રોજ સવારે ખાલી પેટે આ પીણું પીવાથી થાય છે અનેક જટિલ રોગો દૂર, જરૂર જાણી લ્યો આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તમે ઘણા લોકોને સવારે ખાલી પેટે હળવા પાણીમાં લીંબુનો રસ અને મધ પીતા જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લીંબુના પાણી કરતા વધારે ફાયદાકારક છે અને જો તમે દરરોજ સવારે ખાલી પેટ પર તેનું સેવન કરો છો,તો તે તમારા પાચનમાં સુધારણા કરશે જ અને કબજિયાતને પણ મટાડે છે,આ સિવાય જીરાનું પાણી અનેક રોગોને દૂર રાખે છે.

જીરાનું પાણી ઉનાળામાં પીવું ખૂબ જ લાભકારી હોય છે. જીરામાં હાજર પોષક તત્વો શરીરની ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરે છે. આજકાલ લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું રહી જાય છે. ત્યારે ગરમીમાં આ લોકો ઘણી બીમારીઓના શિકાર બને છે.

જયારે ગરમીમાં તમે પૂરતું પાણી નથી પીતા ત્યારે શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. ત્યારે સવાર સવારમાં જીરાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ મટે છે. ખાલી પેટે જો જીરાનું પાણી પીવામાં આવે તો શરીરને આખો દિવસ ઉર્જા મળતી રહે છે અને થાક લાગતો નથી. તો અહીં જાણો તેને કેવી રીતે બનાવવું અને તેના ફાયદા.

જીરાનું પાણી બનાવવાની રીત: રાત્રે એક ગ્લાસમાં ચોખ્ખા પાણીમાં બે ચમચી જીરાને પલાળી દો. સવારે ગેસ પર આ પાણી ઉકળવા દો. જ્યારે આ પાણી ઠંડું પડે, ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. રસોડા નો એક સૌથી સામાન્ય મસાલો જીરું છે જેનો ઉપયોગ દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે થાય છે.

જીરુંમાં થાઇમોલ નામનું એક રસાયણ હોય છે જે સ્વાદુપિંડને ઉત્સેચકો અને પિત્ત ઉત્પન્ન કરવા માટે ઉત્તેજીત કરે છે. આનાથી આખા શરીરમાં કાર્બ્સ અને ચરબીનું પાચન થાય છે. સવારે ખાલી પેટ પર જીરા નું પાણી પીવાથી એસિડિટી,પેટનું ફૂલવું,પેટમાં દુખાવો,ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

જે લોકોને શરીરમાં લોહીની ઉણપ છે. તે લોકો રોજ  જીરા નું પાણી પીવે તો લોહીમાં વૃદ્ધિ થાય છે. ગરમીની ઋતુમાં જીરું  સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક હોય છે. આ ઋતુમાં જીરાનું સેવન છાશ અથવા દહી સાથે કરી શકાય. તેના સેવનથી  લૂ થી બચી શકાય છે. જીરાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે જીરાનું પાણી એ ઉતમ ઔષધિ છે. બ્લડ સુગર લેવલ ઘટાડવા માટે સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવું એ ખૂબ ફાયદાકારક છે. જીરું શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

પોષણ નિષ્ણાતો અને ડોકટરોના જણાવ્યા અનુસાર જીરું ફાઇબરનો શ્રેષ્ઠ સ્રોત છે,તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા અને રોગો સામે લડવા માટે ઉપયોગી થાય છે.  દરરોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાથી ફાયદો થાય છે. જીરાનું પાણી બીમારીથી તમારું રક્ષણ કરે છે.

જીરાનું પાણી શ્રેષ્ઠ વજન ઘટાડવાનું પીણું છે કારણ કે  જીરા ની 1 ચમચીમાં માત્ર 7 કેલરી હોય છે. આ સિવાય જીરાનું પાણી શરીરના મેટાબોલિક રેટમાં પણ વધારો કરે છે,જે મેદસ્વીપણાને ઘટાડીને વજન ઘટાડવાનું સરળ બનાવે છે.

જીરાનું પાણી પીરિયડ્સ દરમિયાન દુખાવો પણ ઘટાડે છે,આયર્નથી સમૃદ્ધ રહેવું એ એનિમિયાના ઉપચારમાં પણ ફાયદાકારક છે,યકૃતને ડિટોક્સ કરીને તે સ્વસ્થ,શરીરમાં સંગ્રહિત ઝેરને જાળવવામાં પણ મદદ કરે છે,એટલે કે તે ઝેરને પણ દૂર કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સના સ્તરને ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

જેમને સ્નાયુઓનો હંમેશા દુખાવો રહેતો હોય, તેમણે સવારે દરરોજ જીરાનું પાણી પીવું જોઈએ. જીરાનું પાણી શરીરના તાપમાનને ઓછું કરે છે. કેમકે જીરું ઠંડક માટે જાણીતું છે. દરરોજ જીરાનું પાણી પીવાથી, ત્વચા તંદુરસ્ત બને છે અને સ્કીનમાં નિખાર આવે છે.

જીરાના પાણીમાં પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે અને સોડિયમ નકારાત્મક પ્રભાવને ઘટાડવા અને બ્લડ પ્રેશર (બીપી કંટ્રોલ) ને નિયંત્રણમાં રાખવા માટે પોટેશિયમ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જીરાનું પાણી પીવો અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો. પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત લેવું.

સવારે જીરાનું પાણી પીવાથી શરીરમાં રક્ત પ્રવાહ (રક્ત પરિભ્રમણ) વધારે સારું થાય છે. જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય છે અથવા જે ને કબજિયાત કે એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. તેમના માટે જીરાનું પાણી પીવું ફાયદાકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top