વગર ખર્ચે માત્ર આ 1 ચમચીથી જૂની શરદી-ખાંસી અને ગળાના દુખાવા જીવનભર ફરી ક્યારેય નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે વળી, ઋતુના આ સંધિકાળમાં વાઈરસ પણ માથું ઉચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સંશોધન મુજબ આદુમાં એવા કેમિકલ્સ રહેલાં છે, જે શરદી, ખાંસી અને સોજા ઉપર ખૂબ પ્રભાવક ઢંગથી કામ કરે છે ઉકળતા પાણીમાં થોડું તાજું આદુ છીણીને નાંખો અને તેની ગરમ વરાળનો નાશ લો જેનાથી શરદીમાં રાહત થશે. જો ખાંસી અને કફ હોય તો આદુ-તુલસીની ચા પીઓ.

જો ખાંસી સતાવતી હોય તો એક ચમચી મધમાં થોડો મરીનો ભૂકો ભેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચાટો. મધ કફને ઓગાળે છે વળી તેમાં એન્ટીબાયોટિક તત્વો છે, જે બેક્ટેરિયાનો સફાયો કરે છે જ્યારે મરી રક્તપરિભ્રમણ સુધારે છે તમે તેનો ઉકાળો પણ પી શકો છો એક કપ ઉકળતા પાણીમાં 1 ટીસ્પૂન મરીનો ભૂકો અને બે ટેબલસ્પૂન મધ નાંખી થોડી વાર ઢાંકી રાખો પછી તેને ગાળી લો અને આ ગરમ ઉકાળો પીઓ.

ગળાનું અને બ્રોન્કાઈટલ ટ્રેકનું ઇન્ફેક્શન દૂર કરવા માટે અળસી અકસીર છે એક કપ પાણીમાં બે ટેબલસ્પૂન અળસી નાંખીને તે ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી તેને ઉકાળો હવે તેને ગાળી લો અને તેમાં ત્રણ ટેબલસ્પૂન મધ અને થોડો લીંબુનો રસ નાંખો દિવસમાં થોડી થોડી વારે આ પીતા રહો.

જો ખૂબ શરદી હોય તો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.

લાંબા સમયની સૂકી ખાંસી માટે મધ એક ઉત્તમ ઔષધ છે ગાઢું અને ચીકણું મધ ગળામાં ચચરાટી પેદા કરનાર મ્યૂકસ મેમ્બ્રેન પર ચોંટી જાય છે અને તરત આરામ પહોંચાડે છે મધ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતું હોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદરૂપ થાય છે.

ઉકળતા પાણીમાં થોડો અજમો અને થોડા તુલસીના પાન નાંખી થોડી વાર રહેવા દો, થોડું ઠંડુ થાય પછી આ પાણી નવશેકું જ પીઓ, શરદી-ખાંસીમાં ખૂબ રાહત થશે અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે દિવસમાં બે વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી બંધ નાક તરત ખૂલી જશે.

હળદર એ ઉત્તમ એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક છે. તે શરદી- ફ્લૂ જેવા વાઈરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ કારગત છે. જો ગળામાં બળતરા થતી હોય તો એક કપ નવશેકા પાણીમાં થોડું મીઠું અને હળદર નાંખી દિવસમાં બે-ત્રણ વાર તેના કોગળા કરો રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાંખી પી જાઓ. સવારે ગળાના દર્દમાં ઘણી રાહત મહેસૂસ કરશો, હળદર પણ મધની જેમ કફને છૂટો પાડવાનું કામ કરે છે.

શરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં પજવે છે. એક-બે દિવસ સાદા અગર શિવામ્બુ ઉપવાસ કરવા, તે દરમ્યાન શક્ય તેટલું વધુ હુંફાળુ પાણી પીવું.એકાદ વખત શિવામ્બુ અગર ઉકાળેલા લીમડાના પાનના હૂંફાળા પાણીનો એનીમા લેવો, સવાર-સાંજ શિવામ્બુ અગર હુંફાળા પાણીનું નસ્ય કરવું નાક પર ગરમ ઠંડો શેક કરવો દિવસમાં ત્રણ વાર તાજા શિવામ્બુના કોગળા કરવા અને તેમાં ત્રણ-ત્રણ ટીંપા નાકમાં નાંખવાં.

ચાર દિવસના વાસી શિવામ્બુથી સવાર-સાંજ મોઢું, ગળું, બોચી અને છાતીએ અડધા કલાકથી હળવી માલિસ કરવી સવારે ઊઠીને, બપોરે જમ્યા બાદ બે કલાકે અને રાત્રે સુતી વખતે શિવામ્બુપાન કરવું શક્ય તેટલો વધુ આરામ કરવો.

સવારે નાસ્તામાં ખાટાં મીઠાં અને સાંજે મીઠા ફળ લેવાં આદું, તુલસી, ફૂદીનો, અગર, સૂંઠ, મરી, તજ, લવિંગ, એલચીનો ઉકાળો રોજ બે વાર પીવો. ઉપવાસ બાદ ઉપવાસ જેટલા દિવસ લીંબુ રસ, તુલસી, અરડૂસી, મધ, આદું, હ્ળદર રસ, સંતરા, મોસંબી રસ, લીલી કાળી દ્રાક્ષ પપૈયા ઉપર રહેવું.

એક કપ પાણીમાં લસણની ચાર-પાંચ કળીઓ નાંખીને તેને ઉકાળો, તેને ઠંડુ થવા દો, હવે તેમાં એક ચમચી મધ નાંખો, દિવસમાં બે-ત્રણ વાર આ પાણી પીઓ, ત્રણ-ચાર દિવસ આમ કરવાથી તમને શરદી-ખાંસીમાંથી છૂટકારો મળશે.

થૂલાવાળી રોટલી, મોળું દહીં, મગ અને બાફેલા શાકનો આહાર લેવો. બ્રેડ, બિસ્કીટ, આમલી, ખાટું દહીં તેમજ અન્ય ખાટો, તીખો, તળેલો ફ્રિજનો આહાર તેમજ પાણી ન લેવું. ખાંડ તેમજ મીઠું બને તેટલું ઓછું લેવું. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો, આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.

શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો, આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે.

શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ (આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top