લકવાનો રોગ શરીરની સ્નાયુઓ અને મગજનો રોગ છે. જે માણસના શરીરના સ્નાયુમંડળ, સ્નાયુકેન્દ્ર અને મસ્તિક સારૂ તેમજ સ્વાભાવિક દશામાં રહે છે, તેને લકવા ક્યારેય નથી થતો. શરૂઆતથી જ જો પ્રાકૃતિક જીવન પદ્ધતિને અપનાવવામાં આવે તેમજ યોગ્ય ખોરાક લેવામાં આવે તો દરેક પ્રકારના માનસિક તણાવો તેમજ ચિંતાઓથી બચી શકાય તો લકવા થવાની સંભાવના ખૂબ ઓછી થાય છે.
આ બીમારી મોટાભાગે 40થી વધું ઉંમરવાળાને થાય છે. આ એક એવો રોગ છે જે વ્યક્તિને લાચાર કરી દે છે. જેને લકવા થયેલો હોય છે, તેની તરફ જોઈ પણ નથી શકાતું, રોગીની આવી સ્થિતિ થઈ જાય છે. અમે અહીં તમને પેરાલિસિસના સંબંધમાં જાણકારી આપીશું, જે એક લકવા પીડિત રોગી માટે જરૂરી હોય છે, જેમ કે લકવાના લક્ષણ, લકવા થવાના કારણ, તેમની સારવાર માટે આયુર્વેદિક ઘરેલું નુસ્ખા વગેરે.
આ બીમારીમાં રોગીનું અડધું મોં વળેલું થઈ જાય છે. ડોક વાંકી વળી જાય છે. મોઢામાંથી અવાજ નથી નીકળી શકતો. મોઢામાંથી લાળ પડવા લાગે છે. જ્યારે પણ શરીરમાં લકવા થવા લાગે છે તો શરીરની સ્નાયુ ધીમી થઈ જાય છે, તે યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, ઉદાહરણ તરીકે જો કોઈને જીભમાં લકવા લાગે છે તો તેને આ પ્રકારના લક્ષણ જોવા મળશે. ઘણીવાર જીભ તેના ઈશારાથી આમ-તેમ નથી મરડાતી, ઘણીવાર અહેસાસ થશે કે જીભ હલી નથી શકતી વગેરે.
જે પણ વ્યક્તિને લકવા લાગે છે તેમાં ઉત્સાહની ઉણપ જોવા મળે છે. સીડીઓ ઉતરવા-ચડવામાં મુશ્કેલી આવવી. હાઈબ્લડ પ્રેશર વધી જાય છે. લકવા વાળાને પૂરી ઉંઘ આવતી નથી. ભૂખ ઓછી લાગે છે. લખવા-વાંચવામાં સમસ્યા આવવા લાગે છે. હવે અમે તમને જણાવીશું લકવાના આયુર્વેદિક ઉપચાર.
રોજ સુંઠ અને અડદ ને ઉકાળી લો અને ઠંડું થાય પછી તેનું પાણી ગાળીને પીવું. રોજ આ ઉપાયને કરવાથી લકવા માં ઘણો સુધારો થાય છે. કલોંજી ના તેલને હુંફાળું કરીને હલકા હાથથી માલીશ કરો. તેની સાથે દિવસમાં બે થી ત્રણ વાર એક ચમચી તેલનું સેવન પણ કરો. આ દેશી નુસખા થી 15 દિવસમાં ફર્ક દેખાવા લાગશે.
ઝીણું વાટેલું આદુ ૫ ગ્રામ અને કાળા અડદ દાળ ૧૦ ગ્રામના પ્રમાણમાં લો. તેને ૫૦ ગ્રામ સરસોનું તેલમાં ૫ થી ૭ મિનીટ સુધી ગરમ કરો અને તેમાં બે ગ્રામ વાટેલું કપૂરનો પાવડર નાખી દો. રોજ આ તેલના ઉપયોગથી લકવાની બીમારીમાં ગજબ નો ફાયદો મળે છે.
તુલસી દરેક રોગમાં તમારી મહત્વની ભૂમિકા નીભાવે છે. લકવામાં પણ તુલસીનું સેવન અત્યંત લાભદાયી રહે છે, તેના સાથે જ તુલસીનો લકવામાં અન્ય રીતથી ઉપયોગ કરવામાં આવે છે, જે આ પ્રકારે છે. એક વાસણમાં થોડી તુલસીના પાન નાંખીને તેને પાણીથી ભરી દો પછી તીવ્ર અગ્નિ પર તેને મોડે સુધી ઉકાળો પછી તેની બાફ લો. આ રીતે તુલસીના પાનની બાફ લેવાથી લકવાગ્રસ્ત રોગીને ખૂબ લાભ થાય છે.
બે ચમચી મધ માં પાચ કળીઓ લસણની વાટીને તેનું સેવન કરવાથી એક થી દોઢ મહિનામાં લકવા માં આરામ મળવા લાગશે. તેની સાથે સાથે લસણની પાંચ કળીઓ દુધમાં ઉકાળીને પછી તેનું સેવન કરો. આ ઉપાય થી બ્લડ પ્રેશર પણ કાબુમાં રહેશે અને લકવાની અસર વાળા ભાગમાં પણ જીવ આવવા લાગશે.
દૂધમાં ખારેક પલાળીને ખાવાથી પણ લકવા માં ફાયદો થાય છે. ધ્યાન રાખો એક સાથે ચારથી વધુ ખારેક ન ખાવા. રાત્રે ત્રાંબા ના વાસણ માં એક લીટર પાણી ભરીને મૂકી દો અને પાણીમાં ચાંદીનો સિક્કો પણ નાખી દો. સવારે ખાલી પેટ આ પાણીને પી લો અને અડધો કલાક સુધી કઈ ખાવું પીવું નહી. આ પ્રયોગ લકવાને રીકવર થવામાં ખુબ ફાયદો કરે છે.
રોજ સવારે સાંજ દેશી ગાયનું શુદ્ધ ધી ના બે ટીપા નાકમાં નાખવાથી લકવા માં ખુબ જ આરામ મળે છે અને તે સિવાય આ ઉપાય થી વાળનું ખરવાનું બંધ થાય છે, કોમામાં ગયેલા વ્યક્તિની ચેતના પાછી આવે છે અને મગજ પણ તેજ બને છે. લકવાના રોગીએ કારેલા વધુ ખાવા જોઈએ. લકવામાં કારેલાના સેવનથી પણ ફાયદો મળે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.