માત્ર આ ઘરેલુ ઉપચારથી વગર ખર્ચે શિયાળામાં થતાં પગના વાઢિયા 100% ગાયબ થઈ પગ થઈ જશે મુલાયમ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. અને શરીરમાં કેટલીક એવી કેટલીક સમસ્યાઓ છે, જે શિયાળાની ઋતુ ચાલુ થાય એટલે કે ઠંડી ચાલુ થાય એટલે નાની-મોટી સમસ્યાઓ વધારે થાય છે. આ નાની-મોટી સમસ્યાઓ પણ ઘણા બધા લોકો હેરાન પરેશાન થતા હોય છે. સમસ્યા એટલે કે પગની એડીમાં થતા વાઢીયા જેને આપણે દેશી ભાષામાં પગમાં ચીરા પડી ગયા છે, પગ ની ચામડી ફાટી ગઈ છે એમ કહીએ છીએ.

તમે ઘણા લોકોને જોયા હશે કે શિયાળાની શરૂઆત થતા જ કેટલાક લોકોને વાઢીયામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે. અને તેમને ખૂબ બળતરા થતી હોય છે. જે લોકોને શિયાળાની ઋતુમાં દર વખતે વાઢીયાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ શિયાળામાં પોતાના પગની ખાસ તકેદારી રાખવી. રાત્રે સૂતી વખતે ગરમ હૂંફાળા પાણીથી પગ ધોઈ લેવા જોઈએ. અથવા તો ગરમ પાણીની અંદર એક લીંબુ નીચોવી અને પાણીમાં પગ ને 2-5 મિનિટ સુધી ડુબાડીને રાખવા અને પગમાં ભરાયેલો કચરો સાફ કરી લેવો.

પગ સારી સાફ કરીને પગની એડી પર વેસેલિન લગાવી લેવું. આમ કરવાથી આખા શિયાળા દરમિયાન તમારા પગ એકદમ મુલાયમ બની રહેશે અને વાઢિયા પણ નહીં પડે. જે લોકોને પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તે લોકો નિયમિત રીતે વડનું દૂધ લગાવે તો પણ ઘણો ફાયદો થાય છે.

પગના તળિયે ગાયના ઘીનું માલિશ કાયમ કરવાથી વાઢિયાથી બચી શકાય છે. ઉપરાંત આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે. આંખ અને પગની બળતરા ઓછી થાય છે. ઊંઘ એટલી સરસ આવે કે ધીમે ધીમે ઊંઘની ગોળી બંધ થઈ જાય છે.

મીણબત્તીનું જે મીણ આવે છે તે વાઢિયા મટાડી શકે છે. એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો અને બરાબર મિક્સ કરો. બરાબર મિક્સ કરવાથી એક મલમ તૈયાર થશે. આ મલમને રૂ વડે એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

સવારે ગરમ દૂધમાં એક ચમચી સાકર સાથે એક ચમચી ગાયનું ઘી ઉમેરીને પીવાથી વાઢિયા મટે છે. વાઢિયામાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ડોડી, આમળાં જેવાં રસાયન ઔષધો આપવામાં આવે છે. હળદર, તુલસી અને એલોવેરાનો સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.

દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી લેવી. આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે. એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દીવેલને લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરી અને પગના મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાય કરવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે.

કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો, પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.

શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.

જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top