માત્ર 7 દિવસ આ વસ્તુને પલાળીને ખાઈ લ્યો, સાંધાના અને ગોઠણના દુખાવા થઇ જશે કાયમી દૂર, આખું વર્ષ નહિ જવું પડે દવાખાને

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આપણે બધા જાણીએ છીએ કે ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. બદામ હોય, અખરોટ હોય, કિસમિસ હોય કે કાજુ હોય. આ સિવાય અંજીરમાં પણ ઘણા ગુણ રહેલા છે, જેનું સેવન બહુ ઓછા લોકો કરે છે. કિસમિસની જેમ, અંજીર પણ એક ફળ છે, જે ફળ અને ડ્રાય ફ્રુટ બંને તરીકે ખાવામાં આવે છે.

અંજીરને અંગ્રેજીમાં ફિગ કહે છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ફાયદો કરે છે.

અંજીર ખાવાના ફાયદાઓ:

અંજીર ઘણા જૂના રોગો સામે લડે છે. રોગો સામે લડવાની ક્ષમતાને કારણે અંજીરને આહારમાં ચોક્કસપણે સામેલ કરવા જોઈએ. અંજીરમાં આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઝિંક હોય છે. આ તમામ પોષક તત્વો શરીરના રોગો સામે લડે છે.

ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જે ધીમે ધીમે હાડકાની મજબૂતાઈ પર અસર કરે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તેથી જે લોકોને સાંધા અને ઢીંચણનો દુખાવો હોય તેમને રાત્રે પાણીમાં અંજીર પલાળીને સવારે નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

વારંવાર કબજિયાત અથવા પેટની સમસ્યાથી પરેશાન રહેતા હોય તો પલાળેલું અંજીર ખાવું જોઈએ. અંજીરમાં જોવા મળતા ગુણો કબજિયાત, પેટનો દુખાવો, ગેસ અને ખેંચાણથી રાહત આપે છે.

અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ બ્લડ પ્રેશરના દર્દીઓને અંજીર ખાવાની સલાહ આપે છે. અંજીર મેટાબોલિઝમ વધારે છે, જે શરીરના વજનને નિયંત્રિત કરે છે.

જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોય તેમને આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ. અંજીર અને દૂધનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંજીર અને દૂધનું સેવન કરીને નબળા હાડકાના દુખાવાથી બચી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here