માત્ર 15 દિવસ આ જ્યુસના સેવનથી શારીરક ક્ષમતા 4 ગણી થઈ બીપી, ડાયાબિટીસ અને પાચનના રોગો માંથી મળશે કાયમી છુટકારો, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો.

તેમાં પુષ્કળ વિટામિન્સ, ખનિજો, લોહ અને કેલ્શિયમ જોવા મળે છે. ચાલો જાણીએ કે બીટના રસમાંથી કેટલા ફાયદા છે. બીટનો રસ પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે. સંશોધનકારો અનુસાર, દરરોજ બીટનો રસ લેવાથી સિસ્ટૉલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. જો તમે તમારા રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો તમને લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. જણાવી દઇએ કે બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે સાથે જ આ તમને દરેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે.

બીટનો જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ બીટની ઉપર ઘણા પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે જેમાં સંશોધનકર્તાએ જાણ્યું કે દરરોજ બીટના જ્યુસનું સેવન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તો બીજી બાજુ એક 2011ના રિપોર્ટ પ્રમાણએ બીટનો જ્યુસ પીવાથી ડિમેન્શિયાનું જોખમ પણ ઓછું થઇ જાય છે. વાસ્તવમાં, બીટના જ્યુસમાં ભારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય છે જેના કારણે વધતી ઉંમરમાં બીટ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મગજમાં લોહીના ફ્લોને ફાસ્ટ કરે છે જેનાથી એમને ભૂલવાની બિમારી થતી નથી.

આયરનની સાથે સાથે બીટમાં પોટેશિયમ પણ મળી આવે છે. બીટથી શરૂરમાં મોજૂદ દરેક ચીજ યોગ્ય રીતે કામ કરે છે. સાથે જ શરીરમાં પોટેશિયમની ખામીના કારણે નબળાઇ અને થાક મહેસૂસ થાય છે. એનીમિયાથી પરેશાન લોકો માટે બીટ એક વરદાન જેવું છે. એમાં મોજૂદ આયરન શરીરમાં લોહીની ખામીને દૂર કરવાની સાથે સાથે બ્લડને પ્યૂરીફાઇ પણ કરે છે.

બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.  જો તમે આના શાકને નફરત કરો છો તો જરા એકવાર તેના ફાયદા વિશે જરૂર જાણી લો. કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે કે બીટમાં લોહ તત્વની માત્રા વધુ હોતી નથી. પણ તેમાથી મળતા લોહ તત્વ ઉચ્ચ ગુણવત્તાના હોય છે જે રક્ત નિર્માણ માટે વિશેષ મહત્વપુર્ણ છે.  એવુ કહેવાય છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા રહેલા લોહ તત્વની પ્રચૂરતાને કારણે છે. પણ સત્ય એ છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા જોવા મળતા એક રંગકણ (બીટા સાયનિન)ને કારણે હોય છે. એંટી ઑક્સીડેંટ ગુણોને કારણે રંગકણ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

જો તમે આળસ અનુભવી રહ્યા છો કે પછી થાક લાગે તો બીટનો રસ પી લો. તેમા કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીર પર થતા  પાણીના ફોલ્લા, બળતરા અને ખીલ માટે ખૂબ ઉપયોગી હોય છે. ખાંસી અને તાવમાં પણ ત્વચાને સાફ કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પ્રાકૃતિક શર્કરાનુ સ્ત્રોત હોય છે. તેમા કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, ક્લોરીન, આયોડીન અને અન્ય મહત્વપુર્ણ વિટામિન જોવા મળે છે. તેથી ઘર પર તેનુ શાક બનાવીને તમારા બાળકોને જરૂર ખવડાવો.

બીટનો રસ હાઈપરટેંશન અને હ્રદય સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને બીટના રસનુ સેવન કરવાથી વ્યક્તિમાં લોહીનો સંચાર ખૂબ વધી જાય છે. રક્તની ધમનીઓમાં જામેલી ચરબીને પણ તેમા રહેલા બેટેન નામક તત્વો જામતા રોકે છે.

જે લોકો જીમમાં તનતોડીને વર્કઆઉટ કરે છે. તેમના માટે બીટનો રસ ખૂબ જ ફાયદાકારી છે. તેને પીવાથી શરીરમાં એનર્જી વધે છે અને થાક દૂર થાય છે. સાથે જ જો હાઈ બીપી થઈ ગયો હોય તો તેને પીવાથી માત્ર એક કલાકમાં શરીર નોર્મલ થઈ જાય છે.

બીટનો રસ પોષક તત્વોની રચનામાં સમૃદ્ધ છે. તે કુદરતી ખાંડ, ફાઇબર, પેક્ટિન્સ અને પ્રોટીન ધરાવે છે, જે શરીરની ઉર્જા પ્રક્રિયાઓ માટે જરૂરી છે. ફોલિક એસિડ અને બાયલેન્ટ આયર્ન લોહીની રચનામાં સુધારો કરે છે, કોશિકાઓને ઑક્સિજનની સપ્લાયમાં વધારો કરે છે અને શરીરમાંથી ઝેર દૂર કરે છે.

બીટના રસની રોગનિવારક અસર તે લેવામાં આવે તે સમય સુધી મર્યાદિત છે. જ્યારે તમે શરીરને પોષક તત્વો પ્રાપ્ત કરવાનું બંધ કરો છો, તેથી, આ રોગનું શક્ય પુનરાવર્તન થાય છે.

એથ્લેટ્સ અને સક્રિય પુખ્ત એથ્લેટિક પ્રભાવ સુધારવા માટે પોષક ગાઢ ખોરાક તરફ વધુ ઝોક રહ્યા. શાકભાજીમાં સમૃધ્ધ ખોરાકમાં કસરત દરમિયાન શરીરની ક્રિયાઓ પર બીટ જેવા મહત્વની અસર જોવા મળે છે. વાસ્તવમાં, બીટરોટનો રસ એથ્લેટ્સ માટે સૌથી વધુ લોકપ્રિય એર્ગેગોનિક સપ્લીમેન્ટ્સમાંનું એક બની ગયું છે.

બીટ નાં રસમાં કાર્બનિક એસિડ્સ પણ હોય છે જે રોગપ્રતિકારક તંત્ર પર કાર્ય કરે છે, તેને મજબૂત બનાવે છે. એમિનો એસિડ આર્જેનીન ગાંઠોના વિકાસને ધીમો પાડે છે. બીટના રસનો અભ્યાસ કેન્સરની પરંપરાગત સારવારમાં વધારાના ઉત્પાદન તરીકે એપ્લિકેશનમાં તેની ઉપયોગીતાને પુષ્ટિ આપે છે.

આંતરિક અંગો અને ત્વચાની સમસ્યાઓ ધરાવતા દર્દીઓની રોગનિવારક સારવારમાં સામેલ ડોકટરો દ્વારા હીલિંગ રસની ફાયદાકારક અસરોની પુષ્ટિ કરવામાં આવે છે. પરંપરાગત દવાઓ બીટ્સને ઘણા રોગો માટે હીલર ગણવામાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here