માત્ર એક ટુકડો આનો ઉપયોગ શરીરના દુખાવા, ચામડીના રોગ અને ખંજવાળ તેમજ લોહીના પરીભ્રમણનો છે સૌથી સરળ અને અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે. લગભગ બધા ને જ બરફ સારો લાગે છે. ઉનાળામાં આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

મેકઅપ લગાવતા પહેલાં ત્વચાને લીસી બનાવવા માટે ફાઉન્ડેશન હેઠળ ઘણીવાર પ્રાઇમરનો ઉપયોગ કરવામાં આવે છે. જો પ્રાઇમરનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો પછી મેકઅપની પહેલાં ચહેરા પર બરફ લગાવીને તેને સરળ બનાવી શકો છો. બરફનો ઉપયોગ કરવાથી ત્વચાના છિદ્રો ઓછા થઈ જાય છે, જે તમારી ત્વચાને સરળ બનાવે છે.

હોઠ પર બરફ લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને હોઠ ખૂબ કોમળ બને છે. જો ચહેરા પર પિમ્પલ્સ છે, તો બરફનો ઉપયોગ કરીને તેને સરળતાથી ઘટાડી શકો છો. ચહેરા પર બરફ લગાવવાથી પિમ્પલ્સ થી થતી પીડામાં રાહત પણ મળે છે. ચહેરા પર બરફ લગાવવા માટે, બરફને સુતરાઉ કાપડમાં લપેટીને પછી ચહેરા પર લગાવો.

બરફ લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, જે વૃદ્ધત્વને કારણે ચહેરા પર કરચલીઓ અને અન્ય ડાઘ ઘટાડે છે. આ ઉપરાંત બરફનો ઉપયોગ કરવાથી ત્વચા પણ સજ્જડ બને છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ એન્ટી એજિંગ સારવાર તરીકે કરે છે. વધારે સમય કોમ્પ્યુટર કે મોબાઈલ ના વપરાશ ને લીધે આંખો દુખતી હોય તો ,બરફનો ટુકડો પાતળા રૂમાલમાં લપેટીને આંખો પર રાખવાથી આંખોની બળતરા માં રાહત થશે. પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી આરામ થશે.

હાથ-પગમાં કાંટો કે ફાંસ વાગેલી હોય તો અને તેની સોયથી કાઢવાની હોય તો ત્યાં પહેલા બરફ ઘસો, જેથી તે ભાગ સુન્ન થઈ જશે, પછી કાંટો કાઢો . કાંટો સહેલાઇથી નીકળી જશે અને દુખાવો પણ નહિ થાય. માથું દુખતું હોયતો બરફના ટુકડા ને રૂમાલમાં લપેટીને માથા પર રાખવાથી માથાના દુખાવામાં રાહત થશે. હેડકી વારંવાર આવે ત્યારે મોઢામાં બરફનો ટુકડો નાખી ચગળવો. તથા નાભી પર બરફ રાખવાથી પણ આરામ મળશે.

આઈબ્રો અથવા અપરલિપ્સ માટે થ્રેડીંગ અથવા વેક્સિંગ પછી પીડા થાય છે. આ માટે, વાળ કાઢતા પહેલા બરફ લગાવો, પછી તેને કપડાથી સાફ કરો અને વાળ કાઢો. બરફ ત્વચાને થોડા સમય માટે સુન્ન કરે છે,  વાળને દૂર કરતી વખતે પીડા ઘટાડે છે. શરીરના કોઈપણ ભાગમાં સોજો કે દુખાવો પર બરફ લગાવવાથી રાહત મળે છે.

એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને ઓછી કરવામાં તમારી ઘણી સહાયતા કરી શકે છે. એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે. ૨-૪ અઠવાડિયા સુધી તમારા ચહેરાને બરફના ટુકડાના પાણીથી ધુઓ, તેનાથી ચહેરાની ચરબી ઘણી ઓછી થઇ જશે.

જો તમે વધારે જમી લીધુ હોય અને ખાવાનું પચતુંના હોય તો થોડા બરફના ટુકડા ખાઈ લેવા. તરત જ ખોરાક પચી જશે.  નાકમાંથી લોહી આવતુ હોય તો કપડામાં બરફ લઈને નાકની ચારે તરફ રાખવાથી થોડાક જ સમયમાં લોહી નીકળવાનું બંધ થઈ જશે.

તૈલીય ત્વચા માટે લીંબુનો રસ બરફ સાથે લગાવો. ત્વચામાં દુર્ગંધ પણ નહીં આવે. તેનો ઉપયોગ અન્ડરઆર્મમાં પણ થઈ શકે છે. જો ત્વચા પર સૂર્યપ્રકાશને લીધે ટેનિંગ થાય છે, તો બરફ અને એલોવેરા જેલને એકત્રિત કરો. આ એલોવેરા જેલને ત્વચા પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે મૂકી રાખો. તેમાં લીમડાનું તેલ પણ ઉમેરી શકાય છે.

બરફ દાંતના દુખાવામાં રાહત આપી શકે છે. સંવેદનશીલ વિસ્તારમાં બરફ લગાવવાથી ચેતા અને પેઢા  થોડા સમય માટે નિષ્ક્રિય થઈ જાય છે અને રાહત મળે છે. એક કપડામાં બરફ લપેટીને તેને તમારા ગાલ પર થોડીવાર રાખો. તમે સીધા દાંત પર બરફ પણ લગાવી શકો છો. આંગળીની ઇજાને કારણે લોહી બહાર આવતું નથી, પરંતુ તે ત્વચામાં જમા થઈ જાય છે અને ખૂબ જ દુખ પહોંચાડે છે. આ માટે આવી ઈજા પર તાત્કાલિક બરફ લગાવવાથી તેમાં લોહી એકઠું થતું નથી અને પીડામાં પણ રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top