જીવનભર હેયર્ટએટેક નહીં આવે માત્ર કરી લ્યો આ જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ હૃદયરોગના હુમલાના અનેક કેસો જોવા જાણવા સાંભળવા મળે છે.લગભગ ૪૫ થી ૫૫ વર્ષની વયના પુરુષો એકાએક છાતીમાં દુઃખાવો ઉપડવાથી અકાળે આકસ્મિક મૃત્યુ પામતા હોવાનું જોવામાં આવે છે. આ રોગાવસ્થાને લોકભાષામાં હાર્ટએટેક કહેવામાં આવે છે. તે થવા માટે લોહીમાં કોલેસ્ટ્રોલ નામનો સફેદ ચીકણો પદાર્થ દોષરૂપ છે.

ચરબી સાથે કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં જમા થઈ જાય છે આથી લોહીની નળીઓ જાડી બને છે. સ્થિતિસ્થાપકતા જુએ છે. ઓસ્ટ્રિયા સ્કલેરોસિસ નામની આ સ્થિતિ છે. લોહીની નળી અંદરથી જાડી થવાથી લોહીના પ્રવાહમાં હરકત પડે છે. છેવટે લોહીનો પ્રવાહ ધીમો પડી બંધ પડે છે. લોહીનો પ્રવાહ ધીમો પડવાથી હૃદયને પૂરતું લોહી મળતું નથી. લોહી દ્વારા શરીરની પેશીઓને પોષણ અને પ્રાણવાયુ મળે છે.

હદયની નળીઓ જાડી બનવાથી સાંકડી બનાવવા સાથે જ્યારે તેમાં એકાદમાં ચરબી નો ગઠ્ઠો વળે છે ત્યારે તેમાં આગળ વહેતું લોહી બંધ પડે છે. હૃદયની લોહીની નળીમાં લોહીનો ગઠ્ઠો થવાના અહી જણાવેલાં કારણો ખાસ છે. (૧) લોહીનું ઊંચું દબાણ (૨) 1 જામવા પાછળ લોહીમાં વધારે પ્રમાણમાં કોલેસ્ટેરોલ (૩) શરીરનું વધારે પડતું વજન (૪) વધારે પડતો ખોરાક (૫) થોડોક શારિરીક શ્રમ (૬) ડાયાબિટિસ (૭) વધારે પડતું ધૂમ્રપાન (૮) બોજ અને ખેંચ (૯) રોગ થવાનું વારસાગત વલણ.

છાતી જકડાઈ જવી અથવા તીવ્ર દુખાવો, છાતીમાં દુખાવો, હાથ, જડબા, ગળા, કમર અને પેટમાં ભારે દુખાવો થાય, પરસેવો થવો, ચક્કર આવવા કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા અને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થાય, ચક્કર આવે વગેરે હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. કેટલીકવાર પીડા ખૂબ જોરથી થતી હોય છે, તો ક્યારેક હળવી હોય છે. પરંતુ અન્ય લક્ષણોથી, તમે તેનો અંદાજ લગાવી શકો છો.માણસ જીવવાની ટેવ બદલે તો ઉપરનાં જોખમો ટાળી શકે છે.જોખમ નું પ્રમાણ ઘટાડવા થી આયુષ્ય લંબાય છે. ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો હાર્ટ ડિસીઝ નું પ્રમાણ ઓછું રહે છે.

હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં ઉમેરવા. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો ધુમ્રપાન અને તમાકુ થી દૂર રહેવું ધુમ્રપાન કરવાથી જેટલું નુકશાન થાય છે, તેટલું જ નુકશાન ધુમ્રપાન કરતા સમયે તે લોકોની વચ્ચે રહેવાથી થાય છે.

હૃદયરોગમાં ‘અર્જુન વૃત’ એ ઉત્તમ ઔષધ છે. એક ભાગ ‘અર્જુનને લસોટીને કરેલી લૂગદી, ચારે ભાગ ઘી અને સોળ ભાગ પાણી ભેગાં કરી ઉકાળવાં. જ્યારે પાણી બળી જાય ત્યારે ચૂલા પરથી ઉતારીને ઘી ગાળી લેવું. આ ગાળેલા ઘીને અર્જુન થી સિદ્ધ કરેલું ઘી કહે છે. હૃદયરોગીએ રોજ સવાર-સાંજ દરેક વખતે એક એક તોલો અર્જુન વૃત ચાટવું. જરૂર જણાતાં એક તોલાથી વધતાં વધતાં દરેક ટંકે બે તોલા સુધી પણ ચાટવું. આ પ્રયોગ મહિનો-બે મહિના સુધી કરવો. તેમજ રોજ હરડે પણ લેવી.

લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીન સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત 1 કપ પાણીમાં 1 ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઈએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે તો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનું જ્યૂસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે.

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તમારા ખોરાકમાં લસણ (garlic) સામેલ કરવાથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. લસણમાં એલિસિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. જે માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતું નથી પરંતુ સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એવામાં લસણ ખાવું હૃદયની બીમારીઓ દૂર રાખવામાં અસરકારક સાબિત થયા છે.

ઉપરાંત આ વાત કાયમ યાદ રાખો માનસિક તણાવ જેટલો વધારે તેટલી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે. માનસિક તણાવ ઓછો કરવા માટે ૧. ભૂતકાળ ગમે તેવો ખરાબ હોય તેને ભૂલી જવા પ્રયત્ન કરો. ૨. ભવિષ્યકાળની ચિંતા બિલકુલ ના કરો કારણ તે તમારા હાથમાં નથી. ૩. તમારા રોજિંદા જીવનમાં જે કાંઇ બને છે તેને સ્વીકારી લેવાની ખૂબ પ્રયત્ન કરી ટેવ પાડો. ૪. જે કંઇ તમારી અવસ્થા છે અથવા તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે ચોક્કસપણે માનો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top