રાત્રે સૂતી વખતે કરી લ્યો આ કામ, ગળા અને છાતીમાં જામેલ જિદ્દી કફ માત્ર 2 દિવસમાં વગર દવાએ થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કફ એક એવી સમસ્યા છે. જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે. તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે. કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.

શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતા માં મુકવા માટે પૂરતું છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જો લોકોને લાંબા સમય સુધી છાતીમાં કફ જમા રહે છે. તો તેના કારણે ફેફસાંમાં સંક્રમણ અને સોજાની શરૂઆત થઈ શકે છે. તેવામાં આવો જાણીએ કફ થી છુટકારો મેળવવાના ઉપાયો.

લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટી.બી.ના રોગમાં પણ તેમને રાહત મળે છે. જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.

પાણી ગરમ કરને એમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એ પાણી પી જાવ. આ ઉપાયથી તમારું ગળું સાફ થશે. કારણ કે લીંબુ કફને કાપવાનું કામ કરશે અને મધથી ગળાને આરામ મળશે. કફને દૂર કરવા માટે સ્ટીમ લેવું સૌથી સારો વિકલ્પ છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે. તેમજ તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે. તો તે કફને દૂર કરવામાં મદદ કરે છે. આ સમયમાં આમ પણ એક્સપર્ટ બેથી ત્રણવાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.

છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળી મરીનું સેવન પણ લાભકારી સાબિત થઇ શકે છે. તેવામાં ગળામાં ખરાશ અને શરદી ખાસીની પરેશાની પણ દૂર થઇ શકે છે. તમે કાળી મરીને એક ચમચી મધમાં વાટીને લો. કાળી મરીથી બનેલો ઉકાળો નું સેવન પણ તમે કરી શકો છો.

કફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો દૂર કરી શકાય છે. સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આદુ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે નાકના પેસેજ ને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આદુને વાટીને તેમાં લીંબુના રસમાં ભેળવીને તેનું સેવન કરો. આ ઉપરાંત અમે આદુવાળી ચા પણ પી શકો છો.

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે. ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો. ઠંડી હવાથી બચવું. ખાસ કાન, કપાળ, માથું ઢાંકવુ. શિયાળા દરમ્યાન બપોરે-વહેલી સાંજે સૂર્યતાપ સહન થાય તેટલો લેવો.

નવશેકા પાણીથી ન્હાવું. ન્હાયાબાદ તુરંત હવાનો સંપર્ક ટાળવો. ખાસ તો માથું ધોઈ, વાળ બરાબર સૂકા કરવા. ભીના માથામાં હવાનો સંપર્ક ટાળવો. ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, માવાની ચીકણી મીઠાઈ ન ખાવી. દૂધ નવશેકું હુંફાળું પીવું. દૂધમાં વાવડીંગનું ચૂર્ણ, સૂંઠ અને સાકર નાખી ઉકાળી ગાળી અને પીવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top