99% લોકો નહીં જાણતા હોય વેક્સીન વિશેની આ સચોટ માહિતી, તમારા દરેક સવાલનો જવાબ છે આમાં..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિશ્વ આખું આજે કોરોના સામે લડત લડી રહ્યું છે, ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોનાની વેક્સીન અક્સીર ઈલાજ બની છે. કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીન હવે વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહી છે. તો આજે અમે તમને આ વેક્સીન વિશેના કેટલાક સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે જાણીએ વેક્સીન વિશેની વિગતવાર માહિતી.

સૌથી પહેલા જ આપણે સવાલ ઊભો થાય છે કે વેક્સીન છે શું ? સાદી ભાષામાં કહીએ તો કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત કોષ એટલે વેક્સીન. હાલમાં કોરોનાની વેક્સીન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સીનમાં રહેલા કણોમાં રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ કરી દેવામાં આવી છે માટે વેકસીનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે. સામાન્ય રીતે આપણને થતું હોય છે કે આ વેક્સીન કેવી રીતે બનતી હશે.

આપણે જાણીએ તો આ વેક્સીન જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી આવા વાઇરસને અલગ તારવવામાં આવે છે. પછી તેને નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાઇરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઈન્જેક્શનમાં લેવામાં આવે છે. આ રીતે વેક્સીન બનાવવામાં આવે છે.

આપણને થતું હોય છે કે વેક્સીન લીધા પછી કઈ થશે ? તો ચાલો આપણે જાણીએ વેક્સીન લીધા પછી શરીરની અંદર કેવી રીતે કામ થાય છે. આપણાં શરીરમાં લોહી મુખ્ય છે. આ લોહીમાં આપણાં ત્રણ કણો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, (જે ફેફસાને ઑક્સિજન પૂરું પાડે છે). બીજા છે શ્વેતકણો (જે રોગો સામે રક્ષણ કરે છે.) અને ત્રીજા છે ત્રાકકણો ( જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે.)

આ કણો રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે. આ રોગપ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ. જેમ દેશમાં આતંકવાદી હુમલો કરે ત્યારે સૈનિકો એમને મારીને કાઢી મૂકે છે એવું જ કામ આપણાં શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણાં  શરીરમાં જ્યારે વાઇરસનો ચેપ લાગે શ્વેતકણો લડવા પહોંચી જાય છે.

આપણાં શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા/ વાઇરસ / વેક્સીનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે. જ્યારે કોઈપણ વાઇરસનો ચેપ લાગે ત્યારે શ્વેતકણો તેનો સામનો કરે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે.

શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે ? જવાબ છે હા, પણ હકીકતમાં એ વેક્સીનની આડઅસર છે જ નહીં. ઉપર આપણે જાણ્યું એમ જ્યારે વેક્સીનમાં રહેલ મૃત વાઇરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર- શ્વેતકણો એને દુશ્મન સમજી સામનો કરે છે. આ સામનાનું પરિણામ છે તાવ / કળતર / દુઃખાવો.

હકીકતમાં વેક્સીન લીધા પછી તાવ આવવો એ આડઅસર નથી પણ  એ સૂચવે છે કે વેક્સીન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. વેક્સીન લીધા પછીના ચાર છ કલાકે આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સીનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સીન લીધા પછી એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહિ. એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.

ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સીન લઈ શકે છે. જેમને હાઇ બ્લડ પ્રેશર , ડાયાબીટીસ, થાઈરોઈડ હોય એમણે ડોક્ટરને બતાવી એમની સૂચના હેઠળ ખાસ વેક્સીન લેવી  જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સીન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી. વેક્સીન લીધી હોય તો હેરાન ઓછું થવું પડે.

સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજબ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ પછી અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે. આજ વેક્સીન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સીન લીધા પછી શરીરમાં એન્ટીબોડી બનતા અંદાજે પંદરથી પચાસ દિવસ લાગી શકે. માટે વેક્સીન લીધા પછી પણ જો સાવચેતી ન રાખીએ દોઢ-બે મહિનામાં કોરોના થઈ શકે.

વેક્સીનનો મજબૂત ફાયદો એ કે જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે. એ ઉપરાંત નાનપણથી ઓરી અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સીન આપણે લઈને હાલ સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સીનનો ફાયદો છે, નુકસાન નથી.

બીજું એ છે કે અત્યારે વેક્સીન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સીન અને ટેબ્લેટ ફોર્મમાં દવા આવશે. ત્યા સુધીમાં કોરોના સાથે જીવવું એટલું સામાન્ય લાગશે કે એકસમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સીનથી જ બચી શકાય એમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top