5 દિવસ માત્ર આના સેવનથી કોલેસ્ટ્રોલ અને સાંધાના દુખાવા ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમ દેશોની સરખામણીમા કરછનું હવામાન ભેજવાળું હોવાને લીધે જે ખજૂર થાય છે.તે બરાબર પાકતી હોતી નથી.આ અર્ધ પાકેલું ફળ ખલેલાં અને પાકી ગયા પછી ખારેક બની જાય છે.ખારેક પીળી હોય,ખલેલા કૃશ એટલે કે બીજ પર ફોતરી જેવુ હોય. વૃક્ષમાં પહેલા ખલેલા આવે એને સૂકવીને ખારેક બનાવી શકાય જયારે ખલેલાને વરસાદ વગર અને ખૂબ ઊંચા તાપમાને ઝાડ પર રાખવાથી ખજૂર બની જાય.

ભારતમા સૂકું ગરમ તાપમાન ન હોવાથી ખજૂર થવાની શક્યતા ઓછી હોય છે જોકે ક્યાંક વધારે તાપમાન હોય તો શક્ય પણ બને.મોટે ભાગે ખજુર બહારથી આયાત કરવી પડતી હોય છે. ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે જેને ખલેલા કે ખારેક પણ કહે છે તે  વ્યાપકપણે મધ્ય પૂર્વ અને ભારતીય ઉપખંડમાં છે. પરંતુ આ ફળ તેના અદ્ભુત સ્વાદ અને ઘણા સ્વાસ્થ્ય લાભો કારણે સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ખજૂરમાં ઊંચી માત્રામાં ખનિજ અને રેસા હોય છે, છે.ખજૂરમાં કોઈ ચરબી નથી, તમારા રોજિંદા ખોરાકમાં પણ ધીમે ધીમે સમાવેશ કરી શકાય છે. જાણીએ તેના ફાયદાઓ.

તમારા શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ચકાસવામાં મદદ કરે છે.ખજૂર પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી, તે અસરકારક રીતે તમારા શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે.પોટેશિયમ સોડિયમની અસરને પણ ઘટાડે છે બદલાતા વાતાવરણ સાથે તે  હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે.રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડા સાફ આવે છે. તેના બી (ઠળિયા) તરસને રોકનાર હોવાથી કસુવાવડ વખતે સ્ત્રી ને પાણી આપવાનું ન હોય ત્યારે એક-એક ઠળિયો તેના મોં માં રાખવા અપાય છે. તેનાથી મોંમાં અમી રહે છે.

ખજૂરીના ઝાડ માંથી નીકળતો રસ મધ અને પિત્ત કરનાર છે. એ વાયુ તથા કફને હરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને બળ તથા વીર્યને વધારનાર છે. ખજૂરીની તાડીમાંથી ગોળ અને ખાંડ બને છે. ખજૂરનો રસ ઠંડો અને લહેજતદાર હોય છે.તેનાં બી (ઠળિયા) બાળી તેની રાખ બનાવી કપૂર અને ઘી સાથે ખરલ કરી ખરજવા પર ચોપડાય છે. તેના ઠળિયાનું તેલ કાઢવામાં આવે છે.

ખજૂર કે ખારેક, ઠળિયા, તેનાં ફૂલ અને પાન ઔષધિ તરીકે વપરાય છે.પાચન થાય એ પ્રમાણે જ ખજૂર ખાવા જોઈએ. ખજૂર વૃષ્ય, સ્વાદુ, શીત અને ગુરુ છે. ઉધરસ, શ્વાસ, દમ, કચ્છ, વાત પિત્ત અને દારૂથી થયેલા રોગોને મટાડનાર છે. સુલેમાની ખજૂર(સોપારી ખારેક) થાક, ભ્રાંતિ, દાહ, મૂચ્છ અને રક્તપિત્ત અને મટાડનાર છે.

ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર એ સર્વે બારીક વાટી ચાટણ બનાવી ચાટવાથી વાયુ બેસી જાય છે.આ ચટણ ધણું જ સ્વાદિષ્ટ અને પાચક છે.જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે.ફાઇબરની વિશાળ માત્રામાં કબજિયાતને બગાડવામાં મદદ મળે છે, જ્યારે હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત આપે છે.ઉપરાંત, પાચન તંત્રમાં ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને લીધે કેન્સરનો નિયમિત વપરાશ થાય

ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે-ત્રણ તોલા જેટલું ચાટણ લઈ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળપ્રદ છે.દરરોજ થોડી ખજુર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે. સળેખમ, શરદી, ખાંસી અને દમ મટે છે તેમજ લોહીની શુદ્ધિ થાય છે.

દરરોજ વીસ-પચીસ ખજૂર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. પાંચ પેશી ખજૂરના ઠળિયા કાઢી નાખી ભેંસના ઘીમાં પાંચ મિનિટ સુધી સાંતળીને તમે બપોર ભાત સાથે મેળવી ખાઈને અર્ધો કલાક ઊંઘ લેવાથી સુકલકડી દૂબળા માણસનાં વજન અને શક્તિ વધે છે. શિયાળાની ઋતુમાં સવારે ખજૂર ઘીમાં સાંતળી ખાઈ તેના પર એલચી, સાકર તથા કૌચા નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે.

સારી ખારેકના લઈ ઠળિયા કાઢી નાખી, તેને સાધારણ ખાંડી તેમાં બદામ, બલદાણા, પિસ્તા, ચારોળી, સાકર ની ભૂકી વગેરે મેળવી તેને આઠ દિવસ સુધી ઘીમાં પલાળી રાખવું અને આથો લાવવો. આથો ચડ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે.

ખજૂરની એક પેશીને એક તોલા ચોખાનું ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાના બાળકને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળા બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે.ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે.

ખારેકની એન્ટી એથરોસ્ક્લેરોસિસની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડ પ્રેસરપણ ઓછુ કરે છે.ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણનથી.જો તમે તમારા હૃદયને યંગ રાખવા માંગો છો તો તમે ખારેકનો  ઉપયોગ કરી શકો છો.તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે.

ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસથી દૂર રહેવા માંગતા હો, તો હવે ખારેક સાથે મિત્રતા કરી લો!ખારેક ખાવાથી કબજિયાતથી રાહત મળે છે.તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે.ફક્ત એક રાત ખારેકને પાણીમાં રાખી અને તેને આગામી સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે શરીરમાં મિનરલ્સનું નિયમન કરવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top