બાળકોને ખવારવી દ્યો આ 4-5 દાણા એકવાર વાંચેલું જીવનભર નહીં ભૂલે, સાંધાના દુખવા માં 3 દિવસમાં મળશે પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજની વ્યસ્ત અને ફાસ્ટ જિંદગીમાં દરેક લોકો પૈસાની બળતરામાં બાળકો પર ધ્યાન આપી શકતા નથી. અને તેની યાદશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આયુર્વેદમાં એક એવી ઔષધી છે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. અને મગજને ખૂબ જ પાવરફૂલ કરે છે. બુદ્ધિ સુધારવામાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. બુદ્ધિ વધારવા માટે આયુર્વેદમાં માલકાંગણી નો ઉપયોગ ખૂબ જ કર્યો છે. માલકાંગણી ઓના મોટા વેલા થાય છે.

તે ખૂબ જ સુગંધવાળા હોય છે. માલકાંગણી ની વાવણી અષાઢ શ્રાવણ મહિનામાં પાકે છે. અને તેમાંથી કેસરી કલરના બીજ નીકળે છે. માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

માલકાંગણી બુદ્ધિ વધારવા માટે તેમજ પેટના રોગ વાયુ મૂત્રવર્ધક જેવા અનેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. માલકાંગણી નું સેવન રોજ એક બીજથી કરો રોજ એક બીજ વધારતું જવું. ત્રીસમા દિવસે 30 બીજ ગળવા. ત્યારબાદ એક એક બીજ ઘટાડતા જવું. આવું બે મહિના કરવું. આનું સેવન કરવાથી મંદ બુદ્ધિ વાળા અને યાદશક્તિ વધારવી હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

માલકાંગણી ને ચરક સંહિતામાં વાત અને કફ શામક પણ કહી છે. જો લોકોના માથામાં કફ ભરાઈ ગયો હોય તો માલકાંગણી ના તેલ નો ઉપયોગ કરવાથી ભરાયેલો કફ નીકળી જાય છે અને ખૂબ જ ફાયદો થાય છે. માલકાંગણી ને બીજા શબ્દોમાં જ્યોતિષમતી પણ કહેવામાં આવે છે. માલકાંગણી ના સેવન થી ખરજવું, સફેદ દાગ, યાદશક્તિ, સોજા, હરસ, મસા, મૂત્ર રોગ, અપચો જેવી અનેક બીમારીઓમાં થી રાહત મળે છે. અફીણ ખાવાની આદત છોડવા માટે માલકાંગણી એક ઉત્તમ ઉદાહરણ છે.

જે લોકોને ખજવાળની સમસ્યા હોય તે લોકોએ માલકાંગણી ના બીજ ને ગૌમૂત્રમાં પીસીને ખજવાળ આવતા વિસ્તારમાં લગાવવાથી ખંજવાળ તરત જ મટે છે. જે લોકોને વાઈ કે ઇસ્ટરિયાની સમસ્યા હોય તે લોકોએ માલકાંગણી ના તેલમાં કસ્તુરી ભેળવી ચટાડવાથી વાય મટે છે. માલકાંગણી ના તેલ ને નાગરવેલના પાન પર લગાવીને લિંગ પર લપેટી સુઈ જવું અને બે બે બીજને દૂધની સાથે સવાર-સાંજ લેવાથી નપુસકતા માં લાભ થાય છે.

માલકાંગણી ના બીજ ને બે-ત્રણ ટીપા માખણ સાથે ભેળવીને પીવાથી મગજ ખૂબ જ તેજ બને છે. જે લોકો થોડું કામ કર્યા બાદ તરત જ થાકી જતા હોય તે લોકો માટે તો સંજીવની સમાન છે. દસ દિવસ આ પ્રયોગ કરવાથી શરીરનું બધું જ થાક દૂર થઈ જશે. ત્રણ ગ્રામ માલકાંગણી ના બીજ ના તેલ ને દૂધ સાથે સેવન કરવાથી રોકાયેલું માસિક પાછું આવે છે. ઊનાની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગણી ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગણી ગરમ હોવાના લીધે બાળકોની ગ્રહણ શક્તિ વધારે છે. તેમજ જેટલા ચેતાતંતુઓ ને બળ આપે છે.

માલકાંગણી લકવો, સંધિવા, વાના રોગ, બેરી-બારી, ઉધરસ, દમની બિમારી, મૂત્ર રોગ, અપચો, ખજવાળ, હરસમસા, નપુંસકતા, ખરજવું, વ્રણ, સફેદ ડાઘા, સોજા, યાદશક્તિ ઓછી હોવી આ બધી જ તકલીફોમાં ગુણકારી છે. માલકાંગની અફીણ ખાવાની આદતને છોડાવવાની એક ઉત્તમ દવા છે.

પ્રથમ દિવસે માલકાંગણીનું એક બી, બીજા દિવસે 2 બીજ ત્રીજા દિવસે 3 બીજ આ રીતે 21 દિવસ સુધી બીજ વધારતા જવાનું અને પછી તે જ રીતે ઘટાડતા જવાનું. તેના બીજને ગળી જઈ તેના પર દૂધ પી જવાથી મગજની નબળાઈ દૂર થઈ જાય છે. લગભગ 3 ગ્રામ માલકાંગનીના ચૂરણને સવારે અને સાંજે દૂધની સાથે ખાવાથી યાદશક્તિ વધે છે.

યુનાનની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગણી ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગનીનું તેલ પાંસળીઓની પીડા, લકવો, સાંધાના દુખાવા (સંધિવા), સ્નાયુ ના રોગમાં લાભપ્રદ રહે છે. માલકાંગની યાદશક્તિને તિવ્ર બનાવે છે.
લોકો અફીણથી આપઘાત કરે ત્યારે પણ જો વહેલાસર ખબર પડે તો અફીણનું ઝેર માલકાગની પાંદડાંનો રસ પીવડાવીને ઝેર ઉતારી શકાય છે. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા ન હોય ત્યારે માલકાંકણીનું સેવન કરવું જોઈએ.માલકાંગણી ને મરીના પાવડર સાથે મિક્સ કરી દાદર પર માલિશ કરવાથી કેટલાક દિવસમાં દાદર ઠીક થઈ જાય છે.

માલકાંગણી નો રસ ઉકાળેલા પાણીમાં મધ અને દૂધ સાથે પીવાથી અપચો મટાડીને ભૂખ વધારે છે. માથાના વાળમાં ખોડો થાય, વાળ ખરવા માંડે,માલકાંગણી ખોડાને મટાડીને વાળ ખરતા અટકાવે છે. પણ સૌથી કીમતી અસર માનવીના મગજ ઉપર કરે છે. મસાલાવાળા દૂધમાં અમુક ટીપા માલકાંગણી ના તેલના આપી શકાય છે. તેલની કોઈ આડઅસર નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top