માનસિક અને મગજના રોગો કાયમી દૂર કરી મનને શક્તિ આપવાનો અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે. ઇચ્છા અને દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ, પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે. રજ અને તમ. અહીં કેટલીક ઔષધિઓ આપવામાં આવી છે જેના સેવનથી માનસિક નબળાઈ દૂર થાય છે, મન મજબૂત બને છે.

આ ઔષધિથી મનના વિકારો દૂર થાય છે. બુદ્ધિ શક્તિ ખીલી ઊઠે છે, યાદશક્તિમાં વધારો થાય છે, મગજ તેજ બને છે. આ ઔષધિ મોટેભાગે ઘરમાં અથવા બજારમાંથી ઉપલબ્ધ થઈ શકે છે. બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે. કડવી બદામ ન ખાવી. બદામનો આકાર આંખ જેવો છે તેથી તે આંખ માટે સારી ગણાય છે.

બદામ સ્વાદે મીઠી, તાસીરે ગરમ, પચવામાં ભારે, ગુણમાં ચીકાશવાળી, વીર્યવર્ધક અને જાતીય શક્તિ વધારનાર છે. તેને ખૂબ ચાવીને ખાવી જોઇએ જેથી તે સારી રીતે પચી શકે. અને તેનો ફાયદો થાય. બદામ બુદ્ધિ, આંખનું તેજ, આંખની શક્તિ, યાદશક્તિ વગેરેનો વિકાસ કરે છે. ઉધરસ, ક્ષય, મૂછ, ચકકર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતીય ક્ષતિ, કૃશતા, વગેરે દૂર કરે છે. મંદબુદ્ધિ વાળા માટે માખણ ખૂબજ લાભપ્રદ છે.

બુદ્ધિજીવી, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઈએ. અખરોટનો અંદરનો આકાર મગજને મળતો આવે છે. તેથી તેને બુદ્ધિવર્ધક માનવામાં આવે છે. તેના ઉપરનું કડક પડ દૂર કરતાં અંદર મગજને મળતી કરચલી-વાળો સ્વાદિષ્ટ ગર્ભ મળે છે. અખરોટ સ્વાદે મીઠા છે, તે મળને રોકનાર, વાત – પિત્તનાશક અને કફકર છે, તે બળવર્ધક, વૃષ્ય, દાહનાશક અને પથ્ય છે.

જામફળનો ગર્ભ ખૂબ પોચો અને મિઠો હોય છે. પરંતુ તેની અંદરનાં કઠણ બી તેની ખાવાની મજા બગાડે છે. જામફળ મીઠાં, ખાટાં અને તૂરા હોય છે. તે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણાં, મળને રોકનાર, વાત-પિત્તશામક અને કફવર્ધક, પોષક, સ્વાદિષ્ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, મૂર્છા, તાવ વગેરે મટાડનાર છે.

માખણને ‘નવનીત’ કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે, તેને માખણ કહેવાય છે. માખણ સ્વાદે મીઠું, ચીકણું, ભારે, મળને બાંધનાર, વાત્ત પિત્તનાશક, કફકર છે. પરમ પૌષ્ટિક, આંખો માટે અત્યંત હિતકારી, હૃદયને બળ આપનાર, સ્મરણશક્તિ વધારનાર છે.

ચોમાસામાં માલકાંગણીના વેલા થાય છે, તેને પીળાશ પડતાં, લીલા, મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. માલકાંગણી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઉત્તમ બુદ્ધિવર્ધક, વાર્ધશામક, મધ્ય અને અગ્નિવર્ધક છે. માલકાંગણીનું તેલ લાલ રંગનું અને તીવ્ર વાસવાળું હોય છે. તેના 2-2 ટીપાં દૂધમાં લેવાથી યાદશક્તિ, ધારણાશક્તિ અને બુદ્ધિબળ વધે છે.

અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના મગજને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. 2 અંજીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here