મળી ગયો વગર દવાએ જીવનભર એસિડિટી અને ગેસથી છુટકારો મેળવવાનો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફાઈબરથી ભરપુર ડાયટ પાચન તંત્રને મજબુત કરવાનનું કામ કરે છે. તો ફળ, અનાજ, શાકભાજી વગેરે ખાઓ. જો તમને પાચન તંત્ર સંબંધી સમસ્યા છે અને પેટ વારંવાર ખરાબ રહે છે તો દરેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ વ્રત જરૂર કરવુ જોઈએ. વ્રત પાચન તંત્રને રીસેટ કરવાનું કામ કરે છે.

વ્રતના દિવસે સંતુલિત ચીજો ખાવાથી પેટની ગડબડી ઠીક થાય છે. પાચન તંત્ર જયારે નબળુ પડે ત્યારે ઠંડાપીણા જેવા પદાર્થો લેવાનું ટાળો. પાણી પણ માટલાનું પીઓ. ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ખાવાની ખાસ ટાળો. ચા, કોફી વગેરેથી દુર રહો. ગ્રીન ટી અથવા તો આદુ-લીંબુની ચા એસિડિટીમાં ફાયદાકારક છે.

તાંબાના વાસણમાં પાણી પીવાથી પણ પેટની તમામ પરેશાનીઓ દૂર રહે છે. પરંતુ વાસણ જમીન પર ન રાખો. તેને હંમેશા લાકડા અથવા પ્લેટફોર્મ પર રાખો. સવાર -સાંજ વોક કરો. સાંજની વોક જમ્યા પછી કરો. સવારના સમયે ચાલવાની સ્પીડ ઝડપી રાખો. પરંતુ સાંજે ઝડપથી ન ચાલવુ જોઈએ.

નિયમિત રૂપથી યોગ કે પ્રાણાયમ કરવો જોઈએ. લોકોની ટેવ હોય છે કે, રાતે જમ્યા બાદ તરત સૂઈ જાય છે. એવામાં ખોરાકને પચાવવાનો સમય નથી મળતો. આ કારણથી ગેસ, એસિડિટી, ઉલ્ટી, ઝાડા, અપચો જેવી સમસ્યાઓ થાય છે. જેથી સૂવાના 2 કલાક પહેલા ડિનર કરી લેવુ જોઈએ.

ધાણાજીરાનું ચૂર્ણ સાકર સાથે લેવાથી એસીડીટી મટે છે. 100 થી 200 મિ.લી દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ચાર-પાંચ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવું. આમળાનું ચૂર્ણ રોજ સવારે અને સાંજે એક-એક ચમચી લેવાથી એસીડીટી મટે છે. હંમેશા ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળુ ખાવાથી એસિડિટી થતી નથી. મધુપ્રમેહના દરદીઓ કાચુ કેળું લઈ શકે. એકાદ બે ટુકડા કેળુ ખાવાથી પણ એસિડિટી મટી જાય છે.

નવશેકું ગરમ પાણી પેટની સમસ્યાઓમાં ઘણુ કારગર સાબિત થાય છે. રોજ દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા ગરમ પાણી પીવાથી કરવી જોઈએ. તે ઉપરાંત જમવાના લગભગ અડધો કલાક બાદ ગરમ પાણી પીવો. જેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. અને પાચન શક્તિ મજબુત થાય છે.

તમારે તેના માટે રોજે કાચુ દૂધ પીવું જોઈએ. તેમાં વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે. તેનાથી એસિડિટીમાં રાહત મળે છે. તેથી આનું સેવન જરૂર કરવું જોઈએ. આ ઉપાય એસિડિટી માટે રામબાણ સાબિત થાય છે. તેના માટે જમ્યા પછી ૧ કપ ફુદીનાની ચા પીવાથી આ તકલીફ માથી છૂટકારો મળે છે. તેના માટે બે ઇલાયચીને એક ગ્લાસ પાણીમાં નાખીને તેને ઉકાળવું. તે પાણી ઠંડુ થાય તે પછી પીવાથી એસિડિટીની સમસ્યા માથી આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top