અકાળે ખરતા અને ધોળા વાળ, ચામડી અને લીવર ના રોગ જેવા 50 થી વધુ રોગો માટે અમૃત સમાન છે આ વનસ્પતિ, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચોમાસાની સિઝન  માં તળાવ  ની પાળે કે વહેતા પાણી ના ધોરીયા ની પાસે  કે શ્રાવણ માં નદીએ નહાવા જાવ તો એને  કિનારે  સફેદ ફુલ વાળી એક વનસ્પતિ  જોવા મળે છે. ભાંગરો તરીકે જાણીતી વનસ્પતિનો માથામાં નાખવાના તેલમાં ઉપયોગ કરવામાં આવે છે, જે મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે.

આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્યપ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. આજે જાણીએ ભૃંગરાજ કે ભાંગરો કેવી રીતે મદદરૂપ થાય છે. નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર થઈ શકે છે.  ભાંગરાનું શુદ્ધ તેલ વાળના સ્કેલ્પ પર લગાવવું.

વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં એ મદદરૂપ થાય છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ થવાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શેમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન થઈ જાય તો આ તો શેમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે.

ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે.  સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ  હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે. મોઢા કે જીભ ના છાલા, પાંડુ , કામલા, ત્વચા ની વિવર્ણતા કે અકાળે માથા ના વાળ સફેદ  થવા તથા  પિત, ખાંસી કે શ્વાસ જેવા રોગો ની ચિકિત્સા માં ભાંગરા  નો ઔષધીય પ્રયોગ  સફળ રહ્યો  છે.

જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.

ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે. ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવ થી નિખાર તો આવે જ છે અને ખીલના ડાઘ કે કથ્ઈ રંગના ડાઘ પણ દૂર થાય છે.

ડીકલરેશનની સમસ્યામાંથી  જે પસાર થઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચા ના રંગમાં જ વિવિધતા દેખાય. જેમ કે તમે દરરોજ ઘડિયાળ પહેરો છો તો ઘડિયાળના છાયા નીચેની ત્વચા અન્ય ત્વચા કરતાં ગોરી હોય છે. તો આવા ડીકલરેશનને દૂર કરવામાં ભાંગરો આર્શીવાદ સમાન છે.

ઘી માં ભાંગરો નાખીને એને ઉકાળવું. જ્યારે ભાંગરાનો રસ ઘી માં ભળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. આ ઘી ને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો. આવી જ રીતે માાથામાં  નાખવાનું તેલ પણ બનાવી શકાય છે. આંખોમાં ચેપ અને દુખાવો છુટકારો મેળવવા, ભાંગરા નો રસ બનાવવામાં આવે છે. તે આંખોની દૃષ્ટિમાં પણ વધારો કરે છે, અને ઇજાગ્રસ્ત અને ઘાયલ થયા હોય ત્યાં તેના પર્ણ ની પેસ્ટ મૂકવાથી આરામ મળે છે.

વિટામીન બી -12  લીવરનું તત્વ છે. એટલે તેનો ઉપયોગ લીવરને સુધારવા અને જ્ઞાનતંતુઓનું બળ વધારવા માટે થાય છે. જો તમને કાનની સમસ્યાથી મુશ્કેલી થાય છે, તો કાનમાં ભાંગરા ના પાંદડાનો રસ મૂકો. એ તમને રાહત આપે છે.

ભાંગરો લીવરને સ્વસ્થ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ ઔષધી છે. જેના લીધે કમળાની બીમારી પણ કાબુમાં આવે છે. ભાંગરાનો પ્રાચીન સમયથી જ લીવર અને આંતરડાના રોગમાં ઉપયોગ થતો આવ્યો છે. 10 ગ્રામ ભાંગરાના પાંદડા અને 2 ગ્રામ તીખા વાટીને આ મિશ્રણને છાશમાં નાખીને દિવસમાં બે વાર સેવન કરવાથી કમળો ઠીક થઇ જાય છે. ભાંગરાના રસમાં 5 ગ્રામ મરીનું ચૂર્ણ દહીંમાં ભેળવીને પીવાથી 7 દિવસમાં કમળી મટી જાય છે.

ભાંગરા માં લોહ તત્વ સારા પ્રમાણ માં હોય છે. હાથીપગો કે એલિફેંટેયાસિસ થાય ત્યારે તલના તેલની સાથે ભાંગરા ના પત્તાનો રસ મેળવીને પગ ઉપર લેપ કરવાથી ફાયદો થાય છે. એસીડીટી થાય ત્યારે ભાંગરા ના છોડને સૂકવીને ચૂરણ બનાવી લેવામાં આવે અને હરાના ફળોના ચૂરણ સાથે સમાન માત્રામાં લઈને ગોળની સાથે સેવન કરવામાં આવે તો એસીડીટીની સમસ્યાથી તરત જ છુટકારો મળી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top