મધમાખી અને વીછી જેવા ઝેરી જીવજંતુના ડંખ જરા પણ દર્દ વગર મટાડવા લગાડી દ્યો માત્ર આ બે વસ્તુનું મિશ્રણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાપ, વીંછી, મધમાખી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો પણ ખતરો રહે છે. આ સમયે ઉપચાર માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાય અપનાવવા બહુ જરૂરી બની જાય છે. જો ઉપચારને તરત જ કરવામાં આવે તો જીવજંતુઓના કરડવાથી થતો દુઃખાવો, સોજો, ઝેર ફેલાવવું વગેરે સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે.

જો વીંછી કરડયો હોય તો, વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે. વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે. વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

મધમાખીના કરડવા પર ઠંડુ પાણી ખુબ ફાયદાકારક હોય છે. ડંખ લાગવા પર ડંખ વાળી જગ્યાને તરત ઠંડા પાણીમાં ઓછામાં ઓછું ૫ મિનિટ માટે રાખો. ઠંડક રક્ત વાહિકાઓ ને સંકોચે છે અને બળતરાને શાંત કરી દે છે. મધમાખીના ડંખ મારવા પર ડંખ વાળા હિસ્સા પર બરફને કપડામાં બાંધીને લગભગ ૧૦ મિનિટ માટે હલકું હલકું લગાવો આનાથી તમને તરત રાહત મળશે.

મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે. મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે. મધ પણ પોતાના એન્ટી-બેક્ટીરિયલ ગુણોના કારણે મધમાખી ના કરડવા પર તેનાથી થવા વાળા ડંખ ના અસરને ખતમ કરી નાખે છે. આના માટે ડંખ વાળા હિસ્સામાં મધને સારી રીતે લગાવી દો.

ગલગોટાનાં ફૂલ ના રસમાં એન્ટીફન્ગલ તત્વ જોવા મળે છે. આનો ઉપયોગ મધમાખી ના ડંખ પર કરવાથી ડંખ થી થનારી બળતરા અને સોજા ને ઓછું કરી શકાય છે. આના ફૂલના રસને મધમાખી ના ડંખ વાળા હિસ્સા પર સીધું લગાવવાથી લાભ મળે છે.

સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે. તેનું ઝેર ઉતરે છે. મધમાખીના ડંખ થી ફેલવા વાળું ઝેર ઓછું કરવામાં ટૂથપેસ્ટ પણ મદદ કરે છે. આના માટે મધમાખીના ડંખ વાળી જગ્યાને પુરી રીતે ટૂથપેસ્ટથી લેપ કરીને ઢાંકી લેવું જોઈએ. આ ઉપાયને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર વાર કરો.

કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર ઓછી થાય છે. કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે. અને ઝેરની અસર થતી નથી.

સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે. વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે. મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top