માત્ર 30 મિનિટમાં વર્ષો જુનો પેટ અને આંતરડાનો કચરો જડમૂળ માંથી સાફ, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય કબજિયાત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં દુષિત આહાર અને વ્યસ્ત જીવનશૈલી ને કારણે અને લોકો બજારૂ ખાણીપીણી ઉપર વધારે આધાર રાખતા હોય છે. અને તેના કારણે બરાબર રીતે પેટ સાફ થતું નથી. મેંદો અને મેંદાની બનતી દરેક આઇટમમાં ખાવામાં આવે છે એટલે કબજિયાત જેવા અનેક રોગોથી પીડાય છે.

આજે દર ત્રીજા વ્યક્તિને કબજિયાત જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે બેઠાડું જીવન, પૂરતી ઉંઘ ન મળવી, બજારની ખાણીપીણી અને અનિયમિત ખોરાક લેવો. આ દરેક સમસ્યા કબજિયાત થવાનું મુખ્ય કારણ છે. તો ચાલો જાણીએ કબજિયાત દુર કરવાના ઘરેલું ઉપાય વિશે.

પેટ બરાબર ન સાફ થવાને કારણે જે સમસ્યા થાય છે તેને કબજિયાત તરીકે ઓળખવામાં આવે છે. અને પેટ સાફ ન થવાને કારણે માણસ ખરેખર ખૂબ જ હેરાન થઈ જાય છે. ઘણી વખત કબજિયાતને દૂર કરવાની ઘણી બધી દવાઓ લેવા છતાં પણ કબજિયાતની સમસ્યા કાયમ માટે મટતી નથી. થોડા સમય માટે રાહત થઇ જાય છે. ત્યારબાદ દવા બંધ કરી એટલે તરત જ પાછો કબજિયાત થવાની તકલીફ શરૂ થઇ જાય છે.

ગમે તેવો જુનો કબજિયાત હોય તો ત્રિફળાચૂર્ણ એક રામબાણ ઈલાજ છે. કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્રિફળા ચૂર્ણની અંદર આંબળા, હરડે અને બહેડા આવે છે. રોજ રાત્રે એક લીટર પાણીમાં ત્રિફળાચૂર્ણ પલાળીને સવારે ગાળીને પીવાથી કબજિયાતમાંથી છુટકારો થાય છે. આ ઉપરાંત સવારે નરણાં કોઠે ત્રિફળા ચૂર્ણ લેવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.

કબજિયાતને દૂર કરવા માટે અજમો એ ખૂબ જ કારગર ઉપાય છે. અજમો અને ગોળને ને ચાવી ચાવીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે. જીરૂ અને અજમો પણ ખૂબ જ ફાયદાકારક છે. જીરુ અને અજમાને શેકીને પાવડર બનાવી તેમાં થોડું મીઠું નાખીને તે મિશ્રણને હુંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. આ ઉપરાંત રોજ સાંજે સૂતી વખતે એક ચમચી વરિયાળીને ગરમ પાણી સાથે લેવાથી પણ કબજિયાતમાં ફાયદો થાય છે. કારણ કે વરિયાળી પાચનશક્તિને મજબૂત બનાવે છે. અને ગેસ્ટીક પ્રોબ્લેમને દૂર કરે છે.

રાત્રે સૂતી વખતે એક ચમચી મધ અને ગરમ પાણી સાથે ભેળવીને પીવાથી સવારે પેટ સાફ આવે છે. આ ઉપરાંત પેટ સાફ કરવા માટે એરંડીયાનું તેલ પણ એક રામબાણ ઈલાજ છે. રાત્રે સુતા પહેલા થોડું એરંડીયા નુ તેલ એક ગ્લાસ પણ દૂધમાં મેળવીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. ઘણી વખત જો ભોજન ખૂબ જ સારું બન્યું હોય તો આપણે ન ઇચ્છવા છતાં પણ વધારે ખાઈ લેતા હોય છે. અને ત્યારબાદ પાચન થતા ખૂબ જ વાર લાગે છે. આ માટે એક નાની ઈલાયચી ને ચાવીને ખાવાથી પાચનને લગતા રોગો દૂર થાય છે. અને પેટ પણ ખૂબ જ સરખું થાય છે.

નિયમિત અંજીરનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો કબજિયાતની તકલીફ ક્યારેય નહીં થાય. અંજીર કબજીયાત માટે રામબાણ ઈલાજ છે. તેનાથી પેટ ખૂબ જ સાફ થાય છે. અને બીજી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. રોજ રાત્રે સૂતા પહેલા એક કપ દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. આ ઉપરાંત પેટ સારું રહે છે. અને કબજિયાતમાંથી પણ કાયમ માટે છુટકારો મળે છે.

કબજિયાતમાંથી છુટકારો મેળવવા માટે અળસી પણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે કબજીયાતમાં છુટકારો મેળવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત મસૂરની દાળ ખાવાથી પણ કબજિયાત મટે છે. તરબૂચનું થોડાક દિવસ સુધી સેવન કરવાથી પણ કબજિયાત મટી જાય છે.

સવારે ગરમ કરેલા દૂધમાં એરંડિયું નાખીને ત્યારબાદ ૩૦ મિનિટની અંદર જ જુલાબ આવી જશે. અને ચારથી પાંચ વખત ઝાડો આવશે. ધીમે ધીમે આંતરડાં થી દરેક કચરો સાફ થઈ જશે અને સ્વસ્થ થઈ જશે આ ઉપાય અઠવાડિયામાં માત્ર એક જ વખત કરવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top