વર્ષો જૂના ગઠિયા અને સાંધાના દુખાવા માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક છે આ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ગઠિયા એક એવો રોગ છે જેમાં હાડકામાં વિશેષ પ્રકારનું દર્દ ઉત્પન થાય છે તથા તે ભાગ પર સોજો આવી જાય છે. આ વૃદ્ધાવસ્થા માં થતી બીમારી છે, અને તે લાંબી ચાલનારી બીમારી છે. દરરોજ કામ કરતી મહિલા પણ આ બીમારી થી પ્રભાવિત થાય છે. ચાલો જાણીએ આ રોગ થી છુટકારો મેળવવાના ઉપચારો.

ગઠિયા થવા પર ઉપવાસ થી સરળ કોઈ ઉપચાર નથી. દર્દી ને પાંચ થી સાત દિવસ સંતરાનો રસ અને પાની પિય ને ઉપવાસ કરવો જ જોઇએ. કેટલીકવાર ઉપવાસના પ્રારંભિક દિવસોમાં, જ્યારે યુરિક એસિડ ઓગળી જાય છે અને લોહીના પ્રવાહમાં પરિવહન થાય છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પરંતુ ઉપવાસ દ્વારા, તે પછીથી ઠીક થય જાય છે.

ગંભીર પરિસ્થિતિમાં, સૂચવવામાં આવે છે કે ઉપવાસ દરમિયાન પેટને સાફ રાખવા માટે નિયમિતપણે ગરમ પાણી ઉપયોગ માં લેવું જોઈએ. જેથી ગઠિયામાં રાહત મળે છે. ફણસી ગઠિયા માટે અસરકારક સાબિત થાય છે. દરરોજ ફણસીનો દસ મિલિલીટર રસ પીવો જોઈએ. કાચા બટાકાનો રસ અને તાજા અનાનસનો રસ પણ ગઠિયા ના રોગમાં ફાયદાકારક સાબિત છે.

એકવાર ગઠિયાનાં તીવ્ર લક્ષણો ઓછા થઈ જાય, પછી દર્દીએ ત્રણથી ચાર દિવસ સુધી ફક્ત ફળોનો આહાર લેવો જોઈએ. આ સમય દરમિયાન ફક્ત રસદાર ફળો, જેમ કે દ્રાક્ષ, સફરજન, નાશપતીનો, નારંગી, અનાનસ, વગેરે લેવા જોઈએ. પછી ધીરે ધીરે નીચે પ્રમાણે આહાર નું સેવન કરવું જોઈએ.

સવારનો નાસ્તા માં કોઈપણ પ્રકારનાં ફળ, જેમ કે નારંગી, સફરજન, અંજીર, કેરી, ઘઉંના લોટની રોટલી અને દૂધ અથવા છાશ લેવી જોઈએ. બપોરના ભોજનમાં બાફેલી શાકભાજી, જેમ કે પાલક, બીટ, સેલરિ, સલગમ, ગાજર, ટામેટાં, કોબી અને બટાટા, રોટલી વગેરે લેવું જોઈએ.

દર્દીએ યુરિક એસિડ પેદા કરતા તમામ આહારનું સેવન ન કરવું જોઈએ, દા.ત. માંસ, ઇંડા, માછલી વગેરે. વધુમાં, તેણે દારૂ ટાળવો જોઈએ. ચા, કોફી, મેંદો અને તેના ઉત્પાદનો, બધા તૈયાર ખોરાક પર પ્રતિબંધ મૂકવો જોઇએ. મસાલા અને મીઠું ઓછા પ્રમાણમાં લેવું એ ગઠિયામાં વધુ સારું માનવામાં આવે છે.

ગઠિયા રોગથી ગ્રસિત વ્યક્તિ એ દિવસમાં દસ ચેરીનું સેવન કરવું જોઈએ. અમુક જ દિવસમાં આ રોગ જડ માંથી દૂર થઇ જાશે. મીઠી અથવા ખાટી ચેરી ગઠિયાના દર્દીઓ માટે ઉપયોગી દવા છે. ઘણા લોકોએ ચેરીનો ઉપયોગ કરીને ગઠિયાની સામાન્ય સમસ્યાની સારવાર પ્રક્રિયાને અપનાવી છે અને તેનાથી ખૂબ સારો ફાયદો પણ થાય છે.

બટાકા, કેળા, પાંદડાવાળા લીલા શાકભાજી, લીંબુ અને કાચા શાકભાજીનો રસ વગેરે જેવા વિપુલ પ્રમાણમાં પોટેશિયમથી સમૃદ્ધ પદાર્થો ગઠિયના દર્દીઓને સુરક્ષા પૂરી પાડે છે. બીટરૂટ અને કાકડીના રસમાં ગાજરનો રસ મેળવીને પીવું ખુબજ ફાયદાકારક છે.

ગઠિયાની સ્થિતિમાં તુલસી સારી દવા તરીકે કામ કરી શકે છે. તુલસી નું સેવન કરતાં ચોવીસ કલાકની અંદર અસર જોવા મળે છે. ગઠિયાનાં દર્દીએ દિવસમાં ચાર-પાંચ તુલસીનાં પાનનું સેવન કરવું જોઈએ. આ સિવાય તુલસીમાંથી બનાવેલી ચા પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

અસરગ્રસ્ત અંગને દિવસમાં બે વખત મીઠાના મિશ્રિત પાણીથી ધોવા જોઈએ. આ માટે, ગરમ પાણીમાં એક કે અડધો મોટો ચમચો મીઠું ઉમેરવું જોઈએ. આ પાણીથી અઠવાડિયામાં ત્રણ વખત સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે માટીનો ઠંડો લેપ લગાવવાથી ગઠિયાની સમસ્યામાં રાહત મળે છે.

આદુમાં એવા ઘણા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે, જે ગઠિયાના ઉપચારમાં મદદગાર છે. ગઠિયાના દર્દીએ સોજોવાળા વિસ્તાર પર આદુની પેસ્ટ લગાવવી જોઈએ. તેનાથી સોજો ઘટાડવાની સાથે દુખાવોથી પણ રાહત મળે છે. આ સિવાય દિવસમાં ઘણી વખત આદુની બનેલી ચા પીવાથી આરામ મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here