એક અદભૂત ઔષધિ લીલા મરચાં, જેને ખાવાથી રહે પેટ અને ચહેરો સાફ, જરૂર જાણો તેના અનોખા ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પહેલાના સમયમા લોકો મરચાનો ભોજનમા ઉપયોગ કરતા હતા. એનાથી તે અમુક પ્રકારની બીમારીથી બચી જતા હતા. સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે મસાલાવાળું અને તીખું ખાવું સારું નહીં પરંતુ રસોડામાં મોજૂદ લીલા મરચાં ખાવાનો સ્વાદ વધારે છે સાથે સાથે એના ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ હોય છે. કેટલાક લોકો એની તીખાશના કારણે એ ખાતા નથી પરંતુ એના ફાયદા જાણીને તમે પણ એને ખાવાનું શરૂ કરી દેશો. લીલું મરચું ખાલી ખોરાકનો જ સ્વાદ નથી વધારતું પરંતુ મરચા ઔષધીનું પણ કામ કરે છે.

આમ તો લીલાં મરચાંનો સ્વાદ બહુ તીખો અને તમતમતો હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે વધુ પડતુ ચટપટુ ખાઇ રહ્યા છો તો તેની સાથે કાચુ લીલુ મરચુ પણ ખાવાની આદત કેળવો જેથી, તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે પરંતુ, લીલુ મરચુ સુકાઈ ગયા પછી લાલ થવા લાગે છે અને તેમા પોષણ પણ ઓછુ થવા લાગે છે. ચાલો આજ તમને જણાવી દઈએ મરચાંનાં ફાયદા વિશે જાણીએ.

પાચન શક્તિ વધારો :

પાચન ક્રિયા ખરાબ થવા પર કબજિયાત, મન ખરાબ થવાનું અને વગેરે પ્રકારની પરેશાની થવા લાગી જાય છે. પાચન ક્રિયા ના દુરસ્ત ના થવાથી ઘણા લોકો ને ગેસ ની સમસ્યા પણ થઇ જાય છે. હા જો મરચા નું સેવન કરવામાં આવે તો પાચન તંત્ર માં સુધાર થાય છે અને પાચન તંત્ર બરાબર રીતે કાર્ય કરે છે. લીલા મરચા ના અંદર ફાઈબર મળે છે અને ફાઈબર પાચન તંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે અને ફાઈબર યુક્ત વસ્તુઓ ખાવાથી કબજિયાત ની સમસ્યા પણ નથી થતી. લીલા મરચાં પાચનતંત્ર માટે પણ લાભકારી છે. વિટામીન સી ખોરાક લીધા બાદ શરીરમાં થૂંક બનાવવાનું કામ કરે છે જેના કારણે ખોરાક સારી રીતે પચી જાય છે. લીલા મરચા માં ફાઈબર અને વિટામીન રહેલું હોય છે, લીલા મરચાં ખાવાથી પાચન ક્રિયા મજબુત બને છે.

વજન થાય ઓછુ :

જે લોકો લીલા મરચા નું સેવન કર્યા કરે છે તે લોકો નું વજન નથી વધતું અને સદા નિયંત્રિત રહે છે. તેથી વધારે વજન ની સમસ્યા થી પરેશાન લોકો લીલા મરચા ને ખાઓ. લીલું મરચું ખાવાથી પેટ પર ચરબી નથી જમા થતી. ત્યાં જે લોકો મોટા છે જો તે તેનું સેવન કરે છે તો લીલા મરચા તેમના શરીર નો ચરબી ઓછુ કરવાનું કાર્ય કરે છે. લીલા મરચાંમાં કેલેરી નથી હોતી તેના કારણે જો તમે વજન ઉતારવા માટે ડાયટીંગ કરતા હોવ તો લીલા મરચા તમારા માટે ખુબજ લાભદાયક છે.  તેથી મરચાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે.

આંખો માટે લાભદાયક :

લીલા મરચા ના ફાયદા આંખો માટે પણ છે અને તેને ખાવાથી આંખો ની રોશની તેજ થાય છે. લીલા મરચા માં વિટામીન-એ, વિટામીન-સી અને વિટામીન-ઈ હાજર હોય છે અને આ બધા તત્વ આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે અને આંખો ને તંદુરસ્ત બનાવી રાખે છે.

