ઊલટી, પિત વધવાથી થતાં દરેક રોગો અને નિસંતાનપણાનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદીય પરિભાષામાં અને સંસ્કૃતમાં મીંઢોળ ને ‘મદનફળ’ કહેવામાં આવે છે. મદન એટલે કામદેવ. કામદેવનું ફળ એટલે મદનફળ.  મીંઢોળનું વૃક્ષ નાના કદનું ઝાડીવાળું હોય છે. ઉંચાઈ ૧૫ ફૂટ જેવી, વૃક્ષો લાંબા કાંટાઓવાળાં હોય છે. જેનાં કાંટાઓ એકથી બે ઈંચ લાંબા-તીક્ષ્‍ણ, સરળ અને ઘૂસર વર્ણના હોય છે.

કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે.આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદે અરૂચિકર હોય છે. મીંઢોળમાં ઊલટી લાવવાનો, સોજાને ટાળવાનો તથા ગ્રાહી ગુણો રહેલા છે અને તેથી તેનો શરદી, સળેખમ, કફ, ગડગૂમડ, આફરો, સોજા, વણ વગેરે પર ઉપયોગ કરવાનું આયુર્વેદિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે.

મીંઢોળ નો  ખાસ ઉપયોગ તો છેક પ્રાચીનકાળથી આજ સુધી આનો ઉપયોગ ઊલટી કરાવનાર ઔષધ તરીકે જ કરતા આવ્યા છે, અને તે યથાર્થ જ છે, નિર્ભયકારક રીતે ઊલટી લાવનાર જો કોઈ ઔષધ હોય તો તે મીંઢોળ જ છે. તેના ફળમાં રહેલા ગર્ભનો વિશેષ કરીને ઉપયોગ કરવા ભલામણ કરે છે. મીંઢોળના ફળનો સૂકો ગર્ભ ઊલટી લાવનાર છે. ફળ ઉપરની છાલ અને બીજા ઘણા ભાગે ઉલટી લાવનાર નહિ પરંતુ રેચ લગાડનાર તથા કૃમિઘ્ન છે અને તે પિત્તની બીમારી તથા બાળકોનાં કૃમિઓ દૂર કરવાને માટે વપરાય છે.

એક પાકેલા ફળનો ગર્ભ ઊલટી લાવવાને માટે પૂરતો છે. ફળમાંથી ગર્ભને જુદો કરી સુકવી, બારીક ખરલ કરીને ઉપયોગ માટે તૈયાર કરી રાખવો. ઊલટી લાવવા માટે આ ભૂકો આપવાનું પ્રમાણ 15 થી 60 ઘઉભાર જેટલું અને 5 થી 10 ગ્રેનની માત્રા મોળ લાવનાર, કફ કાઢનાર અને પરસેવો લાવનાર છે. જો બે ફળનો ગર્ભ આપવામાં આવે તો તત્કાળ એટલે દસ મિનિટમાં ઊલટી થાય છે.

અરડુસીનાં પાંદડાં, ઘોડાવજ, લીમડાની અંતરછાલ, પટોળનાં પાન અને રાયણના ઝાડની અંતરછાલ એ બધું મળી ચાર તોલા લઈ એ બધાના વજનથી સોળગણું પાણી મૂકી ઉકાળતાં ચોથા ભાગનું એટલે સોળ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી ગળી લઈ તેની અંદર મીંઢોળનો ગર્ભ વીસથી પચાસ ઘઉંભાર જેટલો મેળવી પી જવું, જેથી ઊલટી મારફતે કફ અને પિત્તનો નિકાલ થઈ તેઓની વિકૃતિથી થયેલાં દર્દો નાબૂદ થાય છે.

આ પ્રમાણે આજકાલના ચિકિત્સકો તો તેનો ખાસ કરીને માત્ર ઊલટી લાવવાના કાર્યમાં જ ઉપયોગ કરે છે. પરંતુ જડીબુટ્ટીની શોધખોળ કરનારાઓને એ સિવાય તેનો એક મહાન અજાયબ ગુણ અનુભવમાં આવ્યો છે અને તે એ છે કે મીંઢોળના બીજનો ભૂકો આશરે પા તોલા જેટલો લઈ દૂધ, સાકર અને કેસરની સાથે પીવાથી અથવા તો કંસાર સાથે મેળવીને ખાવાથી જે સ્ત્રીને બાળક ન થતા હોય તેને ગર્ભ ધારણ થાય છે.

આ પ્રયોગ ચાલતો હોય ત્યારે ગોળ સાથે મીંઢળનાં બીજની ભૂકી આઠ-દશ રતીભાર મેળવી તેની સોગઠીથી રજોદર્શન અનિયમિત આવતું હોય કે રજોદર્શન સમયે અસહ્ય પીડા થતી હોય તો તે દૂર થઈ માસિક ધર્મ નિયમિત થાય છે અને ત્રણવિદારક ગુણ હોવાથી ગર્ભસ્થાનના સોજા, ચાંદાં વગેરેને ટાળે છે.

સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવાથી નાભિશૂળ મટે છે. રાત્રે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ તૈયાર કરવો. રાત્રે સૂતી વખતે આ લેપ ખીલના ડાઘ પર લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

મીંઢોળમાં આવા અત્યુત્તમ ગુણો હોવાથી જ સંસાર-વ્યવહારમાં સંલગ્ન થતાં નવવધૂ-વર મીંઢોળનો ઉપયોગ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકશે એવી સંજ્ઞા તરીકે જ તેઓના લગ્ન સમયે મદનફળ હાથે બાંધવાની પ્રણાલી પુરાતન કાળમાં ઉત્પન્ન થઈ આજ સુધી ચાલી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top