2 ફીટની મહિલાને 6 ફિટ ઊંચા વ્યક્તિ સાથે થઇ ગયો પ્રેમ, હવે પુત્રને લઈને પતિના ખોળામાં ફરે છે….

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

વામન લોકોની ઘણીવાર લોકો સમક્ષ મજાક ઉડાવવામાં આવે છે. તેઓ ભૂલી જાય છે કે તેમની પાસે પણ ફિલિંગ અને લાગણીઓ હોય છે. સામાન્ય વ્યક્તિની તુલનામાં તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. ઉદાહરણ તરીકે ઇડાહોમાં રહેતી આ મહિલા 2 ફુટ અને 10 ઇંચની છે.

31 વર્ષીય આ મહિલાનું નામ ત્રિશા ટેલર છે. તેની osteogenesis imperfecta નામની બીમારીથી ઊંચાઈ વધી નહોતી. આ રોગને લીધે જન્મ દરમિયાન તેના શરીરમાં 150 થી વધુ ફ્રેક્ચર જોવા મળ્યા હતા. જોકે ડૉક્ટરોએ ખૂબ જ મુશ્કેલીથી તેમનો જીવ બચાવ્યો હતો.

ત્રિશા શારીરિક રીતે ખૂબ જ નબળી છે. મતલબ કે જો તેઓ ખૂબ જ વધુ છીંક ખાય છે તો તેમના શરીરમાં ફ્રેક્ચર થવાનું જોખમ રહેલું છે. જો કે, આ બધું હોવા છતાં ત્રિશાએ ક્યારેય જીવનમાં હાર માની ન હતી. તેણે સામાન્ય જીવન જીવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

ત્રિશા એક સામાન્ય મહિલાની જેમ પરિવારની જેમ રહેવા ઇચ્છતી હતી. તેથી તેણે 6 ફુટ 1 ઇંચ લાંબી વ્યક્તિ માઇકલ સાથે લગ્ન કર્યા. માઇકલ તેની પત્નીને ખૂબ ચાહે છે.

દરેક સ્ત્રીની જેમ ત્રિશાનું પણ માતા બનવાનું સ્વપ્ન હતું. જો કે, ડોકટરોએ તેને ચેતવણી આપી હતી કે જો તેણી માતા બનવાનો પ્રયત્ન કરશે, તો તેના ઘણા હાડકાં તૂટી શકે છે. જોકે ત્રિશાએ હાર માની ન હતી. માતા બનવાનો પ્રયત્ન કરતાં તે બે વાર નિષ્ફળ ગઈ હતી પરંતુ ત્રીજા પ્રયાસમાં, તે સફળ થઈ છે અને તેણે એક પુત્ર માવેનને જન્મ આપ્યો છે. આ સાથે તેણે વિશ્વની સૌથી નાની ઊંચાઈની માતા બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

ત્રિશાએ 32 અઠવાડિયા સુધી પુત્રને ગર્ભાશયમાં રાખ્યો અને પછી સી-સેક્શન દ્વારા પહોંચાડ્યો. આજે ત્રિશા પતિ અને સંતાન સાથે ખુશહાલ જીવન જીવે છે. ઘણી વખત એવું બને છે કે માઇકલ તેની પત્નીને એક ખોળામાં ઊંચકી લે છે.

ત્રિશા અને તેનો પુત્ર માવેન એકબીજાની ખૂબ નજીક છે. તે બંને એક જ બાઈક કાર્ટમાં ઘણી વખત સાથે ફરતા જોવા મળે છે. આ બંનેના કદને કારણે તેઓ કપડા પણ સમાન પહેરે છે. ત્રિશા એ લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ કોઈપણ માંદગી અથવા નબળાઇના કારણે જીવન જીવવાનું છોડી દે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here