માત્ર થોડા સમયમાં કબજિયાત, પાયોરિયામાં, ચામડી ના રોગોમાં 100% અસરકારક છે આનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વર્ષોથી આપણાં ઘરોમાં દિવેલનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે. દિવેલમાં એન્ટિઈમફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ રહેલા છે. તે મધુર, ઉષ્ણ, ગુરુ, રૃચિકર, સ્નિગ્ધ અને કડવું છે તથા ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, કમર, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે.

દિવેલનો ઉપયોગ વાળોને મજબૂત અને સુંદર બનાવા માટે સદીઓથી ચાલતો આવ્યો છે. ઘણા વર્ષોથી લોકો ઘરમાં અનેક સમસ્યાઓના નિવારણ માટે દિવેલનો ઉપયોગ કરતાં આવ્યા છે. આથી, દિવેલને આપણે અનેકવિધ બીમારીઓની ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય. તો ચાલો હવે આપણે જાણીશું દિવેલના ફાયદાઓ.

મરડાની સમસ્યા માટે તો દિવેલ એ અમૃત સમાન છે. જો તમને કોઈ કારણોસર પગમા ચીરા પડ્યા હોય તો તે ભાગમા દિવેલથી માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. ચુસ્ત કપડા, ગરમી, પરસેવાને પરિણામે ચામડીમા ફુગનુ સંક્રમણ, લાલાશ અને ખંજવાળ જેવી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યામા દિવેલ અસરકારક સાબિત થશે. માથાના વાળ માટે દિવેલ અસરકારક સાબિત થાય છે.

વાળ માટેનુ તેલ ઘરે બનાવતા હોવ તો આ તેલ બનાવવા માટે દિવેલ પણ ઉમેરવુ જેથી, વાળ લાંબા, કાળા થશે અને મગજને તાકાત મળશે. જો દર્દીને સૂકી ઉધરસ આવતી હોય તો દિવેલમા સંચળ નાખી નિયમિત રાત્રે લેવુ. આઇબ્રોને કાળા ભમ્મર કરવા માટે જો નિયમિત તમે આઈબ્રો પર દિવેલ લગાવશો તો તે ખૂબ જ સરસ લાગશે અને કોઈપણ આડઅસર થશે નહી. તમારી ત્વચાને એકદમ મુલાયમ રાખવામા દિવેલ તમને ખૂબ જ સહાયરૂપ થશે.

દરરોજ વહેલી સવારે સ્નાન કરવાના અડધોં કલાક પહેલા શરીર પર દિવેલની માલિશ કરવી તે ત્વચાને એકદમ મુલાયમ બનાવી દેશે. શરીર પર દિવેલની માલિશથી ત્વચાની રૂક્ષતા, ઉઝરડા, ત્વચામાં ચીરા પડવા વગેરે જેવી સમસ્યાઓ મટાડી શકાય છે. સ્તનપાન કરાવતી માતાઓના સ્તન પર ચીરા પડી ગયા હોય, સોજો કે દુઃખાવો થતો હોય તે દિવેલ લગાવી રાહત મેળવી શકે છે.

પગના તળિયે દિવેલની માલિશ કરવાથી ચશ્માના નંબર ઉતારવામા સહાયતા મળે છે અને મગજની ગરમી પણ ખુબ જ ઓછી થાય છે. આંખનુ તેજ વધારવા તેમજ નંબર ઘટાડવા નિયમિત આંખમા દિવેલ આંજવુ જોઈએ. આ ઉપરાંત કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે પણ દીવેલ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે.

આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે દિવેલનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે. દિવેલ પાયોરિયાને દૂર કરે છે. દિવેલમાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે. માર લાગવાને કારણે ઘામાંથી રક્ત વહેતું હોય તો દિવેલ લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે.

દિવેલનો ઉપયોગ જુલાબની સમસ્યા માટે શ્રેષ્ઠ સાબિત થશે. તે આંતરડાને એકદમ સ્વસ્થ અને મુલાયમ બનાવી દેશે. પ્રસુતિ સમયે દિવેલ પાવાથી મળના વેગ સાથે ગર્ભાશય પણ વેગીલુ બની પ્રસવ જલદી થાય છે. જો તમે રાત્રે સુતા પહેલા એક ચમચી દિવેલ પીશો તો તેનાથી મળ આવવામાં સરળતા રહે છે. સરદર્દ અને શરદી માટે દિવેલ ઉપયોગમા લેવામા આવે છે.

દિવેલ એ આપણી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આપણા શરીર માટે તે ગરમ, પચવામાં ભારે, ચીકણું, રોચક, વાત-પિત્તનાશક છે. તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી લોકો એ પીવા માટે ખુબ જ આકર્ષતા નથી. ઘઉં અને ચોખા જેવા ધાન્યોને લાંબા સમય સુધી સારા રાખવા માટે દિવેલ દઈને તેની જાળવણી કરવામાં આવે છે.

સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું દિવેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે. હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત દિવેલ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top