સૌથી અમૂલ્ય ઔષધિ છે અળસી, શરીરની અનેક સમસ્યાને ઉખાડી ફેંકશે બહાર, ફાયદા જાણીને હેરાન થઈ જશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ પૃથ્વી પર એવી ઘણી વસ્તુઓ અસ્તિત્વમાં છે, જે ઘણા ગુણોથી ભરેલી છે. આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ હજી પણ તેમના ફાયદાથી અજાણ છીએ. ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પડવી જોઈએ. માંસહતી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીર ને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસી નો ઉપયોગ કરવો જોઈએ. અળસીમાં વિટામિન બી ૧, બી ૨, બી ૬, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કોપર, આયર્ન, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ સોડિયમ, ઝિંક વગેરે ખનિજો હોય છે જે શરીરને મજબૂત અને રોગમુક્ત બનાવે છે.

કેન્સર સામે સુરક્ષા :

અળસી નું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકીએ છીએ. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.

હૃદય ની બીમારી થી બચાવે :

અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે અને હ્રદય ની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી.અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

ડાયબિટિસ ને કાબુમાં રાખે :

અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

કફમાં રાહત :

૧૫ ગ્રામ અળસીના બીજને ક્રશ કરી , પાંચ ગ્રામ મુલેઠી, ૨૦ ગ્રામ મિશ્રી , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે. અને રાહત મળશે.

વજન ઘટાડવા માટે :

અળસી માં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે.ઘણા લોકો ને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. તેવા લોકો ને અળસી નું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસી નું સેવન કરવું જોઈએ. અને બરાબર ચાવીને સેવન કરવું જોઈએ.

પાચનતંત્ર માં સુધારો :

જો તમારી પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાત ની સમસ્યા હોય છે. અળસી નું સેવન કરવાથી પાચનશક્તિ માં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.

અસ્થમા ના દર્દી માટે :

અસ્થમાના દર્દી ને અળસી રાહત આપે છે. તેના માટે અળસી ના બીજ ને વાટી ને તેમાં પાણી મિક્સ કરી લેવું. પછી આ પાણી ને ૧૦ કલાક મૂકી રાખવું.આ પાણી નું દિવસ માં ત્રણ વાર સેવન કરવાથી અસ્થમાના દર્દી ને રાહત થશે. સાથે સાથે ઉધરસ માં પણ રાહત થાય છે.

સ્કિન અને વાળને સુંદર બનાવે :

અળસી ના સેવન થી ત્વચામાં ચમક,વાળની સુંદરતા બન્ને માટે લાભદાયી છે.તેના માટે પણ રોજ બે ચમચી અળસી નું સેવન કરવું જોઈએ. અળસી માં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે.

કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે :

અળસી માં ફાયબર નું પ્રમાણ હોય છે. જે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ હોય તેને ઓછુ કરે છે.સાથે સાથે હાઈ બ્લડપ્રેશર માં પણ રાહત આપે છે.

મહિલા ના હોર્મોન્સ સંતુલિત કરે :

અળસી માં ફાઈટોએસ્ટ્રોજન રહેલા હોય છે. જેના કારણે મહિલાઓને લાભ થાય છે. સ્ત્રીઓને માસિકના સમયે હોર્મોનલ માં ફેરફાર થતા હોય છે. જેના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે.માસિકમાં અકળામણ,અનિયમિત રક્તસ્ત્રાવ ,કમર અને પેડુ નો દુખાવો,યોની શુષ્ક જેવી સમસ્યા થી રાહત થાય છે.

સાંધાના દુખાવા માં રાહત :

અળસી સાંધાની દરેક તકલીફો માં અસરકારક છે. તેના નિયમિત સેવનથી લોહી પાતળું બને છે. જેના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. અને પીડા માંથી રાહત થાય છે. સાંધાના દુખાવામાં અળસીના પાઉડર ને સરસિયાના તેલની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડી સાંધા પર લગાવવું . તેનાથી રાહત મળશે.

અળસી થી થતા નુકશાન :

જો તમને હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસ ની દવા રાખવાની દવા લેતા હોય તો અળસીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. વધારે પ્રમાણ માં સેવન કરવાથી નુકશાન થાય છે. જો તમને પાઈલ્સ ની સમસ્યા હોય તો અળસી નું સેવન કરવું જોઈએ.અળસી ખાધા પછી વધારે માં વધારે પાણી પીવું. અળસીમાં વધારે પ્રમાણમાં ફાયબર હોવાથી,જો પાણીની કમી હશે તો પેટમાં ગેસ,એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top