ત્વચામાં નિખાર :

લીલા મરચાંમાં વિટામિન એ, બી6, આયર્ન , કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. એટલું જ નહીં તેમાં બીટા કૈરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન લુટેન જેવા તત્વ હોય છે. લીલા મરચાં ખાવાથી શરીરને વિટામિન્સ મળે છે અને જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. લીલા મરચાં ખાતા લોકોની સ્કીન ગ્લોઈંગ રહે છે. લીલા મરચાં ખાવાથી ત્વચાના રોગ પણ થતા નથી. સ્કીન ગ્લોઈંગ કરવા માટે લીલા મરચા ખૂબ જ ફાયદાકારક છે.

સ્કિન ઇન્ફેકશન જો તમારી સ્કિન બહુજ સંવેદનશીલ હોય અને તમને ઇન્ફેકશનની સમસ્યા રહેતી હોય તો લીલા મરચાંથી તમને રાહત મળી શકે છે. લીલા મરચાંમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે તમારી સ્કિનને ઇન્ફેકશનથી બચાવી શકે છે. યુવાન દેખાવ લીલા મરચામાં વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. લીલા મરચાંમાં કુદરતી તેલ હોય છે જે સ્કીનને સારી કરે છે. તેનાથી તમારી સ્કીન હમેશાં યુવાન રાખે છે.

ડાયાબિટીસ માં ઉપયોગી :

આજે મોટાભાગના લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડાતા હોય છે. આ લોકોએ દિવસના ખોરાક દરમિયાન મરચાનો ઉપયોગ કરવો જોઈએ. લીલા મરચાં ખાવાથી શરીરમાં શર્કરાનું લેવલ નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસ લીલા મરચાંથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો લગભગ ટળી જાય છે. લીલા મરચાં રહેલ ફાઇબર ખોરાક ઝડપથી પચાવામાં મદદ કરે છે.

કેન્સર માટે :

કેન્સર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાની સંભાવના બહુજ વધારે હોય છે. એક સંશોધન મુજબ લીલા મરચાં ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરથી બચી શકાય છે. લીલા મરચાંમાં એવા તત્વો હોય છે કે જે કેન્સરનું જોખમ ઓછુ કરે છે.

પ્રતિરોધક ક્ષમતા થાય મજબુત :

લીલા મરચા ના ફાયદા ઘણા બધા છે અને તેને ખાવાથી પ્રતિરોધક ક્ષમતા મજબુત બની રહે છે. લીલા મરચા નું સેવન કરવાથી શરીર ને ભરપુર માત્રામાં વિટામીન- સી મળે છે અને વિટામીન સી શરીર ની પ્રતિરોધક ક્ષમતા ને મજબુતી પ્રદાન કરવાનું કાર્ય કરે છે. શરીર ની પ્રતિરોધક ક્ષમતા મજબુત થવા પર શરીર સરળતાથી બીમાર પણ નથી પડતું અને તેને ખાવાથી તાવ-શરદી સરળતાથી નથી થતી.  તમારું નાક બંધ થઇ જાય છે. ત્યારે તમે લીલા મરચા ખાઈ લો તો તરત જ નાક ખુલી જાય છે.તે રોગ પ્રતિકારક શક્તિ વધવાનું ઉદાહરણ છે.

આયર્ન ની માત્રા વધે છે :

મહિલાઓમાં સામાન્ય રીતે આયર્ન ની કમી જોવા મળતી હોય છે. પરંતુ જે મહિલાઓમાં આયર્નની કમી છે. તે રોજે નિયમિત લીલા મરચાનું સેવન કરે તો આયરનની કમી રહેતી નથી. પરંતુ લીલા મરચાને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ. કારણ કે ગરમીમાં તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.

રક્તદબાણ નું સ્તર નિયંત્રિત રાખો :

લીલા મરચા ના ફાયદા રક્તદબાણ ને નિયંત્રિત કરવામાં લાભકારી હોય છે. લીલા મરચા ને ઉચ્ચ રક્તદબાણ ના દર્દીઓ માટે ઉપયોગી માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીર માં રક્તદબાણ નિયંત્રિત રહે છે.

