વગર ખર્ચે માત્ર આ રીતે પેટની ચરબી અને વજન ઘટી જશે પાણીની જેમ, છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. ખાસ કરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.

હરડે, બહેડા અને આંબળા આ જડીબુટ્ટીઓનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી છે. આ મિશ્રણથી કબજિયાત ઓછી થાય છે અને પાચન ક્રિયાને સુધારી શકાય છે. આ ચૂર્ણ પાચનતંત્રના કચરાને સાફ કરવામાં મદદરૂપ બને છે. આ મિશ્રણને વિટામીન સી અને કેલ્શિયમથી ભરપૂર ગણવામાં આવે છે. આ ત્રિફળાથી શરીરમાંથી વધારાની ચારબીને સરળતાથી દૂર કરવામાં મદદ મળે છે. દરરોજ સવારે એક ચમચી ત્રીફળા પાવડરને થોડા ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ.

બે ત્રણ લીંબુની છાલને છોલીને એક વાટકીમાં લો. લીંબુની છાલમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે શરીરની ચરબી દૂર કરવાનું કામ કરે છે. લીંબુ આપણાં શરીરનાં ખરાબ ટોક્સીન દુર કરે છે.  લીંબુની છોલેલી છાલને દોઢ ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળો. ઊકળી જાય પછી આ પાણીને ગાળીને લઇ લો. આ પાણીમાં પછી ૧ ચમચી આદુનો રસ નાખો. આ પાણી પીવાથી શરીરની ચરબી જલ્દીથી દૂર થઈ જશે. આ પાણી સવારે લેવું.

ત્રણ ચમચી અળસીના બીજ, ૨ ચમચી જીરું, અને બે ચમચી અજમાને લઈને બધાને સારી રીતે ભેળવીને પીસી લો. હવે આ ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણનો ઉપયોગ કરો ત્યારે દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી અવશ્ય પીવું જોઈએ. એક ચમચી ચૂર્ણ ને નવશેકા પાણીમાં નાસ્તા કરતા પહેલા લઈ શકાય છે. નિયમિત પણે ઉપયોગ કરવાથી તમને પણ પેટની ચરબી ઘટતી હોય તેવું મહેસૂસ થશે. અને આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી થોડા જ અઠવાડિયામાં તમને ફરક જણાશે.

આસોપાલવ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે. આસોપાલવના ફૂલ પીળા-નારંગી રંગના હોય છે. આસોપાલવ ની સૂકી છાલ, ડાળી અને ફૂલમાં ઔષધીય ગુણ રહેલા છે, જે ચરબી ઘટાડવા ખૂબ જ મદદરૂપ થાય છે. એક ચપટી કાળા મરી ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવો. આ મસાલામાં ફાયટોન્યુટ્રીએંટ્સ માત્રા ખુબ જ હોય છે, જે વધારે ફેટને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે. જેના લીધે વજન અને શરીર ઘટે છે.

દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. તે પેટની ચરબીને ઓછી કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. રોજ સવારે તેનુ સેવન કરવાથી મેટાબોલિજ્મ સારું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ કરશે.

વજન ઘટાડવા માટે તકમરિયાના બીજને એક ગ્લાસ પાણીમાં નાખીને રાત્રે પલાળી દેવા જોઈએ તેમજ બપોરે ઉપયોગમાં લેવા માટે અને સાંજે ઉપયોગમાં લેવા માટે પણ ૬ કલાક પહેલા તકમરિયાના બીજને પાણીમાં પલળવા માટે મૂકી શકાય છે. આ તકમરીયાને અલગ અલગ ચીજો જેવી કે સ્મુથીજ, મિલ્સશેક, સૂપ, પુડિંગ, ફાલુદા તેમજ બ્રેડ અને મફીન્સમાં નાખીને ઉપયોગ કરી શકાય છે. જોકે વજન ઘટાડવા માટે માત્ર તકમરીયાનું સરબત કરીને પીવું વધારે યોગ્ય છે.

મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો. જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઇ જશે.

કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો. ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top