પાયા ખોદયા વગર બનેલા આ રહસ્યમય મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી, દરેક મનોકામના પૂર્ણ કરવા જરૂર કરો તેના દર્શન, અહી ક્લિક કરી જાણો વિગતે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે તો આપણા ભારત દેશમાં ઘણા બધા જુદા જુદા અને ખુબ જ પ્રખ્યાત મંદિર આવેલા છે. અને આની સાથે સાથે જ ઘણા બધા પ્રાચીન અને ખુબ જ સુંદર એવા શિલ્પ સ્થાપત્યો પણ છે. અને આ સાથે સાથે એમ પણ ક્લાહી શકાય કે, દક્ષિણ ભારત માત્ર તેની કુદરતી સૌંદર્ય, દરિયાઇ આબોહવા માટે જ જાણીતું નથી, પરંતુ ભારતની આ ભૂમિ સાંસ્કૃતિક, આસ્થા, ભાવના અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. ઉત્તર ભારતની સાથે, દક્ષિણ ભારતમાં પણ હિન્દુ સામ્રાજ્યનો વિકાસ થયો, જેના કારણે અહીં અસંખ્ય ભવ્ય મંદિરો જોવા મળે છે. બસ આવા જ એક ખુબ જ રહસ્યમય મંદિર વિશે ખાસ આજે આ લેખમાં વાત કરી છે.

આજે આપણે ભારતમાં સ્થિત બૃહદેશ્વર મંદિર વિશે ખાસ આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે માનવામાં આવે છે કે, વિશ્વનું આ પ્રથમ મંદિર છે જે ગ્રેનાઈટથી બનેલું છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે આ મંદિર મિલાનાડુના તાંજોર જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે. અને તેને બનાવવા માટે લગભગ 130,000 ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બૃહદેશ્વર મંદિર ચોલા સ્થાપત્યનું ભવ્ય ઉદાહરણ છે, જેનું નિર્માણ મહારાજા રાજા રાજ દ્વારા કરાવ્યું હતું. મંદિરની આસપાસ સુંદર અક્ષરોમાં કોતરવામાં આવેલી શિલાલેખોની લાંબી શ્રેણીમાં શાસકના વ્યક્તિત્વની અપાર મહાનતા દર્શાવે છે.

આ મંદિર તમિલનાડુના તાંજોર જીલ્લામાં આવેલું છે. બૃહદેશ્વર નામનું આ ભવ્ય શિવમંદિર સમગ્ર ભારતમાં તેમની વિશાળતા, સુંદરતા અને કલાત્મકતા માટે પ્રખ્યાત છે. જણાવી દઈએ કે, યુનેસ્કોએ આ મંદિરને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ’ ની યાદીમાં સ્થાન આપ્યું છે. અને આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. ઇ.સ. ૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું. ચોલ વંશના રાજવી રાજારાજ પ્રથમે તેમનું નિર્માણ કરાવેલું. ચોલવંશ જેવો પરાક્રમી રાજપરિવાર ભારતમાં થયો નથી.

અને આ સાથે આ મંદિર એ ખુબ જ જુનું મંદિર પણ છે. માનવામાં આવે છે કે, ઇ.સ. ૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરુ થયું હતું. ચોલા શાસકોએ આ મંદિરનું નામ રાજરાજેશ્વર રાખ્યું, પરંતુ મરાઠા શાસકોએ જેણે તાંજોર ઉપર હુમલો કર્યો તેને બૃહદેશ્વર નામ અપાયું. વર્ષ 2010 માં, તેના બાંધકામના એક હજાર વર્ષ પૂર્ણ થયાં. રિઝર્વ બેંકે 01 એપ્રિલ 1954 ના રોજ એક હજાર રૂપિયાની નોટ જારી કરી હતી. જેના પર બૃહદેશ્વર મંદિરનું ભવ્ય ચિત્ર છે. બૃહદેશ્વર મંદિર, પેરુવડાયાર કોવિલ, તંજાઇ પેરિયા કોવિલ, રાજરાજેશ્વરમ અને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે.

આ મંદિર એક વ્યાપક ઇનલેઇડ સ્વરૂપમાં બનાવવામાં આવ્યું છે જે 240.90 મીટર લાંબી (પૂર્વ-પશ્ચિમ) અને 122 મીટર પહોળાઈ (ઉત્તર-દક્ષિણ) છે. અને મિત્રો એક ખુબ જ રહસ્યમય વાત તો એ છે કે, અજી આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય દુર દુર સુધી પણ ગ્રેનાઈટ જોવા મળતો નથી. અને ભૂતકાળમાં પણ મ્નાલ્યો હોય તેવા પણ કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. તો ઘણી વખત એવો પણ સવાલ થાય કે આત્લાસ બધા ગ્રેનાઇટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતે અહી સુધી આવ્યા હશે ? અને આ સાથે શિખર પરનો એ ૮૦ ટન વજનનો ભીમકાય પથ્થર પણ ક્યાંથી આવ્યો હશે?

