સ્ત્રીઓ ના દરેક પ્રકારના રોગ, ગુમડા અને અસ્થમા માટે રામબાણ છે આ વૃક્ષ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આસોપાલવ ના પાંદડા અને છાલ નો દવાઓ તરીકે પણ વપરાય છે. તેને આયુર્વેદમા એક હેમ્પશપ અને તમરા પલ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પીરીયડ એ વધુ પ્રમાણમાં હોય અને તો સમય પ્રમાણે ન આવે તો પછી તમારે આ આસોપાલવની છાલને પીસીને તેમાં સમાન માત્રામાં થ્રેડેડ સુગર કેન્ડી મિક્ષ કરીને તેને દિવસમાં ઓછામાં ઓછું ૩ વખત ખાવું જોઈએ.

આસોપાલવની છાલ લ્યુકોરેઆ તથા પીરિયડ્સમાં મદદગાર છે. આ સફેદ લ્યુકોરિઆ અને તો સફેદ સ્રાવની તકલીફ હોય અને જો મંથલી પીરીયડ એ અમર્યાદિત હોય તો આ આસોપાલવ ના ઝાડની છાલનો ઉકાળો ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

ગુમડા થતા હોય એવા લોકોને આસોપાલવની છાલને એક પાણીમાં ઉકાળીને અને તેની પેસ્ટ બનાવી અને તેને પેસ્ટની જેમ લગાવવી જોઇએ. આ પેસ્ટમા સરસવનુ તેલ એ મિક્સ કરી અને તેને અસરગ્રસ્ત વિસ્તારમા લગાવો તેનાંથી ગુમડા અને પિમ્પલ્સમા પણ તમને રાહત આપશે તેને ચહેરા પર તેને લગાવવાથી તમારો ચહેરો એ સુધરે છે અને વૃદ્ધત્વની અસર તમને ઓછી થાય છે.

આસોપાલવ ની છાલમાંથી બનાવેલ ઉકાળો પીવાથી પેશાબનો અવરોધ દૂર થાય છે. છાલને પીસીને બે કપ પાણીમાં ઉકાળો, જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ઠંડુ થઈ જાય પછી દર્દીને આપો. આવું દિવસમાં એકવાર પીવાથી પેશાબની અવરોધ દૂર થાય છે.

આસોપાલવની છાલ ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. આસોપાલવ ઝાડની છાલ, બદામ, હળદર અને કપૂર બરાબર પીસી લો અને તેને ઉકાળાની જેમ ચહેરા પર લગાવવાથી ચહેરાની બધી કરચલીઓ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.

અશોકારિષ્ટનો મુખ્ય પ્રભાવ ગર્ભાશયની ઉપર થાય છે. ગર્ભાશયના દોષો દૂર કરી તે ગર્ભાશયને બળ આપે છે અને તેના ઉપયોગથી ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.

વૈદ્યો અશોકારિષ્ટનો ઉપયોગ આર્તવ-માસિક સંબંધિત વિભિન્ન સ્ત્રીરોગમાં કરે છે. અશોકારિષ્ટ બનાવવાની રીત આ લઘુલેખમાં આપી શકાય તેમ નથી, પરંતુ વાપરનારે સારી ફાર્મસીનું અશોકારિષ્ટ લાવીને વાપરવું.

મોસમના પરિવર્તન થી થતી શરદી ઉધરસને દૂર કરવા માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક છે. આ માટે પીપળાના 5 પાનને દૂધ સાથે ઉકાળી લો.હવે તેમાં ખાંડ ઉમેરીને સવાર- સાંજ પીવાથી રાહત મળે છે.

અસ્થમાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે પીપળા નું વૃક્ષ એ અચૂક ઔષધિ છે.આ માટે,પીપળાની છાલનો અંદરનો ભાગ બહાર કાઢી ને તેને સૂકવવું પછી તે સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવો અને આ ચૂર્ણને પાણી સાથે અસ્થમા ધરાવતા વ્યક્તિઓ એ પીવાથી ખૂબ લાભ થશે.

પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ગ્લાસમાં ઉકાળો.ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધા ના રહી જાય તેના પછી ઠંડુ કરી ને ગાળી લો.આ કાઢાને દિવસ માં 3 વાર પીવો. તો હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.

માસિકસ્રાવ વખતે તેને પેડૂમાં અસહ્ય દુખાવો થતો હોય છે. એ વખતે શિરઃશૂળ, કટિશૂળ, ઊબકા, ઊલટીઓ પણ થાય છે. આવી સ્ત્રીઓ ત્રણ-ચાર મહિના અશોકારિષ્ટનો ઉપયોગ કરે તો ઉત્તમ પરિણામ મળે છે.

સ્ત્રીઓને માસિક વખતે અતિ રક્તસ્રાવ થતો હોય અને સાથે કબજિયાત પણ રહેતી હોય તથા વિભિન્ન કારણોથી સફેદ પાણી પડતું હોય તેમણે તે રોગનાં મૂળભૂત કારણોને દૂર કરતાં ષધો સાથે અશોકારિષ્ટનું સેવન ઉત્તમ પરિણામ આપે છે.

અશોકારિષ્ટ વિભિન્ન રોગોમાં મધ્યમ કદના અડધાથી એક કપ જેટલો એમાં એટલું જ પાણી ઉમેરી સવારે, બપોરે અને રાત્રે પીવો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here