આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ને માખણ બહુ પ્રિય હતું. પરંતુ શું તમે જાણો છો કે ગાય ના દૂધમાંથી બનતું માખણ આપણાં શરીર માટે બહુ જ લાભદાયી છે. માખણમાં પૂરતા પ્રમાણમાં આયોડીન હોય છે જે થાઈરોઈડ માટે ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત તેમા રહેલા વિટામીન પણ થાઈરોઈડ ગ્લેન્ડને મજબુત બનાવામાં મદદરૂપ થાય છે. માખણ ના સેવન થી શારીરિક શક્તિમાં વધારો થાય છે અને પેટ સંબંધિત તમામ રોગોને દુર થાય છે.
માખણ ઘીની અપેક્ષાએ શરીરમાં ઝડપથી પચે છે. તેનાથી શરીરની કોશિકાઓનુ નિર્માણ થાય છે. માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે. તેમાં વિટામીન એ,ડી, કે અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે. જો ગીર ગાયના માખણમાં સાકર અને મધ ભેળવીને તેનું નિયમિત સેવન કરવામાં આવે તો ઘણા રોગમાં લાભ મળે છે.ધ્યાન રાખવું કે માખણ ગાયના દૂધ નું જ હોવું જોઈએ ભેંસ નું નહીં.
પગ ના તળિયા માં થતી બળતરા :
માખણ ખુબ શરીર ને ઠંડક આપે છે, અને માખણ અને ખાંડ ને સરખા પ્રમાણમાં મિકસ કરીને હાથ તેમજ પગ પર લગાવી લો. અને તે આ માખણ ને ખાવા થી પણ ખુબ ઠંડક થાય છે, તેને હાથ અને પગ પર લગાવવાથી તળિયામાં થતી જ્વલનથી રાહત મળે છે.
વાયુ-પિત્ત દોષ દુર થાય :
ગાયના દુધનુ માખણ સૌથી ફાયદાકારક હોય છે. તેના નિયમિત પ્રયોગથી વાયુદોષ દુર થાય છે. તેનાથી પાચનશક્તિ વધે છે. તે બળવર્ધક હોય છે. એસિડિટી, વાયુ, ગેસ અને લોહીના રોગો મટાડે છે. ખાંસી, ડાયાબીટીસ, નેત્રરોગ, તાવ, પાંડુ રોગ અને સફેદ દાગમાં પણ કારગત છે.
લો બ્લડ પ્રેશર :
એવુ મનાય છે કે સુગર અને માખણ એ લો બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે ઉત્તમ ઔષધ છે. આ સુગર તથા માખણ નુ મિશ્રણ બનાવી સેવન કરવા થી તમારા લો બ્લડપ્રેશર ની સમસ્યા નુ નિવારણ આવી જાય છે. પરંતુ એક વાત ની હંમેશા કાળજી રાખવી કે બહાર નુ ભેળસેળ વાળુ માખણ ક્યારેય આહાર મા ના લેવુ.
આંખોમાં બળતરા :
આંખોમાં બળતરા થતી હોય તો માખણ ને આંખો ઉપર લગાવવાથી તેમાં થતી બળતરામાંથી આરામ મળે છે.
હ્રદયના રોગ :
હ્રદયના રોગની શક્યતા ખુબજ ઓછી થઇ જાય છે. તેમાં વિટામીન એ, ‘ડી’ અને ‘ઈ’, કે ’ઉપરાંત આયોડીન અને સેલેનિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોવાથી એ હ્રદયના આરોગ્ય માટે ફાયદાકારક છે. મેડીકલ રિસર્ચ કાઉન્સીલ ની એક શોધમાં આ વાત સામે આવી છે કે જે લોકો થોડા પ્રમાણમાં માખણ પોતાના ખોરાકમાં ઉમેરશે તો તેને હૃદયની બીમારીનો ભય, ધાર્યા કરતા ઓછો રહે છે.
