ભગવાન શિવનું એક એવું રહસ્યમય મંદિર કે જ્યાં 12 વર્ષમાં શિવલિંગ પર વીજળી પડ્યા બાદ તેનેમાખણ વડે જોડે છે પુજારીઓ અને લે છે અસલી રૂપ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે દરેક કણ કણમાં ભગવાન શિવ શંકર છે. ભગવાન મહાદેવ ચારે દિશામાં તેમના ભક્તોની મુશ્કેલીઓ અને બધી જ પરેશાનીઓ દુર કરે છે, અને તેમાં જ કહી શકાય કે અમરનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ. સોમનાથ પશ્ચિમ કાંઠે સ્થાપિત છે, તેથી પૂર્વમાં, શિવ ભક્તો પશુપતિનાથની મુલાકાત માટે નેપાળની મુલાકાત લેવાનું ચૂકતા નથી. પરંતુ હિમાલયના મેદાનમાં એવું એક શિવ મંદિર છે, જ્યાં દર 12 વર્ષ પછી શિવલિંગ પર આકાશમાં વીજળી પડે છે, અહીં ભગવાન શિવ પોતાના ભક્તોની એક અલગ રીતે રક્ષા કરે છે. અને આ જ રહસ્યમય વાતો વિશે આજે આ લેખમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ આ અદભુત અને રહસ્યમય વાતો વિશે…

દેવભૂમિ હિમાચલમાં અનેક દેવી-દેવતાઓનાં મંદિરો છે. તે જ સમયે, હિમાચલના કુલ્લુ શહેરમાં બિયાસ અને પાર્વતી નદીના સંગમ નજીક ઊંચા પર્વતની ઉપર બિજલી મહાદેવનું પ્રાચીન મંદિર છે. તે વિશાળ ખીણ સાપનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવ દ્વારા આ સાપનો વધ કરવામાં આવ્યો હતો. જ્યાં મંદિર અહીં છે, ત્યાં દર 12 વર્ષે એકવાર શિવલિંગ ઉપર ભયંકર આકાશી વીજળી આવે છે. જેના કારણે શિવલિંગ તૂટી જાય છે અને ત્યારબાદ માખણ વડે અહી આ શિવલીંગને જોડી દેવામાં આવે છે. થોડા મહિના પછી શિવલિંગ નક્કર સ્વરૂપમાં બદલાઈ જાય છે. અહીં વીજળી શા માટે પડે છે અને આ સ્થાનનું નામ કુલ્લુ કેમ પડ્યું તેની પાછળ પણ એક પૌરાણિક કથા રહેલી છે.

એવું કહેવામાં આવે છે કે લાંબા સમય પહેલા ત્યાં કુલાંત નામનો રાક્ષસ ખીણમાં રહેતો હતો. તે ખૂબ કપટી હતો. એકવાર તેણે જીવોને મારી નાખવાની યોજનાથી વ્યાસ નદી રોકી. ભગવાન શિવ આ જોઈને ખૂબ ગુસ્સે થયા. એક દિવસ ભગવાન રાક્ષસને મારવા માટે માયાની રચના કરી. તે તેમની પાસે ગયા અને ત્યારબાદ કોઈ કારણ જણાવી પૂંછડીમાં આગ લાગી છે અને તે જોવાની સાથે જ ભગવાન તેને ત્રિશૂળ વડે હુમલો કર્યો. આ રીતે દુષ્ટને મારી નાખ્યો અને તેનું શરીર એક વિશાળ ટેકરીમાં ફેરવાઈ ગયું. અહીંની ટેકરી આજે કુલ્લુ ટેકરી તરીકે જાણીતી છે એવું માનવામાં આવે છે.

અને આજે પણ બિજલી મહાદેવના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે, બિજલી મહાદેવની ટેકરી કુલ્લુ શહેરથી સાત કિલોમીટર દૂર છે. સ્થળ સમુદ્ર સપાટીથી લગભગ 2450 મીટરની ઉચાઇએ સ્થિત છે. આમ એવું માનવામાં આવે છે કે કુલ્લુ ખીણ એક વિશાળ સાપના રૂપમાં છે. આ સાપની ખુદ ભગવાન શિવ દ્વારા કરવામાં આવી હતી. અહીં આકાશી વીજળી દર 12 વર્ષે પડે છે જેના કારણે શિવલિંગ ખંડિત થાય છે. પછી બીજા જ દિવસે, ત્યાંના પુજારીઓ આ શિવલિંગને માખણમાં ઉમેરી દે છે અને પૂજાની પ્રક્રિયા ચાલુ રાખે છે.

દર 12 વર્ષે પડે છે વીજળી

આપને જણાવી દઇએ કે, મંદિર જ્યાં સ્થિત છે તે સ્થળે દર બાર વર્ષે વીજળી પડે છે. વીજળીનો પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી જાય છે. અહીંના પૂજારી આ ખંડીત શિવલિંગના ટુકડાઓ ભેગા કરે છે અને તેને માખણની સાથે જોડે છે. જો કે, થોડા મહિના પછી, શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ શિવલિંગ પર દર બાર વર્ષમાં શા માટે વીજળી પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ શા માટે છે તેની પાછળ એક દંતકથા છે. જો કે, શિવલિંગ પર પડતી વીજળી પાછળનું રહસ્ય હજી સુધી કોઇ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.

શું છે માન્યતા

વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે ભગવાન શિવ નહોતા ઇચ્છતા કે જ્યારે વીજળી પડે તો કોઇ જન-ધનને નુકસાન પહોંચે, ભગવાન લોકોને બચાવવા માટે આ વીજળીને પોતાના પર લઇ લે છે.

કુલ્લૂ નામ કેમ પડ્યું?

આ શિવલિંગ પર દર વર્ષે વીજળી કેમ પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે. કુલાન્ત રાક્ષસે અજગરનું સ્વરૂપ લીધુ હતું. તે આ રૂપ ધારણ કરીને ધોગ્ધરધાર, લાહૌલા સ્પીતિ સેમથાણ ગામમાં ગયો હતો. દૈત્યરૂપી અજગર કોકડું વળીને બ્યાસ નદીમાં બેઠો જેથી નદીના પાણીને રોકી શકાય અને આ સ્થળને ડૂબાડી શકાય. ભગવાન શિવ કુલાન્તની આ યોજનાથી ચિંતિત થયા. અજગરને મહામહેનતે ભગવાન શિવે વિશ્વાસમાં લીધો અને ભગવાન શિવે તેના કાનમાં કહ્યું તારી પૂંછડીમાં આગ લાગી છે. શિવની આ વાતથી તે પાછળની તરફ વળ્યો અને ભગવાન શિવે તેના મસ્તક પર વાર કર્યો અને તેનું મોત થયું. કુલાન્તના મોત બાદ તેનું શરીર એક વિશાળ પર્વતમાં પરિવર્તીત પામ્યું આ સ્થળે કુલાન્ત પરથી કુલ્લુ થયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top