા માં રાહત થાય છે. હીમેજનો લેપ પાતળી છાશમાં મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી સોજો મટી જાય છે અને દાંતના દુખાવામાં પણ આરામ મળે છે.

પીપર, આદું, વરીયાળી, હીમેજ 25-25 ગ્રામ લો. 150 ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળ આકારની ગોળીઓ બનાવી લો. 1-2 ગોળી દિવસમાં વખત લેવાથી ચક્કર આવવા અને માથું ભમવાનું બંધ થઇ જશે. હીમેજ નું સેવન નિયમિત કરવાથી શરીરમાં થાક નો અનુભવ થતો નથી. હીમેજના ટુકડાને ચાવી ચાવી ને ખાવાથી ભૂખ વધે છે. હીમેજના સેવનથી કબજિયાત કે ખાંસી જેવા રોગ દુર થઇ જાય છે.

હીમેજ પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારીને તેને સક્રિય કરવાનું કામ કાજ કરે છે. આ સિવાય આ ઔષધી શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ પુરવાર થાય છે. વજન ઉતારવા માટે હીમેજનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરે ધીરે વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

નાના બાળક ને રોજ હીમેજ ચટાડવી જોઈએ. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ હીમેજમાં થોડો વધારો કરવો જોઇએ. એકાદ વરસનો થાય એટલે એક ચમચી હીમેજ અપાવી આ રીતે બાળકને હીમેજ આપવાથી બાળક ને કોઈ રોગ થતો નથી. હીમેજનું સેવન કરવાથી શરીર લાંબા સમય સુધી મજબૂત રહે છે અને હાડકાને તાકત આપવાનુ કામ કરે છે.

હરડે, હિંગ, સૂંઠ, હિમેજ, પીપર, કાકચીયાના મીંજ, સિંધવ અને સંચળ નું ચૂર્ણ તૈયાર કરીને હૂંફાળા જળ સાથે સવારે તથા સાંજે ગ્રહણ કરવામાં આવે તો કબજીયાત દૂર થાય. હીમેજ ના બીજમાંથી મેળવેલું તેલ જઠરાંત્રિય માર્ગની ગતિ સુધારવા માટે વપરાય છે. હીમેજ આંતરડાની ચળવળને મટાડવામાં મદદ કરે છે.

જો તમને ત્વચા સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હીમેજનો ઉકાળો રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. આ માટે હીમેજના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત રૂપ દિવસમાં બે વખત કરવાથી તમારી ત્વચા એનર્જીને ખુબ જલ્દી આરામ મળે છે.

પિત્તની કોઈ તકલીફ હોય કે અમ્લપિત્ત જેવો કોઈ વ્યાધિ થયેલ હોય તો દિવેલના બદલે ચોખ્ખું ઘી મૂકીને પણ હિમેજને શેકી શકાય. આ ચૂર્ણ રોજ રાત્રે એકાદ ચમચી ફાકી જવાથી રોજ સવારે સરળતાથી પેટ સાફ આવે છે. પેટમાં વાયુ અને પિત્ત બન્નેે સાથે હોય તો દિવેલ અને થોડું ઘી નાખી હિમેજને સાંતળી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top