મોંઘા ખર્ચ અને દવા વગર સાંધા અને હાડકાંની નબળાઈ અને દુખાવાને કરો જડમૂળથી દૂર એ પણ ઘરે રહીને, જાણી લ્યો આ 100% અસરકારક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉંમરની સાથે-સાથે હાડકાં પણ નબળા થતા જાય છે. તેમનામાં તે મજબૂતી નથી રહેતી કે લોકો દરેક કામ ખૂબ જ સરળતાથી કરી લે છે. કેટલાક કિસ્સામાં તો હાડકાં ખૂબ જ નબળા જ થઈ જાય છે અને આ સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે.

આ કારણથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે અને ક્યારેક-ક્યારેક તો હાડકાં એટલા નબળા થઇ જાય છે. કે પડવાને કારણે તેના તૂટવાનો પણ ડર રહે છે. ઑસ્ટિયોપોરોસિસનું કારણ યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ સાથે જ અન્ય પોષક તત્ત્વોની ઉણપ પણ હાડકાંમાં નબળાઇનું કારણ બની શકે છે. આ ઉપરાંત વધારે મીઠું ખાવાથી હાડકાંમાં રહેલા કેલ્શિયમ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જેના કારણે હાડકાં નબળી પડી જાય છે. જો તમે વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરો છો, તો આ ટેવ સુધારવાની જરૂર છે.

હાડકાને મજબૂત બનાવવાના ઉપાય:

દરરોજ એક સફરજન ખાવાથી ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા ટળી શકે છે. સફરજનમાં પોલીફેનોલ્સ અને ફ્લવોનોઇડ્સ જેવા એન્ટી-ઑક્સીડેન્ટ્સ હોય છે. જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની છાલ સહિત ભોજન વધુ ફાયદાકારક હોય છે.

આહારમાં તલના બીજ મિક્સ કરો. આ ઑસ્ટિયોપોરોસિસને અટકાવવાનો સૌથી સારો ઉપાય છે. હકીકતમાં તલના બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલના બીજનું સેવન કરવાથી ફાયદો થાય છે, તેને ગરમ દૂધમાં પણ નાંખીને પી શકો છો.

હાડકાંની મજબૂતી માટે અનાનસ પણ છે ફાયદાકારકઅનાનસમાં મેન્ગેનીઝ હોય છે, જ ઑસ્ટિયોપોરોસિસને અટકાવવામાં મદદ કરે છે. હકીકતમાં શરીરમાં મેન્ગેનીઝની ઉણપથી સાંધામાં દુખાવો અને હાડકાં નબળા થઇ શકે છે. એટલા માટે જમતા પહેલા એક નાની વાટકી અનાનસનું સેવન કરો. દરરોજ એક કપ અનાનસનો જ્યુસ પણી પી શકો છો. તેનાથી હાડકાંને મજબૂતી મળે છે.

લીલી શાકભાજી દરેક રોગથી શરીર નું રક્ષણ કરે છે. તેમાં બધા વિટામિન એ, બી અને સી હોય છે, તેથી  લીલી શાકભાજી ખાવી જ જોઇએ. લીલા શાકભાજીમાં પાલક, મેથી અને સરસવ તે કેલ્શિયમથી ભરપુર છે.  દિવસમાં એકવાર આ શાકભાજી ચોક્કસપણે ખાવા જોઈએ.કે લ્શિયમની ઉણપને દૂર કરવા માટે, વધુને વધુ ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. શુષ્ક ફળોમાં ઘણાં કેલ્શિયમ હોય છે. તેના વપરાશથી હાડકાં મજબૂત થશે.

સોયાબીન શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં પુષ્કળ કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જેથી તમારું શરીર ફીટ થઈ શકે. ગોળનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. જો હાડકા નબળાં હોય તો ગોળનું સેવન કરવું જોઈએ. તેની ચા પણ બનાવી શકો છો અથવા પી શકો છો અથવા ખાલી ખાઈ શકો છો. તેમાં પણ ખૂબ કેલ્શિયમ હોય છે. તેના નિયમિત સેવનને લીધે,  હાડકાંમાંનો તફાવત ખૂબ જ ટૂંક સમયમાં જોવા મળશે.

હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ સૌથી વધારે અગત્યનું હોય છે, જેનો સૌથી મોટો સ્ત્રોત દૂધ છે. દૂધની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વ મળી આવે છે. જે વ્યક્તિ દરરોજ બે ગ્લાસ દૂધ પીવે છે તેના હાડકા ક્યારે પણ ખરાબ થતા નથી અને મજબૂતાઈ બની રહે છે શરીરમાં પૂરતી માત્રામાં કેલ્શિયમ બનાવવા માટે વિટામિન ડી પણ ઘણુ ફાયદાકારક હોય છે. વીટામીન-ડી નો સૌથી મોટો સ્રોત ઈંડાને માનવામાં આવે છે. જો શરીરમાં પણ વિટામીન ડી ની કમી હોય તો તમારે પુષ્કળ પ્રમાણમાં ઇંડાનું સેવન કરવું જોઈએ.

હાડકાંને મજબૂત બનાવવા માટે તમારે મગફળી તથા બદામનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ. ખાસ કરીને શિયાળાની સિઝન ની અંદર આ બન્ને વસ્તુ નું સેવન કરવાથી તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં હાડકાં નું નિર્માણ ઝડપથી કરે છે.

હાડકા ની નબળાઈ ના કારણે દુખાવો રહે છે, તો પપીતા નું સેવન કરવું જોઈએ. પપૈયા માં ઘણી વધારે માત્રા માં વિટામીન સી હોય છે.  વ્યક્તિઓ ની અંદર વિટામીન સી ની ઉણપ હોય છે, તે વ્યક્તિઓ માં સાંધાઓ નો દુખાવો થવો એક સામાન્ય વાત છે તેથી જો  પોતાના સાંધાઓ ના દુખાવા માં રાહત મેળવવા માંગો છો તો પપૈયા નું સેવન જરૂર કરો.

ફ્લાવર નું સેવન હાડકાઓ માટે બહુ જ ફાયદાકારક રહે છે. તે શરીર થી ફરી રેડિકલ્સ ને બહાર નીકાળવાનું કાર્ય કરે છે. જેના કારણે કોઈ પણ સાંધા ને નુક્શાન નથી થતું તેમાં કેલ્શિયમ ની માત્રા સૌથી વધારે મળે છે.  જેના કારણે શરીર ના હાડકાઓ ના સાંધા મજબુત થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top