વગર દવાએ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનો આ છે સૌથી આસાન અને અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તરબૂચની જેમ તેના બીજ પણ ઘણી બધી બીમારીઓથી બચાવે છે. તે ડાયાબિટીઝ, હૃદયરોગ, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. તરબૂચના બીજમાં ખૂબ કેલરી જોવા મળે છે. આ બીજમાં પોટેશિયમ, કોપર, સેલેનિયમ અને ઝીંકનું પ્રમાણ વધુ હોય છે. આજે અમે તમને તરબૂચના બીજના ફાયદા વિશે જણાવવા જઇ રહ્યાં છે.

તરબૂચનાં બીજમાં પ્રોટીન અને વિટામિન બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કાચા બીજ ખાવાને બદલે, તેને શેકીને ખાઈ શકો છો. તે પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. જ્યારે પણ તમે ખાવ છો, આ બીજને બરાબર ચાવો અને ખાવ, નહીં તો તમારા માટે તે પચવામાં ખૂબ મુશ્કેલ રહે છે. ગરમીની સીઝન એટલા માટે ખાસ હોય છે કારણ કે આ સીઝન દરમિયાન કેરી, લીચી અને તરબૂચ જેવા રસદાર ફળો ખાવા મળે છે.

તરબૂચ ગરમીમાં લૂ લાગવા અને બીમાર પડવાથી પણ બચાવે છે કારણ કે તરબૂચમાં 92-93 ટકા સુધી પાણી હોય છે. સાથે જ તેમાં વિટામીન સી, વિટામીન એ અને પોટેશિયમ સહિત ઢગલાબંધ પોષકતત્વો પણ જોવા મલે છે. તેથી સ્વાસ્થ્ય માટે પણ તરબૂચ ખૂબ જ લાભકારક હોય છે.

તરબૂચના બીજમાં કૉપર, મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે જ બોનડેંસિટીમાં પણ સુધાર લાવવામાં મદદ કરે છે. તરબૂચના બીજને સુકવીને ખાવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટે છે. તરબૂચના બીજમાં મેગ્નેશિયમ રહેલુ છે જે હાઇપરટેંશનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

હાઇબ્લડ પ્રેશરનો સીધો સંબંધ હ્રદય રોગ સાથે હોય છે. નિયમિત રૂપે આ બીજનું સેવન કરવાથી બ્લડ પ્રેશન કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્ધી રહે છે. જેને જાણ્યા બાદ તમે ક્યારેય તરબૂચના બીજને ડસ્ટબિનમાં ફેંકવાની ભૂલ નહીં કરો. તરબૂચના બીજમાં કેલરી બિલકુલ નથી હોતી અને તેમાં ઝિંક, આયરન, ફોલેટ, પોટેશિયમ જેવા ન્યુટ્રિએંટ્સ હોય છે.

તરબૂચના બીજ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ લાભકારક માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે કાળા રંગના આ નાનકડા બીજ બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક સારો ઓપ્શન છે. હૃદય સંબધી બીમારીઓ ને રોકવા માં પણ તરબૂચ એક રામબાણ ઉપાય છે. આ હૃદય સંબંધી બીમારી ને દુર રાખે છે. આ કોલેસ્ટ્રોલ ના લેવલ ને નિયંત્રિત કરે છે, અને આ બીમારી નો ખતરો ઓછો થઈ જાય છે.

તરબૂચના બીજ ખીલ અને ચહેરા પર વધતી ઉંમરના નિશાન જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે. તેને સૂકવીને અને શેકીને ખાવાથી સ્કિન અંદરથી હેલ્ધી અને ગ્લોઇંગ બની શકે છે. સાથે જ બીજમાં મળતા ન્યૂટ્રિએંટ્સ વાળની ક્વોલિટી સુધારવામાં પણ મદદ કરે છે અને હેર ફૉલની સમસ્યા દૂર થાય છે.

તરબૂચના બીજમાં વિટામીન ની પ્રચુત માત્રા હોવાને કારણે આ શરીરની ઈમ્યુન સીસ્ટમ ને પણ સારી રાખે છે. તેમજ વિટામીન એ આંખ માટે સારું છે. તરબૂચના બીજ વજન ઘટાડવામાં પણ ઘણા મદદગાર હોય છે. તેમાં ખુબ ઓછી કેલેરી હોય છે, માટે તરબૂચ સાથે તેના બીજને પણ જરૂર ખાવા જોઈએ. તરબૂચના બીજમાં ઓન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ચેહરા પરની કરચલીની સમસ્યાને રોકવા માટે ઉપયોગી છે.

તરબૂચ ત્વચા માં કોલેજન ના ઉત્પાદન ને વધારવામાં મદદ કરે છે. જેનાથી ત્વચા ની ચમક માં સુધારો આવે છે. તરબૂચ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર માં પાણી ની અછત રહેતી નથી. તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. તરબૂચ ના બીજ ને પીસીને ચહેરા પર લગાવવાથી સુંદરતા આવે છે. સાથે જ આનો લેપ માથા ના દુખાવા માં પણ આરામ આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top