શિયાળામાં જરૂર કરો આનું સેવન, દરેક બીમારીમાં છે ફાયદાકારક, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મિત્રો હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જાઈ છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. અલબત તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે. આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે. જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે લાડુ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.

કમરમાં દુખાવો :

મિત્રો આ ગુંદ ખાવાથી લોકોને કમરના દુખાવામાં રાહત મળે છે અને તેના માટે તમારે ફક્ત બાવળની છાલ અને ગુંદરને પીસવું છે અને દિવસમાં ત્રણ વખત પાણી સાથે તેનું સેવન કરવાથી જલ્દી જ તમને ફાયદો થશે તેમજ બાવળની છાલ, તેનુ ફળ અને ગુદ ને બરાબર માત્રામાં મેળવી પીસી લો અને ત્યારબાદ દિવસમાં ત્રણ વખત એક ચમચી જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો ગમે તેવા કમરના દુખાવા માંથી છુટકારો મળે છે.

ઝાડા ઉલ્ટીમાં :

જો તમને તાપને કારણે ચક્કર આવે છે અથવા ઉલ્ટી થતી આધાશીશી લાગે છે તો પછી તમે આ ગુંદ ખાઓ જેનાથી તમને આનો જલ્દી લાભ થશે અને આ માટે, અડધો ગ્લાસ દૂધમાં ગમ ઉમેરો અને ખાંડની કેન્ડી ઉમેરીને તેનું સેવન કરો તેમજ ત્રણ ગ્રામ થી માડી છ ગ્રામ જેટલા બાવળ નાગું અને દિવસમાં સવાર-સાંજ પાણીની સાથે પીવામાં આવે તો ઝાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક :

ગુંદરના લડ્ડુ સ્તનપાન કરાવતી મહિલાઓને પરંપરાગત રીતે ખવડાવામાં આવે છે. તેનાથી દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલા બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક ઘટકો મળે છે.

ડાયાબિટીસમાં :

મિત્રો ડાયાબિટીસ દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને જો આ સ્થિતિનો ઉપચાર ન કરવામાં આવે અથવા અવગણવામાં આવે તો, ડાયાબિટીઝની સ્થિતિ અનિયંત્રિત અને જીવલેણ સ્વરૂપ લઈ શકે છે તેમજ ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ ડિસઓર્ડર અને સ્ટ્રોકનું જોખમ બેથી ચાર ગણા વધારે છે અને તેના ઉપાય માટે તમે ત્રણ ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે.

પીરિયડ :

મોટા ભાગની મહિલાને પીરીયડસ દરમિયાન દુઃખાવો, લ્યુકોરિયા, ડીલેવરી પછી નબળાઈ અને શારીરિક અનિયમિતતા જેવી સમસ્યા થતી હોય છે તો તેઓએ ગુંદર અને સાકર સરખા ભાગે ભેળવીને કાચા દૂધ સાથે ખાવ.

પેટ અને આંતરડાના ઘાવ :

બાવળ ના ગુંદ ને પાણીની અંદર પલાળી રહી પેટ અને આંતરડા ની આસપાસ ચોપડવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે તેમજ આ સમય દરમિયાન ગુંદ ને ગરમ કરો અને ખાઓ અને જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગુંદ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

શક્તિવર્ધક :

જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગમ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે અને આ માટે દરરોજ અડધો ગ્લાસ દૂધ ગમ સાથે મિક્ષ કરીને પીવું જોઇએ અને જો તમારા શરીરમાં એનિમિયા છે, તો પછી ગુંદરનો ઉપયોગ એ રામબાણતા સાબિત થાય છે તો બાવળ ના ગુંદ ને ઘી સાથે ભેળવી તેના કરતા બમણી માત્રામાં ભેળવી દરરોજ સવારમાં ૨૦ ગ્રામ જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર શક્તિમાં વધારો થાય છે.

લોહીનો અભાવ :

ગુંદરના લાડુ, પાંજેરી અથવા ચીકીનો સેવન કરવાથી શરીરમાં લોહીનો અભાવ જોવા મળે છે. આ સિવાય તેના લાડુઓનું સેવન શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે.

માથાનો દુખાવો :

મિત્રો જો તમે ઘણા સમય થી માથાના દુખાવા થી પરેશાન છો અને ઘણી દવા સાથે તમને સારુ નથી લાગતુ તો તેના માટે તમે બાવળના આ ગુંંદ નો ઉપયોગ કરી શકો છો અને તેના ઉપયોગ માટે તમે પાણીની અંદર બાવળ ના ગુંદ ને ઘસી લઇ માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

ઉધરસ માટે :

આ ઋતુ માં મોટે ભાગે ઉધરસ અને શરદી ની સમસ્યા થતી હોય છે તો ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે. તે એક પાણીમાં દ્રાવ્ય કુદરતી ગુંદર છે તેમજ આ ગુંદ લોહી, કફ,ઉધરસ, શુષ્કતામાં ફાયદાકારક છે તેમજ તેમા પોષક તત્વો તરિકે ફોલિક એસિડ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને તેનો ઉપયોગ કબજિયાત, ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે તેમજ બાવળના ગુંદ ને મોંમાં રાખવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

દાઝયા પર:

મિત્રો આપણે ઘણીવાર કોઈ ગરમ વસ્તુ થી દાઝી જઇએ છે અને આપણને આ સ્થિતિમા શુ કરવુ તેની કઇપણ ખબર હોતી નથી તો મિત્રો તેના ઉપાય માટે તમે બાવળના ગુંદ ને પાણીની અંદર પલાળી શરીરમાં જે ભાગમાં દાજી ગયા હોય તે જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

હરસ :

બાવળ નો ગુંદ અને ગેરુના દસ-દસ ગ્રામ ચૂર્ણ અને લઈ તેને બરાબર પીસી લો. ત્યારબાદ તેના એકથી બે ગ્રામ જેટલાં ચૂર્ણને ગાયના દૂધની સાથે બે થી ત્રણ અઠવાડિયા સુધી પીવો. આમ કરવાથી તમારા હરસની સમસ્યામાં રાહત મળે છે.

હ્રદયના રોગ દૂર કરવા :

હ્રદયને લગતા બધાજે રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

પ્રેગનેન્સી માટે :

પ્રેગનેન્સીનો સમય એ ખૂબ અગત્યનો સમય છે તો આ સમય દરમિયાન ગુંદર ના સેવનથી મહિલાઓની કરોડરજ્જુ ના હાડકાને મજબુત બનાવે છે. તે ઉપરાંત તેના સેવનથી બ્રેસ્ટ મિલ્કને વધાવવામાં પણ મદદ કરે છે.

કબજિયાત માટે :

જે લોકો ને રેગ્યુલર કબજિયાત અને એસીડીટી ની તકલીફ છે તેઓએ ૧ ચમચી ગુંદર નું સેવન કરવું જોઈએ, રોજ એક વખત તેનું સેવન કરવાથી તમારી કબજિયાત ની તકલીફ દુર થઇ જશે.

ઇમ્યુનિટી વધારવા :

જો શરીર માં પૂરતી માત્ર માં રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય તો કોઈ પણ રોગ થવાની શક્યતા રહે છે તેથી સવારે દૂધ સાથે ગુંદર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તમે કેન્સર, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top