વગર દવાએ હીસ્ટીરીયા, ઉલટી, કમરનો દુઃખાવો, અપચો, આફરો, કફના રોગોનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ મોટાભાગની સ્ત્રીઓને યૌવનથી લઈ પ્રદર, માસિક, નબળાઈ જેવા રોગોની ફરિયાદો હોય છે. આ માટે સ્ત્રી રોગને લગતા કોઈ પણ નિવારણો આપણાં જ ઘરમાં રહેલા છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું. સ્ત્રી રોગમાં આયુર્વેદિક ઉપચારો એક અકસીર દવા છે, જે તમને અનેક સમસ્યામાં રાહત આપે છે. હવે અમે તમને જણાવીશું અલગ અલગ સ્ત્રીરોગના ઉપચારો વિશે.

સ્ત્રીઓને માસીક વખતે ખુબ પીડા થતી હોય કે માસીક બરાબર ન આવતું હોય તો તલ ખાવા એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવા અને પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાંખી પીવાથી માસીક સાફ આવે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસીક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.

સુવાવડમાં તાવ અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સુંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે. જીરા અને સાકરનું ચુર્ણ પાવલીભાર ચોખાના ઓસામણમાં પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર મટે છે. લવીંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટી મટે છે.

ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલી મેથીનો લોટ નાંખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી આવે છે.

માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે. લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે. એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. ધીમાં શેકેલીહીંગ, ઘી સાથે ખાવાથી સુવાવડીસ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે છે.

ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે. પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે. આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોનીનો દાહ મટે છે. જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.

સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સાફ આવે છે કમર દુઃખતી નથી અને ખાધેલાનું પાચન થાય છે. હીંગની ઘુમાડી પ્રસવ સમયે જનન અવચવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. ઘઉંની સેવને પાણીમાં બાફી તે પાણી કપડાથી ગાળી લઈને ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્ખું ઘી નાંખીને પ્રસવ થવાને તૈયાર સ્ત્રીને પાવાથી પ્રસુતી સરળતાથી અને જલ્દી થાય છે.

ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે. જે સ્ત્રીઓને પુરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે. તુવેરની દાળનો સુપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.

અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના રોગો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે. ધાણાનું ચુર્ણ પા તોલો અને સાકર એક તોલો ઓસામણમાં પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટી મટે છે. તલ, જવ અને સાકરનું ચુર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

સુવાવડી સ્ત્રીને ક્યારે ધાવણનો વેગ ચઢી જતાં, કોઈ વાર સ્તનનો સોજો આવે છે અને  થાય છે તેના પર નાગરવેલનું ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છુટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને પીડા મટે છે. નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓને ઉબકા અને ઉલટી મટે છે.  તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે. કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પુરેપુરી શુદ્ધી થાય છે.

સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દુખાવો જેટલો થવો જોઈએ એટલો થતો નથી તે વખતે બને તેટલો જુનો ગોળ 30 થી 40 ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી પ્રસવ થાય છે. રોજ સવારનાં એક લવીંગ 40 દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી. પાકું કેળુ અને ઘી સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top