આ આયુર્વેદિક ઉપચાર માત્ર 1 મિનિટમાં બંધ નાકથી અપાવશે છુટકારો, તરત જ ખૂલી જશે નાક, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જ્યારે નાક બંધ થાય છે ત્યારે શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે,ત્યારે ઘણી મુંજવણ અનુભવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે કોઈપણ પ્રકારની દવા પીવાને બદલે,તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો જેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

ઘણી વાર તમને પણ લાગ્યું હશે કે સામાન્ય ઠંડીમાં પણ તમારું નાક પહેલાથી જ બંધ થઈ જાય છે. આને કારણે શ્વાસ લેતા સમયે નાકમાંથી સીટી જેવો અવાજ આવવા લાગે છે અને કેટલીકવાર શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે જેના કારણે મોમાથી શ્વાસ લેવાની જરૂર પડે છે.

મોટાભાગના લોકોને લાગે છે કે નાકમાં લાળ હોવાને કારણે નાક બંધ થઈ જાય છે. પરંતુ ઘણીવાર, ફલૂ,વાયરલ ઇન્ફેક્શન અથવા એલર્જિક રાનાઇટિસ સાઇનસમાં રક્ત વાહિનીઓમાં બળતરાથી  નાક બંધ થવાની સમસ્યા થાય છે. વરાળ લેવાથી નાકમાં થતી લાળને સરળતાથી દૂર કરવામાં મદદ મળે છે. એક મોટા વાસણમાં ગરમ પાણી કરી વરાળ લો અને તમારા ચહેરાને વાસણ તરફ ઝુકાવી ને માથાને ટુવાલથી ઢાકી દો આ કરતી વખતે,જ્યારે ગરમ વરાળ નાક દ્વારા શરીરની અંદર જાય છે,ત્યારે તે બંધ નાકને ખોલવામાં મદદ કરે છે.

જો તમને વરાળ લેવામાં અસ્વસ્થતા અનુભવાતી હોય તો તમે ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો. આ કરવાથી બંધ નાક ખૂલવામાં પણ મદદ મળે છે. ગરમ પાણીથી સ્નાન કરતી વખતે ગરમ વરાળના લીધે નાકમાં બળતરાની સમસ્યા ઓછી થાય છે અને નાકમાંથી શ્વાસ લેવાનું સરળ બને છે.

જ્યારે તમારું નાક બંધ હોય ત્યારે ગરમ પ્રવાહીનું સેવન વધારે કરવું જોઈએ. ગરમ ચા અથવા સૂપ પીવો. આ ગરમ પીણા પીવાથી નાકમાં બાષ્પીભવન થાય છે, જેનાથી લાળ સરળતાથી પાતળી થઈ જાય છે અને નાક ખૂલી જાય છે.

જો બંધ નાક ખોલવા માંગતા હો, તો તમે કપાળ અને નાક ઉપર ગરમ પાટો મૂકી શકો છો. ગરમ પાણીમાં પાટો અથવા ટુવાલ મૂકો,ટુવાલને નીચવો અને પછી તેને નાક અને કપાળ પર મૂકો. તેની ગરમ હૂંફ નાકમાં થતી બળતરાથી રાહત આપે છે અને નાક ખૂલવામાં મદદ મળે છે.

મીઠાના પાણીના સોલ્યુશનનો ઉપયોગ કરીને નાકમાં ખારો સ્પ્રે કરવાથી બંધ નાક ખોલવામાં મદદ મળે છે. આ સ્પ્રે લાળને નરમ બનાવે છે અને નાકને સાફ કરે છે. નાક ખોલવાની બીજી સામાન્ય રીત છે મસાલાવાળા ખોરાક ખાવા. આદુ,લસણ,મરચું અને હળદર જેવા મસાલામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે બંધ નાક ખોલવામાં ઉપયોગી બને છે.

એક ચમચી લીંબૂના રસમાં થોડાક ટીપા મધ નાખીને તેને 2-3 દિવસ પીવો. આ ઉપાય નાકને ખોલવા માટે ખૂબ લાભકારી છે. કપૂર બંધ નાકને ખોલવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. તેને તમે નારિયળના તેલ સાથે મિક્સ કરીને સૂંઘી શકો છો. 2 ચમચી સફરજનનો વિનેગર અને અડધી ચમચી મધને એક ગ્લાસમાં ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે પીવો. તેનાથી નાક ખુલી જશે.

દરેક ઘરની અંદર આપણે આદુનું અલગ અલગ રીતે સેવન કરતા હોઈએ છીએ જેથી શરદી મા ખૂબ જ ફાયદો થાય. આદુની ચા બનાવવા માટે ધીમા તાપે બે કપ પાણી ઉકાળી તેની અંદર થોડું આદુ છીણી અને પાંચ થી દસ મિનિટ ઉકાળ્યા પછી તેની અંદર લીંબુનો રસ અને મધ ઉમેરી તેનું સેવન કરવું તેથી નાક જલ્દી ખૂલી જશે.

બંધ નાક ને ખોલવા માટેનો સૌથી અસરકારક ઉપાય છે શુદ્ધ દેશી ગાય નું ઘી. દેશી ગાયના ઘી ને હુંફાળું ગરમ કરી બંધ નાક માં 2-3 ટીપા નાખવાથી માત્ર 5 મિનિટ માં જ બંધ નાક ખૂલી જાય છે. શરદી અને પોલ્યૂશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાવડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચીમાં મધ લો અને એમાં 2 થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલા લેવું. આ મિશ્રણને ધીરે ધીરે ચાટવાને બદલે એક સાથે તેને ખાઈ લેવું.

જો કફ જામી ગયો હોય અને તે કારણસર નાક બંધ થય ગયું હોય તો સવાર સાંજ એક ચમચી અળસીના બીજને ગોળ સાથે રોજ ચાવવા જોઈએ, જેનાથી કફ પણ નીકળી જશે અને નાક પણ સાફ થઈ જશે. અળસીના સેવનથી શરીરમાં જામેલો કફ બહાર નીકળી જાય છે.

કફ જામી ગયો હોય અને કફ થી નાક બંધ થી ગયું હોય તો એલોવેરાનું સેવન કરવું ફાયદાકારક છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં 30 મિલી એલોવેરામાં, 10 મિલી આંબળાનો રસ મિક્સ કરી અને તેમાં એક ચમચી મધ ભેળવી સવાર સાંજ પીવાથી જુનામાં જુનો કફ નીકળી જાય છે અને નાક ખૂલી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top