માત્ર 7 દિવસ આ વસ્તુને પલાળીને ખાઈ લ્યો, સાંધાના અને ગોઠણના દુખાવા થઇ જશે કાયમી દૂર, આખું વર્ષ નહિ જવું પડે દવાખાને

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે બધા જાણીએ છીએ કે ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. બદામ હોય, અખરોટ હોય, કિસમિસ હોય કે કાજુ હોય. આ સિવાય અંજીરમાં પણ ઘણા ગુણ રહેલા છે, જેનું સેવન બહુ ઓછા લોકો કરે છે. કિસમિસની જેમ, અંજીર પણ એક ફળ છે, જે ફળ અને ડ્રાય ફ્રુટ બંને તરીકે ખાવામાં આવે છે.

અંજીરને અંગ્રેજીમાં ફિગ કહે છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ફાયદો કરે છે.

અંજીર ખાવાના ફાયદાઓ:

અંજીર ઘણા જૂના રોગો સામે લડે છે. રોગો સામે લડવાની ક્ષમતાને કારણે અંજીરને આહારમાં ચોક્કસપણે સામેલ કરવા જોઈએ. અંજીરમાં આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઝિંક હોય છે. આ તમામ પોષક તત્વો શરીરના રોગો સામે લડે છે.

ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જે ધીમે ધીમે હાડકાની મજબૂતાઈ પર અસર કરે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તેથી જે લોકોને સાંધા અને ઢીંચણનો દુખાવો હોય તેમને રાત્રે પાણીમાં અંજીર પલાળીને સવારે નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

વારંવાર કબજિયાત અથવા પેટની સમસ્યાથી પરેશાન રહેતા હોય તો પલાળેલું અંજીર ખાવું જોઈએ. અંજીરમાં જોવા મળતા ગુણો કબજિયાત, પેટનો દુખાવો, ગેસ અને ખેંચાણથી રાહત આપે છે.

અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ બ્લડ પ્રેશરના દર્દીઓને અંજીર ખાવાની સલાહ આપે છે. અંજીર મેટાબોલિઝમ વધારે છે, જે શરીરના વજનને નિયંત્રિત કરે છે.

જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોય તેમને આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ. અંજીર અને દૂધનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંજીર અને દૂધનું સેવન કરીને નબળા હાડકાના દુખાવાથી બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top