મિત્રો, આ બાબતો વિચારીને જ જાણ થઇ જાય કે આ મંદિર એ કેટલું પ્રાચીન અને કેટલું બધું મહત્વનું છે. અને આ બાબતે તો હજુ સુધી કોઈ જ ખાસ અને સંતોષકારક ખુલાસો થયો નથી. અને માટે જ આ અત્યારસુધી રહસ્ય જ છે એમ માની લેવામાં આવે છે. અને એક ખાસ વિશેષતા તો એ છે કે આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરમાં પડછાયો એ જમીન પર પડતો નથી.

જાણીને સાચું નહી લાગે પણ ખરેખર એવું માનવામાં આવે છે કે, આ મંદિરનો પડછાયો પડતો નથી. આમ ચોલા રાજવંશના શાસન દરમિયાન સ્થાપત્યની શ્રેષ્ઠ સિદ્ધિઓમાંની આ એક છે. અને સાથે સાથે આ તે ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે. ગોપુરમનો પડછાયો જમીન પર પડતો નથી ગોપુરમનો પડછાયો જમીન પર પડતો નથી આ મંદિરની બીજી વિશેષતા એ છે કે ગોપુરમની છાયા (દક્ષિણ ભારતના મંદિરના મુખ્ય દરવાજા પર સ્થિત પિરામિડનો આકાર) જમીન પર પડતો નથી.

ગર્ભગૃહની દિવાલોમાં બધી દિવાલો પર ભીંતચિત્રો છે, જેમાં ભગવાન શિવના વિવિધ આસનો દર્શાવવામાં આવ્યા છે. પ્રાચીનકાળના વિભાગે પહેલાની જેમ જ બનાવ્યું પુરાતત્ત્વ વિભાગે ભીંતચિત્રની જેમ જ અંદર બાંધ્યું તેવું મ્યુરલ પેઇન્ટિંગ્સ જેમાં ભગવાન શિવ અસુરના કિલ્લાઓનો નાશ કરીને નૃત્ય કરી રહ્યા છે અને એક ભક્તોને સ્વર્ગમાં લઈ જવા માટે સફેદ હાથી મોકલી રહ્યા છે. ભારતીય પુરાતત્ત્વીય સર્વેએ એક હજાર વર્ષ જુના ચોલા ફ્રેસ્કોઝને પુનર્સ્થાપિત કરવા માટે ડી-સ્ટુકો પદ્ધતિનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ્સનું પુનર્ગઠન કર્યું છે.

સ્વર્ણકળશ એ તેની ટોચ પર સ્થિત છે. અને જે ટોચ પર સ્થાપિત છે તે ફક્ત એક જ પથ્થરની કોતરણી દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનું વજન 80 ટન છે. એવું કહેવામાં આવે છે કે આ કલમ સુધી પહોંચવા માટે છ કિલોમીટર લાંબી રેમ્પ બનાવવામાં આવી હતી. આ મંદિરની નિર્માણ કળાની મુખ્ય વિશેષતા એ છે કે બપોરે મંદિરના દરેક ભાગની છાયા જમીન પર દેખાય છે. જો કે, તેના ગુંબજની છાયા પૃથ્વી પર આવતી નથી. લોકો શા માટે આવું થાય છે તે સમજવું હજી એક રહસ્ય છે?

મિત્રો, આ મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવી છે, અને દેવી-દેવતાઓના મનોહર શિલ્પો બનાવવામાં આવ્યા છે. અહીં ગોપુરમ્ (મુખ્ય પ્રવેશદ્વાર)ની અંદરની તરફ એક ચબૂતરા પર શિવજીના વાહન ગણાતા નંદીની મૂર્તિ સ્થાપિત છે. આખા ભારતમાં વિશાળતાની દ્રષ્ટિએ આ નંદીનો લગભગ બીજો નંબર આવે છે. આ નંદીની મૂર્તિ એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે. આ નંદીની પ્રતિમાનો લંબાઇ-પહોળાઇ-ઉંચાઇનો રેશિયો ૬ : ૨.૬ : ૩.૭ મીટરનો છે.

બીજી એક ખાસ વાત એ છે કે અહીં આજુબાજુમાં ક્યાંક દૂર સુધી પણ ગ્રેનાઇટ નથી મળતો, તેમજ ભૂતકાળમાં મળતો હોવાના કોઈ લક્ષણ પણ મળ્યા નથી. એટલે લોકોને સવાલ એ થાય છે કે, આજથી હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતના અહીં સુધી લાવ્યું હશે? વળી, શિખર પર રહેલો પેલો ૮૦ ટન વજનનો ભીમકાય પથ્થર કઈ રીતે ત્યાં મૂકવામાં આવ્યો હશે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top