શરીર માં કરો લોહી ની કમી પૂરી :

લીલું મરચું ખાવાથી હિમોગ્લોબીન નું સ્તર શરીર માં બરાબર બની રહે છે અને શરીર માં લોહી ની કમી નથી થતી. સામાન્ય રીતે હિમોગ્લોબીન ની કમી નો શિકાર વધારે કરીને મહિલાઓ ને જ હોય છે. તેથી મહિલાઓ ને લીલું મરચા નું સેવન જરૂર કરવું જોઈએ. અઠવાડિયા માં ચાર લીલા મરચા ખાવાથી શરીર માં હિમોગ્લોબીન ની કમી થી બચાવમાં આવી શકે છે. હિમોગ્લોબીન ની કમી થવા પર શરીર બહુ થાકી જાય છે અને નબળાઈ પણ વધારે અનુભવ થાય છે.  લીલા મરચા ના અંદર મળવા વાળા તત્વ હિમોગ્લોબીન નું સ્તર શરીર માં ઓછુ નથી થવા દેતું.

બેક્ટેરીયલ ઇન્ફેકશન થી કરો બચાવ :

લીલું મરચું ખાવાથી શરીર ની રક્ષા ઘણા પ્રકારના બેક્ટેરીયલ ઇન્ફેકશન થી થાય છે. જે લોકો નિયમિત રૂપ થી લીલા મરચા નું સેવન કરે છે. તે લોકો ને પેટ માં સંક્રમણ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

મૂડ બુસ્ટર :

લીલા મરચા મૂડ બુસ્ટરનું પણ કાર્ય કરે છે. લીલા મરચા મગજમાં એન્ડોર્ફીનનું સંચાર કરે છે. જેનાથી આપણો મૂડ ખુબ જ ખુશ રહે છે. માટે ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી ભોજનમાં સ્વાદ પણ આવે અને સ્વાસ્થ્ય માટે ફાયદામંદ રહે છે.

દમ તેમજ સાઈનસના દર્દી માટે લાભદાયી :

તાજા લીલા મરચાની એક ચમચી રસમાં મધ મિક્સ કરો. પછી તેનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો દમના દર્દીઓનો ફાયદો થાય છે. માત્ર 10 દિવસમાં જ ફાયદો જોવા મળશે. આ ઉપરાંત લીલા મરચાનું સેવન કરવાથી ગરમી નીકળે છે. તેથી દુખાવામાં પણ રાહત મળે છે. લીલા મરચામાં કૈપ્સેઇસીન નામનું તત્વ રહેલું છે. જે નાકના રક્ત પ્રવાહને સરળ બનાવે. તેથી શરદી અને સાયનસની બીમારીમાં રાહત મળે છે.

પેટની સમસ્યા દુર કરે છે :

લીલા મરચામાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે. લીલા મરચા ખાધેલા ખોરાકને ઝડપથી પચાવે છે. પરિણામે કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી. અપચો ગેસ વગેરે સમસ્યા દુર થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી છે, તે લોકોએ પોતાના ભોજનમાં લીલા મરચાનું ખાસ સેવન કરવું જોઈએ.

દર્દ ને કરો દુર :

લીલા મરચા ની મદદ થી પગ નું દર્દ, કમર નું દર્દ અને વગેરે પ્રકારના દર્દો થી રાહત મેળવી શકાય છે. શરીર ના કોઈ પણ ભાગ માં દર્દ થવા પર તમે લીલા મરચા ને સારી રીતે પીસી લો. પછી તેના અંદર મધ મેળવી દો. આ બન્ને વસ્તુઓ ને સારી રીતે મેળવ્યા પછી તમે આ મિશ્રણ નું સેવન કરી લો. લીલા મરચા અને મધ ને એકસાથે ખાતા જ તમારું દર્દ ભાગી જશે.

સંક્રમણથી બચાવે છે :

લીલા મરચામાં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલા છે. જે કોઈ પણ પ્રકારના સંક્રમણથી શરીર અને ત્વચાને બચાવે છે. આ ઉપરાંત ત્વચા માટે લીલા મરચા ઇન્ફ્લેમેટરી મેડિસીન જેવું કામ કરે છે. આર્થરાઈટીશના દર્દીઓ માટે લીલા મરચા ખુબ જ ફાયદાકારક હોય છે. લીલા મરચાનું સેવન શરીરના અંગોમાં થતા દુખાવાને પણ દુર કરે છે.

મરચા ના ફાયદા જાણ્યા પછી તમે તેને જરૂર ખાઓ. હા તમે આ વાત નું ધ્યાન જરૂર રાખો કે તમે વધારે લીલા મરચા નું સેવન ના કરો. કારણકે વધારે લીલું મરચું ખાવાથી પેટ માં બળતરા ની ફરિયાદ પણ થઇ શકે છે. તેથી તમે તેને સંતુલિત માત્રા માં જ ખાઓ. તેના સિવાય બાળકો ને પણ વધારે મરચું ખાવા માટે ના આપો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top