ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
શું તમે જાણો છો કે દહીંનું સેવન કરવું દરેક માટે ફાયદાકારક સાબિત થતું નથી. કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમના માટે દહીંનું સેવન હાનિકારક છે. તેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કયા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.
આ લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
જ્યારે સંધિવાની બીમારી હોય ત્યારે
દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાની મજબૂતી માટે ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો કોઈને સંધિવા ની બીમારી હોય તો તેમણે દહીંનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી સંધિવા ના રોગમાં દુખાવાની તકલીફ વધી જાય છે.
જ્યારે તમેને એસિડિટી ની તકલીફ થાય છે ત્યારે
દહીં ખાવાથી પેટને ઠંડક મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને એસિડિટીની સમસ્યાઓ હોય, તો તેણે દહીંનું સેવન ન કરવો જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી એસિડિટીની તકલીફ વધુ તીવ્ર બની શકે છે.
અસ્થમા ના દર્દીઓ માટે
અસ્થમાવાળા દર્દીઓ એ દહીંનો વપરાશ ન કરવો જોઇએ. કારણ કે તેનો વપરાશ કફમાં વધારો કરે છે. તેથી દહીં ખાવું અસ્થમા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.
લેક્ટોઝ ઇન્ટોલરેસ ધરાવતા દર્દીઓ માટે
લેક્ટોઝ ઇન્ટોલરેસ વાળા દર્દીઓએ દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જો લેક્ટોઝઇન્ટોલરેસ ના દર્દીઓ દહીંનો ઉપયોગ કરે તો, તે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.
રાત્રે વપરાશ ન કરો
ઉનાળાની ઋતુમાં ઘણીવાર લોકો રાત્રે પણ દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ રાત્રે દહીં ભૂલથી પણ ન ખાવું જોઈએ કારણ કે દહીંમાં ખટાશ અને મીઠાશ બંને હોય છે, રાત્રે તે ખાવાથી કફ દોષ વધે છે. ખાસ કરીને નબળા પાચન તંત્રવાળા લોકોએ રાત્રે દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
જ્યારે શરદી હોય ત્યારે
જો કોઈની શરદી ની ફરિયાદ હોય, તો તેણે સાંજ પછી દહીંનો વપરાશ ન કરવો જોઈએ. કારણ કે સાંજ બાદ દહીં ખાવાથી શરદીમાં વધારો થઈ શકે છે. કારણ કે દહીં ઠંડુ હોય છે.