વગર દવાએ માત્ર 5 મિનિટમાં પેસોટીના દુખાવા માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી છે. ઘણી વાઅર નાભિ તેમની જગ્યાથી ખિસકી જાય છે, જેને અંબોઈ ખસી જવી કે પિચોટી કે નાભિ ખસી ગઈ પણ કહે છે. તેનાથી પેટમાં દુખાવો, ગૈસ, ભૂખ ન લાગવી, પગમાં કંપન, ગભરાહટ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ખોટી લાઈફસ્ટાઈલ, ભૂખ ન લાગવી, એક્સરસાઈજ ન કરવી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે પિસોટી ની સમસ્યા થઈ શકે છે. કોઈ ભારે કામ કરતા સમયે કે રમતના કારણે પણ પીસોટી ખસી શકે છે. અચાનક એક પગ પર ભાર પડતા, સીઢી ઉતરતા સમય કે જમણા-ડાબા નમવાથી પણ પિસોટી ખસી શકે છે.

પિસોટિ ખસવા પર અત્યંત દુખાવો અને જાડાની સમસ્યા થઈ જાય છે. રોગીને પીઠના બળે સૂવડાવે તેમની નાભિને દબાવો. જો નાભિના નીચે ધડકન અનુભવ ન હોય તો એ તેમની જગ્યા પર નહી. પિસોટી ખસી જતાં રોગીને અપચા અને કબ્જની સમસ્યા થઈ જાય છે.

પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે. પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.

નાભી ખસી ગઈ છે કે નહી, આ આપણા પગની મદદથી પણ જાણી શકાય છે. એટલા માટે પીઠના બળે સુઈ જવું, બન્ને પગને ૧૦ ડીગ્રી એંગલ પર જોડો. આમ કરવાથી પણ જો આપના બન્ને પગની લંબાઈમાં અંતર જોવા મળે છે એટલે કે એક પગ બીજા પગથી મોટો છે તો નક્કી નાભી પોતાના સ્થાન પર આવી ગઈ છે.

હવે પુષ્ટિ થવા પર નાભિને ઠીક કરવા માટે ડાબા પગને ધીરે ધીરે ઉપર ઉઠાવો. આ પગને કેટલાક ઇંચ સુધી ધીરે ધીરે થી જ ઉપરની તરફ વધારે ઉઠાવો, લગભગ ૯ ઇંચની ઉચાઇ પર આવ્યા પછી ધીરે ધીરે નીચે લાવીને મૂકી દો ઊંડા શ્વાસ લો. આ જ ક્રિયાને સવારે અને સાંજે ખાલી પેટ કરવાનું રહેશે, એનાથી નાભી પોતાના સ્થાન પર આવી જાય છે.

3-4 દિવસ સવારે સતત ખાલી પેટ સરસવના તેલના ટીંપા નાભિમાં નાખો. તેનાથી નાભિ ધીમે-ધીમે જગ્યા પર આવવી શરૂ થઈ જશે. સૂકા આમળાને વાટીને તેમાં લીંબૂના રસ મિક્સ કરી નાભિના ચારે બાજુ બાંધી રોગીને 2 કલાક જમીન પર સૂવડાવો. દિવસમાં 2 વાર આવું કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે.

જમીન પર રજાઈ પાથરી લો. બાળકોના રમવાનો દડો લઇ લો. ઉંધા સુઈ અને નાભીના મધ્યમાં રાખી દો. પાંચ મિનીટ સુધી આમ જ સુતા રહો. હટી ગયેલી નાભી સરખી થઇ જશે. પછી ધીમેથી પડખું ફરીને ઉભા થઇ જાઓ.

કમરના ભાગે સુઈ જાઓ અને પાદાન્ગુષ્ટનાસાસ્પર્શાસન કરી લો. તેના માટે સુતા રહી ને ડાબા પગને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગનો અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. જેમ નાનું બાળક પગનો અંગુઠો મોમાં નાખે છે. કેટલીક વાર આ આસનમાં રહો પછી બીજા પગથી પણ આ જ કરો. પછી બંને પગથી આ જ કરવાનો અભ્યાસ કરો. ૩-૩ વાર કાર્ય બાદ નાભી સરખી થઇ જશે.

10 ગ્રામ વરિયાળીને વાટીને તેમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરી સવારે ખાલી પેટ ખાવું. 2-3 દિવસ તેનો સેવન કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે. પીસોટિ ને તેમની જગ્યા પર લાવવા માટે તમે પેટના આસન પણ કરી શકો છો. તેનાથી પિસોટી જલ્દી ઠીક થઈ જાય છે.

નાભિ ખસી ગયા બાદ કેટલાક લોકોને ડાયેરિયા થઇ જાય છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચા પત્તી મિક્સ કરીને ઉકાળી લો અને ગાળીને નવશેકી ચા પીઓ. તેનાથી દુખાવો ઓછો થવાની સાથે જ નાભિ તેની જગ્યા પર આવી જશે.

પિચોટી ખસવા પર મસાજ કરવાથી પણ દુખાવાથી પણ રાહત મળી શકે છે. પરંતુ આ મસાજ સામાન્ય મસાજની જેમ નથી હોતું. પરંતુ તેને કોઇ નિષ્ણાંતથી કરાવવું પડે છે. જ્યારે તમે આ પ્રકારની સમસ્યા હોય તો તે દરમિયાન ભારે વસ્તુ ઉઠાવવાથી દૂર રહો. અન્યથા તમારી સમસ્યા વધી શકે છે.

આમળા નો પ્રયોગ પીસોટી  માટે સૌથી સારો માનવા માં આવે છે તેના માટે રોગો ને સુવડાવીને તેની નાભી નાં ચારેય તરફ સૂકા આમળા નો લોટ બનાવીને તેમાં આમળા નો રસ મેળવી ને બાંધી દો અને તેને બે કલાક સીધા જ સુવડાવી રાખો. આ પ્રયોગ દિવસ માં બે થી ત્રણ વાર કરવાથી નાભી પોતાની જગ્યા પર આવી જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top