ભયંકર રોગ નો કાળ છે આ શક્તિશાળી ફળ નું સેવન,આ રીતે વપરશો તો રહેશે અનેક ગંભીર બીમારીઓ કાયમી દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાલના સમયમાં દરેક વ્યક્તિને થતા રોગોમાં પણ ફેરફાર આવ્યો છે. અત્યારે દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારી નો સામનો કરી રહ્યો છે. અત્યારના સમયમાં વૃદ્ધ લોકો કરતા યુવાન લોકોમાં વધારે બીમારી જોવા મળે છે. આજકાલ યુવાનો કેન્સર અને ડાયાબિટીસ રોગોનો ભોગ બનતા હોય છે.

પહેલાના સમયમાં અનેક રોગોના ઈલાજ શક્ય હતા નહીં. પરંતુ અત્યારના સમયમાં અનેક રોગોના ઈલાજ શક્ય છે. પરંતુ એવા ઘણા રોગ છે. તેનો ઈલાજ મેડિકલ દ્વારા શક્ય નથી. આજે જણાવીશું  ગુંદા નું સેવન કરવાથી તમારા શરીર ના રોગો દૂર કરી શકાય છે.

ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ હોય છે તે સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે. ગૂંદો ડાયાબિટીસની સમસ્યા મા રાહત આપે છે. તેમજ ગુંદા નો પાઉડર બનાવીને દરરોજ ગરમ પાણી સાથે સેવન કરવાથી ડાયાબિટીસ માં ઘટાડો નોંધાઈ છે.

ગુંદાના સેવનથી કિડનીની બીમારીઓમાં પણ રાહત ઉત્પન્ન કરે છે. ગુંદા લીવરની સમસ્યા પણ દૂર કરે છે, ગરમ પાણીમાં તેનો પાઉડર મિક્સ કરીને પીવાથી લીવર ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તે ઉપરાંત ચામડીના રોગોમાં પણ ચામડી પર તેની પેસ્ટ લગાવવાથી તેમાં રાહત મળે છે.

જો તમને કમળાની અસર થઈ ગઈ હોય તો ગુંદા નો પાવડર પાણી સાથે પીવાથી કમળાની અસર દૂર થાય છે. મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં ગુંદાની છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર પીવાથી પાચનતંત્ર ને સુધારી આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.

ગુંદાના ફળ એ કોઠાની સમસ્યા ઓછી કરનાર હોવાથી જેને કબજિયાતની ફરિયાદ હોય તેમણે નિત્ય ગુંદાનું સેવન કરવું જોઈએ. શાક તરીકે નિત્ય ખાવાથી આંતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી કોઠાની સમસ્યા દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે.

જો મોઢામાં છાલા પડી હોય કે ચાંદા પડ્યા હોય તો તમારે ગુંદા નો પાવડર અને તેના  પાન લઈને ચાવી જવાથી મોઢાના ચાંદા દૂર થશે. જો તમને લોહીમાં ગાંઠ થઈ ગઈ હોય તો ઓછામાં ઓછા ગુંદા ના દસ પાનનો રસ પીવો તેથી લોહીની ગાંઠ દૂર થાય છે. પેશાબ માં બળતરા થતી હોય તો પણ આ કામ આવે છે. ઉલટી થવાની તકલીફ હોય તો પણ આ પાનનો રસ પીવો.

રોજ આ ફળ નું સેવન કરવાથી શરીર માં કોઈ પણ પ્રકાર ની ઉણપ રહેતી નથી અને ઘણી બીમારીઓ માંથી પણ છુટકારો મળી શકે છે. આ ફળ નું સેવન કરવાથી શરીર ને પર્યાપ્ત માત્રા માં ફોસ્ફરસ અને કેલ્શિયમ પોષક તત્વો મળે છે. જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.

ગુજરાતના આદિવાસીઓ ગુંદા ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. આ લાડવા ખાવાથી શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે. વીંછીના ડંખ પર ગુંદા ની છાલ નો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષ નો પ્રભાવ ઘટે છે. નાના જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરંત રાહત આપે છે.

અછબડા ને કારણે શરીર પર રહી ગયેલા ડાઘ દૂર કરવા માટે પણ  ગુંદાના ફળના પાન કામમાં આવે છે. તે ઉપરાંત ચામડી પર વધારાની ફોડલી અને દાંતમાં દુખાવો પેટમાં દુખાવો વગેરે થતું હોય તો ત્યાં ગુંદા નો પાવડર લગાવવાથી તેમાં રાહત મળે છે.

ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. જો ઊંઘ ની કોઈપણ સમસ્યા હોય તો ગુંદા ના પાવડર માં ગોળ ઉમેરી સૂતા પહેલા ખાઈ લેવું જેથી ઊંઘ આવશે.

રક્તપિત્ત ના રોગ માં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે. કાચા ગુંદાનું શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા લાગે છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે. ગુંદા મધ્ય ભારતના વન માં જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top