શરીરને પૌષ્ટિકતા આપે :
તાજુ માખણ શરીરને પૌષ્ટિકતા આપે છે. ઘણા દિવસનુ વાસી માખણ ખારુ અને ખાટુ હોય છે. તેનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઇએ. તેનાથી ઉલ્ટી, કોઢ, મેદસ્વીતા વગેરેની આશંકા વધે છે. તેથી વાસી માખણ ન ખાવુ જોઇએ. રોજ 40 ગ્રામ માખણ રોજ ખાઇ શકાય છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. માખણ વ્યક્તિની પાચનશક્તિ વધારવાની સાથે સાથે આંતરડાની બિમારીઓથી પણ બચાવે છે. માખણને બુધ્ધિ વધારનારુ માનવામાં આવે છે.
બાળકનો સર્વાંગી વિકાસ :
ગાય ના તાજા માખણથી જન્મેલા શિશુના શરીર ઉપર મસાજ કરીને અડધો કલાક સવારના તડકામાં સુવરાવવાથી બાળકનો સર્વાંગી વિકાસ ખુબ સારી રીતે થાય છે.
કેન્સર :
ગાય ના માખણમાં રહેલા ફેટી-એસીડ, કોજુલેટેડ-લીનોલેક એસીડ કેન્સરની સારવાર માટે ઘણું મદદગાર છે. આ એસીડ ટ્યુમર થી લઈને કેન્સર સુધીના રોગોમાં મદદગાર થઇ શકે છે.
માનસિક વિકાસ :
માખણ માણસ ના માનસિક વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખુબજ ફાયદાકારક હોય છે. માખણ મગજને ઠંડુ રાખી ને ગુસ્સો શાંત કરે છે.
દમ :
ફેફસા માટે માખણમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ ખુબજ સારા ગણી શકાઈ. અને દમના દર્દીઓ માટે પણ તેનું સમયસર નું સેવન અસરકારક માનવામાં આવે છે.
ત્વચાનો રંગ નિખરે :
ચહેરા ઉપર રોજ માખણ લગાવીને માલીશ કરવું અને એક કલાક પછી હુફાળા પાણીથી ધોઈ લેવાથી તમારા ચહેરાની ત્વચાનો રંગ ચોખ્ખો થાય છે.
મોટાપો કંટ્રોલ આવે :
ભારતીય દેશી ગાયના માખણ માથી બનાવેલું માખણ સંતુલિત પ્રમાણમાં ખાવાથી મોટાપો કંટ્રોલ માં રહે છે.
હાડકાઓ સાથે જોડાયેલા રોગોમાં ફાયદાકારક :
ગાયના શુદ્ધ માખણમાં મિનરલ્સ, વિટામીન્સ અને કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે તે હાડકાને મજબુત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે. દેશી માખણ દાંત અને હાડકાઓ સાથે જોડાયેલા રોગોમાં ફાયદાકારક છે. રોજ સવારે શારીરિક કમજોર બાળકને ભૂખ્યા પેટે માખણ અને સાકર ૧-૧ ચમચી આપવાથી તેનું શરીર મજબુત બને છે.
હાથ પગની બળતરામાં આરામ :
માખણ તથા સાકરને સરખા પ્રમાણમા મિક્સ કરી 1-2 ચમચી રોજ સવાર-સાંજ સેવન કરવાથી હાથ પગની બળતરામાં આરામ મળે છે.
તાવ :
ગાયના દૂધનું માખણ અને મોટી સાકર સેવન કરવાથી જુનો તાવ ઠીક થઇ જાય છે, તે ઉપરાંત માખણ સાથે મધ અને સોનાનો વર્ક ભેળવીને ખાવાથી ટીબી ના દર્દીને ફાયદો થાય છે.
થાઈરૉઈડ :
માખણમાં આયોડીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે થાઈરોઈડ ના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે. તે ઉપરાંત તેમાં રહેલ વિટામીન ‘એ’ પણ થાઈરોઈડ ગ્લેન્ડ માટે ખુબ ફાયદાકારક