મામૂલી દેખાતું આ કઠોળ લોહી અને શરીર શુદ્ધ કરી જીવનભર દવાખાના અને રોગ થી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

લીલા મગમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે. આ પાચન તંત્ર માટે પણ ફાયદાકારક હોય છે. લીલા મગમાં એન્ટીફંગલ તેમજ એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા મગ ખુબ જ લાભકારી હોય છે કેમ કે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે.

ફણગાવેલાં મગમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી6, કેલ્શિયમ, ફોસ્ફરસ, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોય છે.

જે લોકોને શરીરમાં નબળાઇ રહે છે તેઓએ રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાવા જોઈએ. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં ફણગાવેલા મગ મદદરૂપ બને છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે. મગમાં રહેલુ ઓલીયોસાચ્ચારાઈડસ નામનું તત્વ ગંભીર રોગોથી બચવાની ક્ષમતામાં વધારો કરે છે. કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખુબ અસરકારક રહે છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિન માં નિખાર આવે છે. ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચરો પણ બહાર નીકળી જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળે છે.

ફણગાવેલા મગ એ આયર્ન નો એક સારો સ્ત્રોત છે. એનિમિયાના રોગથી બચવા માટે અને આયરન ની ઉણપને દુર કરવા માટે મગનું સેવન કરવું જોઈએ. ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશનમાં વધારો થાય છે.

ફણગાવેલા મગમા પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે. મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી હોર્મોનમાં વધારો અને વજનમાં ઘટાડો કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે શરીરની નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એનર્જી પૂરી પાડે છે.

જો તમે મોટાપાથી પરેશાન છો તો ફણગાવેલા મગનું સેવન કરો કેમ કે તે ન તમારી કેલેરી ઓછી કરે છે પણ તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા દેતુ નથી. તેથી રાત્રે ખાવામાં તમે રોટલી સાથે એક કટોરી મગ ખાવ જેનાથી તમને પુષ્કળ પોષણ મળશે.

જો સવારે નાસ્તામાં ભારે ચીજોનું સેવન કરો છો, તો તેના બદલે ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. સવારે તેનું સેવન કરવાથી તમારા શરીરને ફાઈબરની ભરપુર માત્રા મળી રહે છે, જેનાથી કબજિયાતની સમસ્યા તુરંત જ ખતમ થઇ જશે.

ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન પણ રાહત મળે છે.

ફણગાવેલા મગ ની સાથે સાથે મગનું પાણી પણ તેટલૂ જ ઉપયોગી છે મગનું પાણી પીવાથી સ્કીન ને લગતી ઘણી બીમારી માં મદદરૂપ થાય છે. ફણગાવેલા મગ ખાવાથી કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણકે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે.

જે લોકોને શરીર ભારે હોવાનો અનુભવ થતો હોય છે અને આળસ આવતી હોય તેમણે પણ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવું જોઇએ. કારણકે ફણગાવેલા મગ મેટાબોલિકરેટ વધારવાનું કામ કરે છે તેનાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહે છે.

શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને બીમારીઓ સામે લડવા માટે નિયમિત રીતે ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. તે શરીરને શક્તિ આપે છે. તેમાં રહેલા એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટીઇન્ફ્લામેટ્રિ ગુણ શરીરની ઈમ્યુનીટી પાવરને વધારવામાં મદદ કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top